યોદ્ધો છું લડતો રહીશ, રાજીનામાના સમાચારોનું CM સુખવિન્દર સિંહ સુખૂએ કર્યું ખંડન

હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોનાં બળવા બાદ મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખૂએ સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર પૂરા 5 વર્ષ ચાલશે અને તેમણે રાજીનામું આપ્યું નથી. તેમણે મીડિયામાં ચાલી રહેલા રાજીનામાના સમાચારોનું ખંડન કરતા કહ્યું કે, તેઓ યોદ્ધા છે અને યુદ્ધની જેમ લડતા રહેશે. સુખવિન્દર સિંહ સુખૂએ એવો પણ દાવો કર્યો કે તેમની સરકારને બહુમત મળેલું છે અને ભાજપના કેટલાક ધારાસભ્ય પણ સંપર્કમાં છે. રાજીનામાના સમાચારો વચ્ચે મીડિયા સામે આવીને સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, સામન્ય વ્યક્તિની સરકાર છે.

ભાજપ જે પ્રકારનું વર્તન કરી રહી છે તે ઉચિત નથી. અમારી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે. રાજ્યસભાની ચૂંટણી બાદ જે પરિસ્થિતિ છે, ત્યારબાદ પણ આમારી પાસે બહુમત છે. તેમના (ભાજપના) કેટલાક ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે. ભાજપ સારું નાટક કરી રહી છે. તેમને સમજ ન પડી કે રાજીનામાના સમાચાર કેવી રીતે આવ્યા. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસના એક ધારાસભ્યને કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તો તેમણે બહાર આવીને સ્થિતિ સ્પષ્ટ કરી.

સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, અમે યોદ્ધા છીએ, યુદ્ધની જેમ લડીએ છીએ. અમે જીતીશું. મેં કોઈ રાજીનામું આપ્યું નથી. સરકાર 5 વર્ષ ચાલશે. હું ગભરાઈ જનાર વ્યક્તિ નથી. હું દાવા સાથે કહી શકું છું કે બજેટ માટે જે વોટિંગ થશે, તેમાં અમારી જીત થશે. રાજીનામાની અફવા ભાજપ ફેલાવી રહી છે. તેઓ વિચારી રહ્યા હશે કે તેનાથી કોંગ્રેસમાં અફરાતફરી મચી જશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એકજૂથ છે, જે નાની મોટી ફરિયાદો છે એ દૂર થઈ જશે. હિમાચલ પ્રદેશમાં સરકાર પર સંકટ મંગળવારે એ સમયે ઊભું થઈ ગયું, જ્યારે 40 ધારાસભ્યોવાળી કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી હારી ગયા.

6 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના હકમાં વોટિંગ કરીને ભગવા પાર્ટીના ઉમેદવાર હર્ષ મહાજનને જીતાડી દીધા. રહેલી કસર વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યના રાજીનામાએ પૂરી કરી દીધી. તેમણે પોતાના પિતા, પોતાના અને ધારાસભ્યોના અપમાનનો આરોપ લગાવતા પદ છોડી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમાદિત્ય સિંહે પણ કોંગ્રેસ હાઇકમાન સામે પોતાની વાત રાખી દીધી છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, હવે બધુ હાઇકમાનના પરિણામ પર નિર્ભર કરે છે. બળવો કરનારા ધારાસભ્ય વીરભદ્રના સમર્થક બતાવવામાં આવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, બળવાખોર ધારાસભ્ય નવા મુખ્યમંત્રી તરીકે વિક્રમાદિત્યનું નામ આગળ કરી શકે છે. કોંગ્રેસમાં ઉત્પન્ન સંકટને જોતા ભાજપ પણ એક્ટિવ છે. કોંગ્રેસની ફૂટનો ફાયદો ઊઠવાતા ભાજપ સરકાર બનાવવાના વિકલ્પોની પણ શોધ કરી રહી છે. ધારાસભ્ય દળના નેતા જયરામ ઠાકુર સતત બહુમત પરીક્ષણની માગ કરી રહ્યા છે. જો કે, બજેટ અગાઉ બુધવારે સ્પીકરે ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેને લઈને વિધાનસભામાં જોરદાર હોબાળો જોવા મળ્યો.

About The Author

Related Posts

Top News

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.