કેટલું ભણી છે જયા કિશોરી અન્ય કોણ-કોણ છે પરિવારમાં, આ રહી સંપૂર્ણ વિગતો

જયા કિશોરી તેના ભજન અને ભાગવત કથા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેના લાખો ચાહકો છે. સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમના ભજન જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે. તે એક મોટિવેશનલ સ્પીકર પણ છે. 13 જુલાઈ 1995ના રોજ એક આધ્યાત્મિક પરિવારમાં જયા કિશોરીનો જન્મ થયો હતો.

જયા કિશોરીનો પરિવાર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેમના પરિવારમાં પિતા શિવશંકર શર્મા અને માતા સોનિયા શર્મા સિવાય નાની બહેન ચેતના શર્મા પણ છે. આખો પરિવાર હવે કોલકાતામાં રહે છે. જયા કિશોરીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, જ્યારે તે 7 વર્ષની હતી ત્યારથી જ આધ્યાત્મિક દુનિયા તરફ તેનો ઝુકાવ થયો, અને ધીમે ધીમે તે આધ્યાત્મમાં ડૂબી ગઈ. જયા કિશોરી પર તેમના દાદા દાદીનો ખૂબ જ પ્રભાવ પડયો, જેઓ તેમને ભગવાન કૃષ્ણની વાર્તાઓ સંભળાવતા હતા. તેઓ બાળપણમાં સાંભળેલી વાર્તાઓ અને ભજનો યાદ કરતા હતા અને ધીરે ધીરે તેઓ તેમાં પરિપૂર્ણ થઈ ગયા.

એક ઈન્ટરવ્યુ મુજબ, જયા કિશોરી જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેને શિવ તાંડવ સ્તોત્ર, રામાષ્ટકમ અને લિંગાષ્ટકમ જેવા ઘણા મુશ્કેલ સ્તોત્રો સંસ્કૃતમાં પણ કંઠસ્થ હતા. જયા કિશોરીએ તેમનું શરૂઆતનું શિક્ષણ ગુરુ ગોવિંદ રામ મિશ્ર પાસેથી મેળવ્યું હતું. તેઓ કહે છે કે, તેમના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રએ જ તેમનું નામ જયા શર્માથી જયા કિશોરી કરી નાખ્યું હતું. આજે શ્રીમદ ભાગવદ, ગીતા, નાની બાઈ કા માયરો અને નરસી કા ભાટ જેવી કથાઓ સંભળાવીને જયા કિશોરી દેશ વિદેશમાં લોકપ્રિય છે.

કથા વાંચન અને ભજન ગાવા છતાં પણ જયા કિશોરીએ પોતાનો અભ્યાસ શરૂ રાખ્યો છે. રિપોર્ટ્સ મુજબ, જયા કિશોરીનો અભ્યાસ કોલકાતાના શ્રી શિક્ષાટન કોલેજ અને મહાદેવી બિડલા વર્લ્ડ એકેડમીમાં થયો છે. જ્યારે, ઓપન સ્કૂલ દ્વારા, તેમણે કોમર્સ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ઇન્ટરવ્યુ દરમિયાન જયા કિશોરીએ જણાવ્યું હતું કે, તે હજુ આગળ ભણવા માંગે છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.