બહુમત નહીં તો LGના હાથમાં સત્તાની ચાવી? BJPથી વધારે પરેશાન કોંગ્રેસ, NC, PDP...

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરે આવવાનું છે, પરંતુ એ જનાદેશમાં માત્ર જનતાના વૉટ સામેલ નથી, વાસ્તવમાં સત્તાની ચાવી તો ઉપરાજ્યપાલના હાથમાં છે. આ એક એવું પહેલું છે જેણે નેશનલ કોંગ્રેસ (NC), કોંગ્રેસ અને PDPને ખૂબ પરેશાન કરી દીધી છે. વાસ્તવમાં 5 ધારાસભ પસંદ કરવાનું કામ ઉપરાજ્યપાલે પણ કરવાનું છે એટલે કે 90 સીટોવાળી વિધાનસભાની સંખ્યા 95 થઈ જવાની છે.

5 ધારાસભ્યોવાળો વિવાદ શું છે?

આ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બહુમતનો આંકડો 48 સીટો સુધી વધી જશે. હવે કોંગ્રેસ, NC તેને સંવિધાન વિરુદ્ધ બતાવી રહી છે. તેમના જણાવ્યા મુજબ જે પણ સરકાર બનશે, તેમની પાસે મંતવ્ય લીધા બાદ જ ઉપરાજ્યપાલે આ નિર્ણય લેવો જોઈએ, પરંતુ બીજી તરફ ભાજપનો તર્ક છે કે, નિયમો મુજબ જ બધુ થઈ રહ્યું છે. હવે સમજવા જેવી વાત એ છે કે કલમ 370 હટ્યા બાદ જ કેન્દ્ર દ્વારા ઉપરાજ્યપાલેને એક તાકત આપવામાં આવી હતી. એ તાકત હેઠળ 5 ધારાસભ્યોને નોમિનેટ કરવાની જવાબદારી ઉપરાજ્યપાલ પાસે છે.

જમ્મુ-કાશ્મીરની પાર્ટીઓ કેમ પરેશાન?

આ 5 ધારાસભ્યોમાં 2 મહિલાઓ, 2 કાશ્મીરી પંડિત અને એક PoKના નેતાને સામેલ કરવામાં આવશે. વોટિંગથી લઈને બીજા બધા અધિકાર આ ધારાસભ્યો પાસે પણ રહેશે. હવે સ્થાનિક પાર્ટીઓનો આરોપ છે કે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી રહી નથી. તેમને સમજ પડી રહી નથી કે બહુમત 48 સીટો પર મળશે કે પછી 46 સીટો પર. કેટલીક પાર્ટીઓનું તો અહી સુધી કહેવું છે કે જે પ્રકારે વર્ષ 1987માં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં મોટા સ્તર પર હેરાફેરી થઈ હતી, હવે ફરી એવો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?

શું ભાજપ જમ્મુ-કાશ્મીરમાં ખેલ કરશે?

નેશનલ કોન્ફરન્સના નેતા તો માની રહ્યા છે કે જો 5 ધારાસભ્યોને નોમિનેટ કરવામાં આવે છે તો એ તાકત રાજ્ય સરકાર પાસે હોવી જોઈએ; એટલે કે જ્યા સુધી સરકાર બની જતી નથી, ઉપરાજ્યપાલ કોઈ પણ એવો નિર્ણય નહીં લઈ શકે. એ સંવિધાન વિરુદ્ધ હશે. તર્ક તો અહી સુધીનો આપવામાં આવી રહ્યો છે કે એવો નિર્ણય કોઈ લઘુમતી પાર્ટીને બહુમતના આંકડા સુધી પહોંચાડી શકે છે. તો કોઈ બહુમતિવાળી પાર્ટીને લઘુમતમાં લાવી શકે છે. અત્યાર સુધી ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ બધી પાર્ટીઓની ચિંતા જરૂર વધી ચૂકી છે.

About The Author

Related Posts

Top News

એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ કેમ થયું? એ કયા કારણો હતા જેના કારણે અમદાવાદથી ફ્લાઇટ પૂર્ણ ન થઈ શકી? આ...
Gujarat 
 એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.