ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે. તાજેતરમાં જ, ‘ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યું.  ત્યારબાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી. એવામાં, મોટો સવાલ એ છે કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે? પાકિસ્તાનમાં લાંબા સમયા સુધી રાજદૂત રહેલા અને હાલના સમયમાં ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે તેનો એક ઉકેલ બતાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીર ને ભારતને સોંપી દે તો આખો મુદ્દો જ ઉકેલાઈ જશે.

જે.પી. સિંહે  અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો અમેરિકા તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરીને સોંપી શકે છે, તો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીરને કેમ નહીં સોંપી શકે? જો પાકિસ્તાન ભારતને સોંપી દે તો મામલો ખતમ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે, પરંતુ IWT ઓપરેશનલ છે. 

 

પાકિસ્તાનમાં અડ્ડા છે, એવું અમે કહી રહ્યા નથી. આ વાત તો પોતે પાકિસ્તાનનાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયાન BBCને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કબૂલી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઓપરેશન દરમિયાન મદદગાર તરીકે આતંકી ફંડિંગ કર્યું હતું. આ વાત હવે ખૂબ જૂની થઈ ચૂકી છે. જો આતંકી સંયુક્ત રાષ્ટ્રના ઘોષિત  છે, તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. તે હવે કોઈપણ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ નથી. ભારતમાં થયેલા હુમલા તેમનું કોઈ લેવું-દેવું નથી.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.