યોદ્ધો છું લડતો રહીશ, રાજીનામાના સમાચારોનું CM સુખવિન્દર સિંહ સુખૂએ કર્યું ખંડન

હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોનાં બળવા બાદ મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખૂએ સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર પૂરા 5 વર્ષ ચાલશે અને તેમણે રાજીનામું આપ્યું નથી. તેમણે મીડિયામાં ચાલી રહેલા રાજીનામાના સમાચારોનું ખંડન કરતા કહ્યું કે, તેઓ યોદ્ધા છે અને યુદ્ધની જેમ લડતા રહેશે. સુખવિન્દર સિંહ સુખૂએ એવો પણ દાવો કર્યો કે તેમની સરકારને બહુમત મળેલું છે અને ભાજપના કેટલાક ધારાસભ્ય પણ સંપર્કમાં છે. રાજીનામાના સમાચારો વચ્ચે મીડિયા સામે આવીને સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, સામન્ય વ્યક્તિની સરકાર છે.

ભાજપ જે પ્રકારનું વર્તન કરી રહી છે તે ઉચિત નથી. અમારી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે. રાજ્યસભાની ચૂંટણી બાદ જે પરિસ્થિતિ છે, ત્યારબાદ પણ આમારી પાસે બહુમત છે. તેમના (ભાજપના) કેટલાક ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે. ભાજપ સારું નાટક કરી રહી છે. તેમને સમજ ન પડી કે રાજીનામાના સમાચાર કેવી રીતે આવ્યા. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસના એક ધારાસભ્યને કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તો તેમણે બહાર આવીને સ્થિતિ સ્પષ્ટ કરી.

સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, અમે યોદ્ધા છીએ, યુદ્ધની જેમ લડીએ છીએ. અમે જીતીશું. મેં કોઈ રાજીનામું આપ્યું નથી. સરકાર 5 વર્ષ ચાલશે. હું ગભરાઈ જનાર વ્યક્તિ નથી. હું દાવા સાથે કહી શકું છું કે બજેટ માટે જે વોટિંગ થશે, તેમાં અમારી જીત થશે. રાજીનામાની અફવા ભાજપ ફેલાવી રહી છે. તેઓ વિચારી રહ્યા હશે કે તેનાથી કોંગ્રેસમાં અફરાતફરી મચી જશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એકજૂથ છે, જે નાની મોટી ફરિયાદો છે એ દૂર થઈ જશે. હિમાચલ પ્રદેશમાં સરકાર પર સંકટ મંગળવારે એ સમયે ઊભું થઈ ગયું, જ્યારે 40 ધારાસભ્યોવાળી કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી હારી ગયા.

6 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના હકમાં વોટિંગ કરીને ભગવા પાર્ટીના ઉમેદવાર હર્ષ મહાજનને જીતાડી દીધા. રહેલી કસર વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યના રાજીનામાએ પૂરી કરી દીધી. તેમણે પોતાના પિતા, પોતાના અને ધારાસભ્યોના અપમાનનો આરોપ લગાવતા પદ છોડી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમાદિત્ય સિંહે પણ કોંગ્રેસ હાઇકમાન સામે પોતાની વાત રાખી દીધી છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, હવે બધુ હાઇકમાનના પરિણામ પર નિર્ભર કરે છે. બળવો કરનારા ધારાસભ્ય વીરભદ્રના સમર્થક બતાવવામાં આવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, બળવાખોર ધારાસભ્ય નવા મુખ્યમંત્રી તરીકે વિક્રમાદિત્યનું નામ આગળ કરી શકે છે. કોંગ્રેસમાં ઉત્પન્ન સંકટને જોતા ભાજપ પણ એક્ટિવ છે. કોંગ્રેસની ફૂટનો ફાયદો ઊઠવાતા ભાજપ સરકાર બનાવવાના વિકલ્પોની પણ શોધ કરી રહી છે. ધારાસભ્ય દળના નેતા જયરામ ઠાકુર સતત બહુમત પરીક્ષણની માગ કરી રહ્યા છે. જો કે, બજેટ અગાઉ બુધવારે સ્પીકરે ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેને લઈને વિધાનસભામાં જોરદાર હોબાળો જોવા મળ્યો.

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.