યોદ્ધો છું લડતો રહીશ, રાજીનામાના સમાચારોનું CM સુખવિન્દર સિંહ સુખૂએ કર્યું ખંડન

હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોનાં બળવા બાદ મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખૂએ સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર પૂરા 5 વર્ષ ચાલશે અને તેમણે રાજીનામું આપ્યું નથી. તેમણે મીડિયામાં ચાલી રહેલા રાજીનામાના સમાચારોનું ખંડન કરતા કહ્યું કે, તેઓ યોદ્ધા છે અને યુદ્ધની જેમ લડતા રહેશે. સુખવિન્દર સિંહ સુખૂએ એવો પણ દાવો કર્યો કે તેમની સરકારને બહુમત મળેલું છે અને ભાજપના કેટલાક ધારાસભ્ય પણ સંપર્કમાં છે. રાજીનામાના સમાચારો વચ્ચે મીડિયા સામે આવીને સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, સામન્ય વ્યક્તિની સરકાર છે.

ભાજપ જે પ્રકારનું વર્તન કરી રહી છે તે ઉચિત નથી. અમારી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે. રાજ્યસભાની ચૂંટણી બાદ જે પરિસ્થિતિ છે, ત્યારબાદ પણ આમારી પાસે બહુમત છે. તેમના (ભાજપના) કેટલાક ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે. ભાજપ સારું નાટક કરી રહી છે. તેમને સમજ ન પડી કે રાજીનામાના સમાચાર કેવી રીતે આવ્યા. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસના એક ધારાસભ્યને કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તો તેમણે બહાર આવીને સ્થિતિ સ્પષ્ટ કરી.

સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, અમે યોદ્ધા છીએ, યુદ્ધની જેમ લડીએ છીએ. અમે જીતીશું. મેં કોઈ રાજીનામું આપ્યું નથી. સરકાર 5 વર્ષ ચાલશે. હું ગભરાઈ જનાર વ્યક્તિ નથી. હું દાવા સાથે કહી શકું છું કે બજેટ માટે જે વોટિંગ થશે, તેમાં અમારી જીત થશે. રાજીનામાની અફવા ભાજપ ફેલાવી રહી છે. તેઓ વિચારી રહ્યા હશે કે તેનાથી કોંગ્રેસમાં અફરાતફરી મચી જશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એકજૂથ છે, જે નાની મોટી ફરિયાદો છે એ દૂર થઈ જશે. હિમાચલ પ્રદેશમાં સરકાર પર સંકટ મંગળવારે એ સમયે ઊભું થઈ ગયું, જ્યારે 40 ધારાસભ્યોવાળી કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી હારી ગયા.

6 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના હકમાં વોટિંગ કરીને ભગવા પાર્ટીના ઉમેદવાર હર્ષ મહાજનને જીતાડી દીધા. રહેલી કસર વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યના રાજીનામાએ પૂરી કરી દીધી. તેમણે પોતાના પિતા, પોતાના અને ધારાસભ્યોના અપમાનનો આરોપ લગાવતા પદ છોડી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમાદિત્ય સિંહે પણ કોંગ્રેસ હાઇકમાન સામે પોતાની વાત રાખી દીધી છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, હવે બધુ હાઇકમાનના પરિણામ પર નિર્ભર કરે છે. બળવો કરનારા ધારાસભ્ય વીરભદ્રના સમર્થક બતાવવામાં આવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, બળવાખોર ધારાસભ્ય નવા મુખ્યમંત્રી તરીકે વિક્રમાદિત્યનું નામ આગળ કરી શકે છે. કોંગ્રેસમાં ઉત્પન્ન સંકટને જોતા ભાજપ પણ એક્ટિવ છે. કોંગ્રેસની ફૂટનો ફાયદો ઊઠવાતા ભાજપ સરકાર બનાવવાના વિકલ્પોની પણ શોધ કરી રહી છે. ધારાસભ્ય દળના નેતા જયરામ ઠાકુર સતત બહુમત પરીક્ષણની માગ કરી રહ્યા છે. જો કે, બજેટ અગાઉ બુધવારે સ્પીકરે ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેને લઈને વિધાનસભામાં જોરદાર હોબાળો જોવા મળ્યો.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.