હિંદુ મહાસભાના સભ્યોએ મુસ્લિમ યુવકોને ફસાવવા ગાય કાપેલી: UP પોલિસ

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં રામનવમી પર ગૌહત્યાની ઘટના બની અને ગૌમાંસ પકડાયું હતું. આ સંબંધમાં અખિલ ભારત હિંદુ મહાસભાના સભ્યોએ કેટલાંક મુસ્લિમ યુવકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી અને કોલ રેકોર્ડસ ચેક કર્યા ત્યારે ખબર પડી કે આરોપીઓ તો એક મહિનાથી ઘટના સ્થળે ગયા જ નહોતા.આગ્રા જિલ્લાંમાં રામનવમીના દિવસે ગૌહત્યા કરીને માહોલ બગાડવાની કોશિશનો પોલિસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કહ્યુ કે આ ષડયંત્ર અખિલ ભારત હિંદુ મહાસભાના પદાધિકારીઓએ રચ્યું હતું.

અમર ઉજાલામાં છપાયેલા અહેવાલ મુજબ પોલીસે મુખ્ય આરોપી તરીકે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટનું નામ લીધું છે. તેમના કહેવા પ્રમાણે, આ ષડયંત્ર કેટલાક મુસ્લિમ યુવકોને ફસાવવા માટે ઘડવામાં આવ્યું હતું, જેમની સાથે તેમની જૂની દુશ્મની હતી.આ મામલે હિન્દુ મહાસભાના ચાર પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

 ઉત્તર પ્રદેશમાં એક કડક ગૌહત્યા વિરોધી કાનૂન છે, જેમાં આ ગુના માટે વધારેમાં વધારે 10 વર્ષની સશ્રમ જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ હોય છે.

રિપોર્ટ મુજબ રામનવમીના દિવસે ગૌહત્યાની ઘટના બની હતી અને ગૌમાંસ પકડાયું હતું. અખિલ ભારત હિંદુ મહાસભાના પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહાસભાના પદાધિકારી જિતેન્દ્ર કુશવાહાએ આ વિશે પોલીસમાં FIR કરી હતી.

ધ ટેલીગ્રાફના એક રિપોર્ટ મુજબ, આગ્રાના છાતા વિસ્તારના અધિક પોલીસ કમિશ્નર આર. કે. સિંહે કહ્યુ હતું કે આ ઘટનામાં મુખ્ય ભેજુ અખિલ ભારત હિંદુ મહાસભાના નેતા સંજય જાટનું હતું. તેના સહયોગી અને મિત્રોએ 29 માર્ચની રાતે મેહતાબ બાગ વિસ્તારમાં ગાયની હત્યા કરી હતી અને પાર્ટીના સભ્ય જીતેન્દ્ર કુશવાહને મોહમંદ રિઝવાન, મોહમંદ નકીમ અને મોહમંદ શાનૂ સામે ફરિયાદ કરવા કહ્યું હતું.

પોલીસે ચોથા શકમંદ ઇમરાન કુરેશની ધરપકડ કરી હતી અને તેના બીજા દિવસે મોહમંદ શાનૂને પકડીને પોલીસે પુછપરછ કરી હતી. તપાસમાં પોલીસને ખબર પડી કે જેમની સામે ફરિયાદ કરવામાં આવી છે તેમને ગૌહત્યા સાથે કોઇ  લેવાદેવા નથી. પોલીસને જાણવા મળ્યુ કે સંજય જાટની આમાંથી કેટલાંક લોકો સાથે જુની દુશ્મની હતી એટલે તે આ લોકોને ફસાવવા માંગતો હતો.

પોલીસ અધિકારીએ કહ્યુ કે, સંજય જાટે ષડયંત્ર રચવા માટે લઘુમતી સમાજના કેટલાંક લોકોની મદદ પણ લીધી હતી. તપાસમાં એ પણ ખબર પડી કે જેમની સામે આરોપ મુકવામાં આવ્યો છે તે યુવાનો આ વિસ્તારમાં છેલ્લાં એક મહિનાથી ગયા જ નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.