જૌનપુર: રૂ. 42 કરોડની કિંમતની કોડીન સીરપ જપ્ત

કોડીન સીરપ, એક ઉધરસની દવા, જે આરોગ્ય માટે ખતરનાક છે. આવી જ બીજી દવા, કોલ્ડ્રિફ, દેશમાં ઘણા બાળકોના જીવ લઈ ચૂકી છે. તેમ છતાં, આવી દવાઓ બજારમાં બેધડક વેચાઈ રહી છે અને નશા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશમાં કોડીન-યુક્ત કફ સીરપનું ગેરકાયદેસર દાણચોરીનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, અને હવે જૌનપુરમાં શુભમ જયસ્વાલ સિન્ડિકેટનું નામ સામે આવ્યું છે. વારાણસી, સોનભદ્ર અને ગાઝિયાબાદમાં કાર્યવાહી પછી, જૌનપુર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લામાં કોડીન-યુક્ત કફ સીરપનો મોટો જથ્થો જપ્ત કરીને ખળભળાટ મચાવ્યો છે.

Jaunpur Drug Mafia
up.punjabkesari.in

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડની રાજધાની રાંચીથી કાર્યરત શૈલી એન્ટરપ્રાઇઝ દ્વારા કરોડો રૂપિયાની કોડીન સીરપ જૌનપુરના 12 ફાર્મોમાં સપ્લાય કરવામાં આવી રહી હતી. શૈલી એન્ટરપ્રાઇઝ શુભમ જયસ્વાલના પિતા ભોલા પ્રસાદના નામે નોંધાયેલ છે અને તપાસમાં બહાર આવ્યું છે કે, ગેરકાયદેસર કોડીન સીરપની દાણચોરીનું આખું નેટવર્ક આ ફાર્મ દ્વારા સ્થાપિત થયું હતું.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની એક ટીમે જૌનપુરમાં દરોડા પાડીને કોડીન યુક્ત કફ સિરપની 189,000 બોટલ જપ્ત કરી, જેની કિંમત રૂ. 42 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. આ અત્યાર સુધીની સૌથી મોટી રિકવરીમાંથી એક છે. અધિકારીઓનું કહેવું છે કે, આ ગેરકાયદેસર વેપારના મૂળ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, નેપાળ અને બાંગ્લાદેશ સુધી ફેલાયેલા છે.

Jaunpur Drug Mafia
zeenews.india.com

તપાસ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, જૌનપુરમાં 12 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ શૈલી એન્ટરપ્રાઇઝ પાસેથી લાખો બોટલ ખરીદી હતી અને તેના બદલે તેમને રોકડમાં ચૂકવણી પણ કરવામાં આવી હતી. ડ્રગ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે, શૈલી એન્ટરપ્રાઇઝ અને 12 અન્ય કંપનીઓ સામે જૌનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ કેસમાં વધુ કાર્યવાહી અને સંભવિત ધરપકડની સંભાવના દેખાઈ રહી છે.

Jaunpur Drug Mafia
starsamachar.com

સૂત્રો અનુસાર, શુભમ જયસ્વાલ આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે, જેના સિન્ડિકેટએ દવા બજારમાં લાખો રૂપિયા કમાવવા માટે કોડીન કફ સિરપના સપ્લાયનો ઉપયોગ કર્યો હતો. તપાસ એજન્સીઓ હવે નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે નાણાકીય ટ્રેઇલ અને બેંક ખાતાઓની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.