ચૂંટણી પંચનો નવો પ્લાન, વર્ષમાં માત્ર 2 વખત જ થશે પેટાચૂંટણી, દેશને શું ફાયદો થશે?

વારંવાર થતી સામાન્ય ચૂંટણીઓની સાથે દેશને હવે લગભગ દર મહિને થતી પેટાચૂંટણીઓથી પણ છુટકારો મળી શકે છે. રાજ્યો તરફથી સૂચનો મળ્યા બાદ વન નેશન-વન ઇલેક્શન પર રચાયેલી સંસદીય સમિતિએ હવે વર્ષમાં માત્ર 2 વાર પેટાચૂંટણીઓ કરાવવાની ભલામણનો સમાવેશ કરી લીધો છે. આ દરમિયાન, પેટાચૂંટણીઓ દર 6 મહિને માત્ર એક જ વખત થશે. સારી વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન પર અલગ અલગ મંતવ્યો ધરાવતા રાજ્યો પણ તેની સાથે સહમત થતા દેખાઈ રહ્યા છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની ખાલી બેઠકોને 6 મહિનાથી વધુ સમય માટે ખાલી રાખી શકાતી નથી.

એવામાં પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ એવી રીતે બનાવવામાં આવશે કે તેની જરૂરિયાત વર્ષમાં માત્ર બે વખત પડે. સમિતિ સાથે જોડાયેલા સભ્યોના મતે, આ મુદ્દો સૌપ્રથમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, જ્યારે સમિતિ દેશભરમાં બધી ચૂંટણીઓને એકસાથે કરાવવાની વાત કરી રહી છે, ત્યારે તેણે પેટાચૂંટણીઓને પણ તેના દાયરામાં લાવવી જોઈએ.

EC
ddnews.gov.in

ત્યારબાદ, આ સૂચન ઘણા અન્ય રાજ્યો અને કાયદાકીય નિષ્ણાતો દ્વારા પણ આપવામાં આવ્યું હતું. સમિતિ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મુદ્દાને હવે વન નેશન-વન ઇલેક્શનમાં મુખ્ય રીતે સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ, સમિતિ આ અંગે પોતાની ભલામણ પણ આપશે.

રિપોર્ટમાં શું છે

સમિતિ એ જણાવશે કે પેટાચૂંટણીઓની વર્તમાન સ્થિતિ શું છે. એક રિપોર્ટ અનુસાર, માત્ર  2024માં લગભગ 28 પેટાચૂંટણીઓ થઈ હતી. લોકસભા અને વિધાનસભા ઉપરાંત, તેમાં વિધાન પરિષદની ચૂંટણીઓ પણ સામેલ હતી. આ હિસાબે દેશમાં દર મહિને લગભગ 2 પેટાચૂંટણીઓ થઈ હતી. તો, 2025માં પણ 5 પેટાચૂંટણીઓ થઈ છે. તેમાં જાન્યુઆરીમાં તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ, ફેબ્રુઆરીમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશ. માર્ચમાં મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની, એપ્રિલમાં આંધ્રપ્રદેશ અને મે મહિનામાં ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીઓ થઈ છે.

EC
madrascourier.com

આ પહેલનો સૌથી મોટો ફાયદો એ થશે કે દેશ હંમેશા ચૂંટણી મોડમાં નહીં રહે. વર્તમાનમાં દર મહિને થનારી આ પેટાચૂંટણીઓને કારણે, ચૂંટણી પંચ, રાજ્ય સરકાર અને રાજકીય પક્ષો ચૂંટણીમાં ફસાયેલા રહે છે. તેનાથી તેમને પોતાને સશક્ત બનાવવાનો કે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સમય મળતો નથી. એવામાં, દર 6 મહિને માત્ર એક જ વાર પેટાચૂંટણીઓ થથી, હવે તેમને ચૂંટણી સિવાય કંઈક સારું કરવાનો સમય મળશે.

About The Author

Related Posts

Top News

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

ભારત સરકારે  રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના PI ચંદના સિંહાને મોટું સન્માન આપ્યું છે.જૂન 2024માં ચંદનાને 'ઓપરેશન...
National 
રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.