- National
- ભારતના આ રાજયમાં કચરો આપીને મળે છે ખાવાનું, ખૂબ જ અનોખુ છે કાફે
ભારતના આ રાજયમાં કચરો આપીને મળે છે ખાવાનું, ખૂબ જ અનોખુ છે કાફે
આપણે ઘણીવાર પાણી પીધા બાદ પ્લાસ્ટિકની બોટલો રસ્તા પર, પાર્કમાં અને અહીં-ત્યાં બેદરકારીથી ફેંકી દઈએ છીએ. ત્યારબાદ કચરો ઉપાડનારાઓ આ કચરો ઉપાડીને લઈ જાય છે. આ વાત ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ છત્તીસગઢમાં સ્થિત અંબિકાપુર શહેરના એક કાફે દ્વારા આ સામાન્ય વાતને એક મહાન વિચારમાં પરિવર્તિત કરવામાં આવી છે. જ્યાં લોકોને પ્લાસ્ટિકના કચરાના બદલામાં મફત ખાવાનું મળે છે. હા તમે પણ આ સાંભળીને હેરાન જરૂર થયા હશો. તો ચાલો તમને આ કાફેની અનોખી પહેલ બાબતે જણાવીએ.
છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં સ્થિત આ કાફે ગાર્બેજ કાફે તરીકે પ્રખ્યાત છે. વાસ્તવમાં આ પહેલ વર્ષ 2019માં અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છ ભારત’નો વિચાર સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કાફેનો ઉદ્દેશ્ય પર્યાવરણને સ્વચ્છ બનાવવા અને બેઘર તેમજ ગરીબોને ખોરાક પૂરો પાડવાનો છે.
કચરાના બદલામાં કેવી રીતે મળે છે ખાવાનું
આ કાફેમાં, એક કિલો (1000 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર પૌષ્ટિક અને ભરપેટ ખાવાનું (થાળી) આપવામાં આવે છે.
અડધો કિલો (500 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર વડાપાંવ કે સમોસા જેવો સવારનો નાસ્તો આપવામાં આવે છે.
આ કાફે બધા વચચ્હે લાઈમલાઇટ મેળવી રહ્યું છે. આ કાફેની અનોખી પહેલથી એકસાથે 2 સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે.
પર્યાવરણનું રક્ષણ: આ કાફેના આ પગલાથી હવે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિકને સરળતાથી એકત્રિત કરી શકાય છે અને પછી રિસાયક્લિંગ માટે મોકલી શકાય છે. ઉપરાંત, આ પહેલથી અંબિકાપુરમાં સ્થિત કચરાના ઢગલા ઘટાડવામાં મદદ મળી છે અને પર્યાવરણને સ્વચ્છ બનાવ્યું છે.
ભૂખની સમસ્યા દૂર કરવી: ગરીબીને કારણે ઘણા દિવસો સુધી ભૂખ્યા પેટે ઊંઘતા અને કચરો ઉપાડીને જીવવાનો પ્રયાસ કરતા લોકો માટે આ કાફે કોઈ ચમત્કારથી ઓછું નથી.
અંબિકાપુરનું આ ગાર્બેજ કાફે ખરેખર એક નવી વિચારસરણી અને જન કલ્યાણ માટે એક ઉમદા પગલું છે. તે એ પણ બતાવે છે કે જો ઇરાદો સાચો હોય તો રસ્તો આપમેળે બને છે.

