‘આ શશિ થરૂરનું અપમાન’, હાઈકમાન પર કેમ ગુસ્સે થયા કોંગ્રેસ નેતા? જાણો શું છે આખો મામલો

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસેથી ઓલ પાર્ટી ડેલિગેશન માટે નેતાઓના નામના સૂચન માગ્યા હતા. કોંગ્રેસે 4 નામ આપ્યા હતા- આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નસીર હુસૈન અને રાજા બરારના આપ્યા હતા. જોકે, લિસ્ટમાં તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ ન હોવા છતા, કેન્દ્ર સરકારે તેમને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યા. પાર્ટી હાઇકમાન્ડના નિર્ણય પર કોંગ્રેસના નેતાએ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

shashi-tharoor1
hindustantimes.com

કોંગ્રેસ નેતા કે સુધાકરને, શશિ થરૂરના નામને લિસ્ટમાં ન સામેલ કરવાના હાઇકમાન્ડના નિર્ણય પર હેરાની વ્યક્ત કરી. તેમણે તેને થરૂરનું અપમાન ગણાવ્યું. સુધાકરનનું કહેવું છે કે શશિ થરૂર એક સક્ષમ નેતા અને પાર્ટીના વફાદાર સભ્ય છે. એટલે તેમને આ રીતે અલગ-થલગ કરવા યોગ્ય નથી. મીડિયા રિપોર્ટ મુજબ, સુધાકરને થરૂરના પાર્ટી છોડવાની અફવાઓને પણ ખોટી ગણાવી છે. સુધાકરને કહ્યું કે તેમણે થરૂર સાથે વાત કરી છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ પાર્ટી નહીં છોડે. તેમણે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના પ્રમુખ પદ પરથી હટાવવા પર  રાહત અનુભવવાની વાત કરતા કહ્યું કે તેઓ પક્ષ પ્રત્યે વફાદાર રહેશે. તેઓ ચૂંટણી સંબંધિત કાર્યોમાં સક્રિય રૂપે ભાગ લેશે અને બૂથ સ્તરે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરશે.

shashi-tharoor
hindustantimes.com

 

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે વિદેશ જઈ રહેલા ઓલ પાર્ટી ડેલિગેશનમાં સભ્યોની પસંદગી પોતાના દમ પર કરી છે. તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એક પ્રતિનિધિમંડળની આગેવાની કરી રહ્યા છે. પરંતુ તેમના નામ પર પોતે તેમની કોંગ્રેસ પાર્ટીએ જ ન માત્ર આપત્તિ દર્શાવી, પરંતુ પોતાની તરફથી અલગ નામ પણ મોકલી દીધા. કોંગ્રેસની આ લિસ્ટમાં થરૂરનું નામ નહોતું. તો સરકારની આ લિસ્ટમાં, આનંદ શર્મા એકમાત્ર કોંગ્રેસ નેતા હતા જેમને કોંગ્રેસની લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ તરફથી થરૂર બાબતે એવી ટિપ્પણી પણ કરવામાં આવી હતી કે કોઈનું કોંગ્રેસમાં હોવું અને કોંગ્રેસનું હોવુંવચ્ચે તફાવત છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.