રાહુલ ગાંધી સામે હાઇ કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો, જાણો આખો મામલો

રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'ખિસ્સાકાતરું' ગણાવતા તેમના નિવેદન માટે આકરા પ્રહારો કર્યા છે. આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને રાહુલ ગાંધી વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહનની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, જો કે કથિત નિવેદનો યોગ્ય નથી, ચૂંટણી પંચે આ મામલે તપાસ કરવી જોઈએ અને આ સંદર્ભમાં રાહુલ ગાંધીને નોટિસ પણ આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આદેશ આપ્યો હતો કે, 'જવાબ દાખલ કરવાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને કોઈ જવાબ મળ્યો નથી, તે ધ્યાનમાં લેતા, કોર્ટ ચૂંટણી પંચને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કરે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, કોર્ટે કહ્યું કે 23 નવેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં ખુદ ચૂંટણી પંચે કહ્યું હતું કે, તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. પીટીશનર ભરત નાગરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 22 નવેમ્બરે રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી સહિત સર્વોચ્ચ સરકારી હોદ્દા ધરાવતા વ્યક્તિઓ પર ઘૃણાસ્પદ આક્ષેપો કરતું ભાષણ આપ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીને 'ખિસ્સાકાતરું' કહ્યા હતા.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'PM એટલે પનોતી મોદી. પમ નરેન્દ્ર મોદી TV પર આવે છે અને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચમાં જાય છે, એ અલગ વાત છે કે તે મેચ હરાવી દીધી. PM નરેન્દ્ર મોદીનું કામ તમારું ધ્યાન આમ તેમ ભટકાવવાનું છે. આવા જ બે 'ખિસ્સાકાતરું' હોય છે, એક આવે છે, તમારી સામે તમારી સાથે વાત કરે છે, તમારું ધ્યાન ભટકાવે છે, ત્યાં સુધી કોઈ બીજું તમારું ખિસ્સું પાછળથી કાપીને ભાગી જાય છે.' અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હારને લઈને PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી, આ દરમિયાન PM નરેન્દ્ર મોદી પણ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Related Posts

Top News

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.