બાપ બિહારમાં મૌલવી, દીકરો UPમાં પૂજારી... કાસિમ કૃષ્ણ બનીને શિવ મંદિરમાં પૂજા કરાવતો

ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, બિહારના એક મૌલવીનો પુત્ર મોહમ્મદ કાસિમ મંદિરમાં રહેતો હતો અને પોતાને કૃષ્ણ ગણાવીને પૂજા કરાવતો હતો. એક વર્ષથી પોતાની ઓળખ છુપાવીને મંદિરમાં રહેતા આ યુવકનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે મંદિર પરિસરમાં આવેલા કેટલાક લોકોને તેના પર શંકા ગઈ. પૂછપરછ દરમિયાન, તેણે સત્ય સ્વીકાર્યું. ત્યારપછી પોલીસે તેની ધરપકડ કરી.

જ્યારે કેટલાક ગ્રામજનોને તેના વર્તન પર શંકા ગઈ, ત્યારે તેની પાસેથી ઓળખ માટે તેનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું, પછી તે પહેલા તો બહાના બનાવવા લાગ્યો. પછી તે થોડા સમય માટે ગામમાંથી ગાયબ થઈ ગયો. ત્યાર પછી, તે અચાનક મંદિરમાં પાછો આવ્યો અને ત્યાં રહેવા લાગ્યો. આ સમય દરમિયાન, લોકોને ફરી એકવાર તેના વર્તન પર શંકા ગઈ અને આખરે તેની વાસ્તવિકતા સામે આવી.

Qasim Priest
indiatv.in

હકીકતમાં, મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના દાદરી ગામમાં સ્થિત એક પ્રાચીન શિવ મંદિરમાં લાંબા સમયથી પૂજારી નહોતા. એક વર્ષ પહેલા, એક યુવક ગામમાં પહોંચ્યો અને દિલ્હીના રહેવાસી કૃષ્ણ પુત્ર સંતોષ તરીકે પોતાનો પરિચય આપીને મંદિરમાં રહેવાની પરવાનગી માંગી. ગામલોકોને કોઈ વાંધો નહોતો, કારણ કે મંદિરની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તેમણે તે યુવકને પરવાનગી આપી. કૃષ્ણ તરીકે ઓળખાતા આ યુવકે માત્ર મંદિરમાં રહીને પૂજા કરવાનું શરૂ કર્યું નહીં, પરંતુ ધીમે ધીમે સ્થાનિક ગ્રામજનોનો વિશ્વાસ પણ મેળવ્યો. તે સવાર-સાંજ પૂજા, પ્રસાદ વિતરણ, હવન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. આ ઉપરાંત, તે હસ્તરેખા અને જ્યોતિષશાસ્ત્ર વિશે પણ વાત કરવા લાગ્યો, જેના કારણે ગામલોકો તેને ધાર્મિક ગુરુની જેમ માનવા લાગ્યા.

Qasim Priest
indiatv.in

થોડા સમય પછી, ગામના કેટલાક લોકોએ તેની ભાષા, વર્તન અને વ્યક્તિત્વમાં કંઈક અલગ જોયું. જ્યારે તેની પાસે તેનું ઓળખપત્ર માંગવામાં આવ્યું, ત્યારે તે છટકી ગયો અને આધાર કાર્ડ લાવવાના બહાને 15 દિવસ સુધી ગાયબ રહ્યો. તેનાથી ગામલોકોની શંકા વધુ ઘેરી બની. ઘણા દિવસો પછી, તે ફરીથી મંદિરમાં આવ્યો અને રહેવા લાગ્યો. થોડા દિવસો પછી, જ્યારે મંદિરમાં ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તે ત્યાં પણ પહોંચ્યો અને મંદિરના એક ઓરડામાંથી કેટલીક વસ્તુઓ કાઢવા લાગ્યો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક ગ્રામજનોએ તેને રોક્યો અને તેની પૂછપરછ શરૂ કરી. મામલો એટલો વધી ગયો કે કેટલાક લોકોએ તેને પકડી લીધો અને પોલીસને ફોન કર્યો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની કડક પૂછપરછ કરી. શરૂઆતની પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમ્મદ કાસિમ જણાવ્યું અને સ્વીકાર્યું કે તે મૂળ બિહારનો છે. એટલું જ નહીં, તેણે એ પણ સ્વીકાર્યું કે તેના પિતાનું નામ અબ્બાસ છે, જે બિહારમાં મૌલવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાસિમ ઘણા મહિનાઓથી મંદિરમાં રહેતો હતો અને દાનની રકમનો ઉપયોગ પોતાના અંગત ઉપયોગ માટે પણ કરી રહ્યો હતો.

Qasim Priest
indiatv.in

SP સિટી મેરઠ આયુષ વિક્રમ સિંહે જણાવ્યું કે, થાણા દૌરાલા વિસ્તારમાં આવેલા એક મંદિરમાંથી માહિતી મળી હતી કે, એક વ્યક્તિ પોતાને હિન્દુ ગણાવીને પૂજારી તરીકે રહે છે. સ્થળ પર પહોંચ્યા પછી પૂછપરછ કરવામાં આવી ત્યારે તે વ્યક્તિની ઓળખ મોહમ્મદ કાસિમ તરીકે થઈ, જે બિહારનો રહેવાસી છે. તેણે પોતાનું નામ બદલીને કૃષ્ણ રાખ્યું હતું અને મંદિરમાં રહીને પૂજાના નામે દાન પણ એકત્રિત કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મંદિરમાંથી દાનમાં મળેલી રકમનો દુરુપયોગ કરવા અને ધાર્મિક ઓળખ છુપાવીને આસ્થા સાથે રમત કરવાના આરોપસર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Qasim Priest
navbharattimes.indiatimes.com

પોલીસે આરોપીના દાવાઓની ચકાસણી કરવા માટે બિહાર પોલીસનો સંપર્ક કર્યો છે અને તેના રહેઠાણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, શું આ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે વ્યક્તિગત લાભ માટે કરવામાં આવેલી છેતરપિંડી. SP સિટીએ સ્પષ્ટતા કરી છે કે, જો આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી જોવા મળશે અથવા જો કોઈ સંગઠિત પ્રયાસ જોવા મળશે, તો તે દિશામાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.