કુતરાના કારણે 6 સ્કૂલોમાં રજા, આંગણવાડી પણ બંધ

કેરળમાં રસ્તા પરના કુતરાઓના આતંકથી લોકો પરેશાન થઇ રહ્યા છે. રસ્તા પરના કુતરાઓ લોકો પર હુમલા કરી રહ્યા છે. પરિસ્થિતિ એ થઇ ગઇ છે કે, લોકો બાળકોને ઘરની બહાર મોકલવાથી ડરી રહ્યા છે. તેને જોતા કોઝિકોડ જિલ્લામાં કુથલી પંચાયતે કુતરાઓના હુમલાથી બચવા માટે ક્ષેત્રની 6 સ્કૂલો અને 17 આંગણવાડીઓમાં સોમવારે રજાની ઘોષણા કરી છે.

આ નિર્ણય પંચાયત અધ્યક્ષે હાલમાં જ બનેલી એક ઘટનાને જોતા સહાયક શિક્ષણ અધિકારી અને મુખ્ય અધ્યાપકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લીધો છે. આ ઘટનામાં એક રસ્તા પરના કુતરાએ ચાર લોકોને બચકા ભર્યા છે. આ ઘટનામાં બે મહિલાઓ પણ હતી. તેમનામાં રેબીઝના લક્ષણો જોવા મળ્યા છે.

રસ્તા પર રખડતા કુતરાઓને પકડવું એક મુશ્કેલ કામ છે, તેથી બાળકોની સુરક્ષાને જોતા સુરક્ષાને જોતા શૈક્ષણિક સંસ્થાનોમાં એક દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ કુતરાઓના વધતા આતંકની અસર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજનાના કાર્યો પર પણ પડી રહી છે.

કૂથલી પંચાયત અધ્યક્ષ બિંદૂ કેકેએ કહ્યું કે, એક કુતરાને પકડવામાં આવ્યો છે. તેની લાળને રેબીઝ વાયરસની તપાસ માટે મોકલવામાં આવી છે. તેની સાથે જ સ્ટ્રીટ ડોગની સમસ્યાના સમાધાનનો નિર્ણય પંચાયત સતર્કતા સમિતિની બેઠકમાં લેવામાં આવશે.

પંચાયત અધ્યક્ષે કહ્યું કે, સ્કૂલમાં રજા આપવાનો નિર્ણય એક દુખદ ઘટના બાદ લેવામાં આવ્યો છે. કૂથલીમાં એક મહિલાને રસ્તા પરના કુતરાએ બચકું ભર્યું હતું. રેબીઝની વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ રેબીઝ વાયરસના કારણે તેનું મોત થયું હતું.

થોડા મહિના પહેલા એક અન્ય ઘટનામાં કન્નૂર જિલ્લાના મુઝુપિલાંગડમાં રસ્તા પરના કુતરાના એક સમૂહે 11 વર્ષના છોકરા પર હુમલ કરી દીધો હતો. તે બાળક ઓટિઝ્મથી પીડિત હતો. કુતરાઓના આ હુમલા બાદ તેનું મોત થયું હતું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ 15-07-2025 વાર - મંગળવાર મેષ - ઉઘરાણી આવવામાં મોડું થઈ શકે, સમાજમાં માન પ્રતિષ્ઠા જાળવવા પ્રયાસ વધારવા. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શેરબજાર કેમ સુધરી નથી રહ્યું? ફરી એકવાર આવ્યો અચાનક તીવ્ર ઘટાડો... IT સેક્ટરમાં બોલ્યો કડાકો

ભારતીય શેરબજાર કેમ સુધરવાની દિશામાં આગળ નથી વધી રહ્યું, શા માટે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા...
Business 
શેરબજાર કેમ સુધરી નથી રહ્યું? ફરી એકવાર આવ્યો અચાનક તીવ્ર ઘટાડો... IT સેક્ટરમાં બોલ્યો કડાકો

હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહેલું છે, તેથી જ આના વેચાણ કરનારાઓ પેકેટ...
Health 
હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

લોર્ડ્સ ટેસ્ટમાં પોલ રીફેલના અમ્પાયરિંગ પર અશ્વિન થયો ગુસ્સે, 'ભારત વિરુદ્ધ નિર્ણય આપવો પેટર્ન બની ગઈ'

લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, ઘણા વિવાદાસ્પદ અમ્પાયરિંગ નિર્ણયો સામે આવ્યા છે, ...
Sports 
લોર્ડ્સ ટેસ્ટમાં પોલ રીફેલના અમ્પાયરિંગ પર અશ્વિન થયો ગુસ્સે, 'ભારત વિરુદ્ધ નિર્ણય આપવો પેટર્ન બની ગઈ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.