સુપ્રીમ કોર્ટે SIR પર રાજકીય પક્ષોના મૌન પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, 'તમે કરી શું રહ્યા છો?'

બિહાર SIR કેસમાં, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા પર સવાલ ઉઠાવીને હોબાળો મચાવનારા રાજકીય પક્ષોએ હજુ સુધી કમિશનની ટીમ સમક્ષ એક પણ વાંધો નોંધાવ્યો નથી. જ્યારે રાજકીય પક્ષો પાસે 1 લાખ 61 હજાર બૂથ લેવલ એજન્ટો છે. એક BLA એક દિવસમાં 10 જેટલા વાંધા કે સૂચનો ચકાસી શકે છે અને સબમિટ કરી શકે છે. તેને કોઈ સમસ્યા કે સમયની અછત નથી. જ્યારે 1 ઓગસ્ટ પછી 2 લાખ 63 હજાર નવા મતદારોએ મતદાર યાદીમાં નોંધણી માટે અરજીઓ દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા આશ્ચર્યજનક છે. કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે BLA (બૂથ લેવલ એજન્ટ)ની નિમણૂક કર્યા પછી તેઓ શું કરી રહ્યા છે અને લોકો અને સ્થાનિક રાજકીય કાર્યકરો વચ્ચે આટલું અંતર કેમ છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, રાજકીય પક્ષોએ મતદારોને મદદ કરવા આગળ આવવું જોઈએ.

ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચ સમક્ષ ઘણી મહત્વપૂર્ણ દલીલો રજૂ કરી હતી. છેલ્લી સુનાવણીમાં, કોર્ટે ચૂંટણી પંચને 65 લાખ લોકોની યાદી જાહેર કરવા કહ્યું હતું, જેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નથી. પંચે યાદીમાં એ પણ જણાવવાનું હતું કે, તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં દાખલ ન કરવાનું કારણ શું છે.

Supreme-Court,-SIR-Issue1
navjivanindia.com

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું છે અને ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા લગભગ 65 લાખ લોકોની બૂથવાર યાદી વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ યાદીમાં નામ શામેલ ન કરવાના કારણો પણ જાહેર કરવામાં આવ્યા છે અને જિલ્લા સ્તરે વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. આ અગાઉ અમે BLAને પણ જાણ કરી હતી. તેને પંચાયત અને BDO ઓફિસમાં પોસ્ટ કરવા સૂચના આપવામાં આવી હતી. તે પણ કરી નાંખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ માહિતી આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, 65 લાખ લોકો ડિજિટલ રીતે પણ માહિતી મેળવી શકે છે અને આધાર કાર્ડ સબમિટ કરી શકે છે. હવે સુધારા માટે, લોકોએ અરજી સાથે ફોર્મ 6 દ્વારા દાવો કરવો પડશે.

કપિલ સિબ્બલે જણાવ્યું કે, તેઓ RJDના મનોજ ઝા વતી હાજર થઈ રહ્યા છે. અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, તેઓ 7 રાજકીય પક્ષો વતી હાજર થઈ રહ્યા છે. ચૂંટણી પંચના વકીલે કહ્યું કે, કોઈ પણ રાજકીય પક્ષે લેખિતમાં પોતાનો વાંધો રજૂ કર્યો નથી.

Supreme-Court,-SIR-Issue3
prabhatkhabar.com

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આ રાજકીય પક્ષોએ કેટલા BLA નિયુક્ત કર્યા. કમિશને કહ્યું કે, એક લાખ 61 હજાર. દ્વિવેદીએ કહ્યું કે એક તરફ, એક લાખ 61 હજાર બૂથ લેવલ એજન્ટોની નિમણૂક કરવા છતાં, એક પણ વાંધો દાખલ કરવામાં આવ્યો નથી. પરંતુ બીજી તરફ, રાજકીય પક્ષો ખૂબ અવાજ કરી રહ્યા છે. પરંતુ કમિશનને સહયોગ આપવામાં ઝીરો છે. રાજકીય પક્ષોને વિરોધ કરવાનો અધિકાર તો છે, પરંતુ તેમને આ સંદર્ભમાં સહકાર આપવો પડશે.

ચૂંટણી પંચના વકીલે કહ્યું કે, કોઈ પણ રાજકીય પક્ષે લેખિતમાં પોતાનો વાંધો રજૂ કર્યો નથી. રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, અરજી રાજકીય પક્ષો દ્વારા નહીં, સાંસદો દ્વારા દાખલ કરવામાં આવી છે. સિબ્બલે સ્પષ્ટતા કરી કે, તેઓ RJD સાંસદ મનોજ ઝાની અરજીમાં હાજર થઈ રહ્યા છે, પક્ષ દ્વારા નહીં.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું ભારતીય જનતા પાર્ટીએ પણ અરજી દાખલ કરી છે? સિબ્બલે કહ્યું કે આ અપેક્ષિત નથી! ચૂંટણી પંચે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી નામ ઉમેરવાનો દાવો દાખલ કરી શકે છે. તેમને બિહાર આવવાની જરૂર નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.