દીકરીના પ્રેમ લગ્નથી હતાશ થઇને માતા પિતાએ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવ્યું

દીકરીએ કોઇ અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખૂબ સમજાવી, પણ દીકરી પાછી આવવા માટે રાજી ન થઇ. પરેશાન માતા પિતાએ પહેલા તો પોતાના દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં જતી બસમાં બેસાડ્યો. ત્યાર બાદ બન્નેએ ટ્રેનની આગળ કૂદીને જીવ આપી દીધો. પોલીસને દંપત્તી પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં દીકરીને પરેશાન ન કરવાની વાત કરી છે. ઘટના રાજસ્થાનના પાલીની છે.

પાલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અશોક અને તેમની પત્ની મીનાએ આત્મહત્યા કરી છે. સામે આવ્યું છે કે, અશોકની દીકરી અન્ય જાતીના યુવકને પ્રેમ કરતી હતી. દીકરીએ પરિવારની મરજી વગર યુવક સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારે આ વાત ઘરવાળાને ખબર પડી ત્યારે હલચલ મચી ગઇ.

અશોકે દીકરીને ખૂબ સમજાવી, પણ તે ન માની. કેસમાં પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની સામે પણ અશોકની દીકરીએ પોતાના પતિ સાથે જ રહેવાની વાત કરી હતી. પોલીસે તેમ છતાં તેને પતિ સાથે મોકલી દીધી હતી. ઘરમાં કંકાસને કારણે અશોકનો દિકરો ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. દીકરીના આ પગલાથી સમાજમાં થઇ રહેલી બદનામીનો અશોક અને તેનો પરિવાર સામનો નહોતો કરી શકતો.

મંગળવારે સવારે અશોક પોતાની પત્ની અને દિકરા સાથે ઘરની બહાર નીકળ્યો. દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં મોકલ્યો. ત્યાર બાદ અશોક પોતાની પત્ની મીના સાથે જોધપુર રોડ સ્થિત ઘુમટી પાસે પહોંચ્યો. ત્યાંથી નીકળીને રેલવે લાઇન પર પહોંચીને જોધપુર – રતલામ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી. ટ્રેન થોભી ગઇ. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે અશોક અને મીનાના મૃતદેહના ટુકડાને ભેગા કર્યા અને બાંગડ હોસ્પિટલમાં મોર્ચરીમાં મોકલાવ્યા. લગભગ એક કલાક સુધી ટ્રેન ત્યાં જ ઉભી રહી.

પોલીસને અશોક પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં લખ્યું હતું કે, મારી દીકરીએ અન્ય જાતીના છોકરા સાથે લવ મેરિજ કર્યા છે, તેનાથી હું, મારી પત્ની અને દિકરો ઘણા દુખી છીએ. દીકરીના આ પગલાથી આહત થઇને અમે પતિ પત્ની આ પગલું લઇ રહ્યાં છીએ. અમારો દિકરો ગૌરવ ખુબ લાયક છે, તેને ઇશ્વર ખૂબ આગળ વધારે, મારા ભાઇ ભાભી અને સાળા સાળી પાસે આશા રાખુ છું કે, તેઓ મારા દિકરાનું ધ્યાન રાખે, અમારા આશિર્વાદ હંમેશા તેની સાથે રહેશે, પોલીસ પ્રશાસન તેને હેરાન ન કરે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.