ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે. તાજેતરમાં જ, ‘ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યું.  ત્યારબાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી. એવામાં, મોટો સવાલ એ છે કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે? પાકિસ્તાનમાં લાંબા સમયા સુધી રાજદૂત રહેલા અને હાલના સમયમાં ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે તેનો એક ઉકેલ બતાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીર ને ભારતને સોંપી દે તો આખો મુદ્દો જ ઉકેલાઈ જશે.

જે.પી. સિંહે  અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો અમેરિકા તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરીને સોંપી શકે છે, તો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીરને કેમ નહીં સોંપી શકે? જો પાકિસ્તાન ભારતને સોંપી દે તો મામલો ખતમ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે, પરંતુ IWT ઓપરેશનલ છે. 

 

પાકિસ્તાનમાં અડ્ડા છે, એવું અમે કહી રહ્યા નથી. આ વાત તો પોતે પાકિસ્તાનનાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયાન BBCને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કબૂલી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઓપરેશન દરમિયાન મદદગાર તરીકે આતંકી ફંડિંગ કર્યું હતું. આ વાત હવે ખૂબ જૂની થઈ ચૂકી છે. જો આતંકી સંયુક્ત રાષ્ટ્રના ઘોષિત  છે, તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. તે હવે કોઈપણ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ નથી. ભારતમાં થયેલા હુમલા તેમનું કોઈ લેવું-દેવું નથી.

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.