રાજસ્થાનમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ, જયપુરના હનુમાન મંદિરમાં માંસ ફેકાયું

રાજસ્થાનમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. રાજધાની જયપુરમાં આવેલા પંચ્યાવાલા હનુમાન મંદિરમાં કેટલાક અસામાજિક લોકોએ બે કટ્ટામાં ભરેલું માંસ ફેંકી દીધું છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છવાયેલો છે. મંદિર સમિતિના લોકોએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

પંચ્યાવાલા મંદિર સેવા સમિતિના લોકોનું કહેવું છે કે, કેટલાક અજાણ્યા લોકો દ્વારા મંદિરની અંદર માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે મંદિરના પૂજારીએ કટ્ટાને જોયો તો તેણે તરત જ મંદિર સેવા સમિતિના સેક્રેટરી મોતીરામ ચોપરાને જાણ કરી હતી. બાલાજી મંદિરના પૂજારી રામકિશોરે જણાવ્યું કે, રાત્રે કોઈએ માંસ ભરેલી બેગ ફેંકી ગયા હતા. જેમાં કાપેલું માંસ ભરવામાં આવ્યું હતું. મંદિર સેવા સમિતિના સચિવ ચોપરાએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. આ અંગે ખબર મળતાં જ  ઘટનાસ્થળે પહોંચી પોલીસે મંદિરમાંથી કટ્ટા કાઢીને સર્વિસ લેન પર ફેંકી દીધા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંદિરમાં આ રીતે માંસના ટુકડાઓ ભરેલી બેગ  ફેંકીને હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. સ્થાનિક લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી અને મંદિરની નજીક ચાલતી માંસની દુકાનો બંધ કરાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે, અહીં માંસની દુકાનો ગેરકાયદે ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સ્થાનિક લોકો આ મામલે આગળ શું કરવું તે અંગે 9 વાગ્યે ભેગા થશે. જો આ ગેરકાયદેસર ચાલતી દુકાનો પર કાર્યવાહી નહીં થાય તો લોકોના તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ ઘટના બાદ પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં થયેલી ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે મંદિરમાં રાખેલા કટ્ટાને બહાર નીકળી નાખ્યા છે. હવે સ્થાનિક લોકો તેના દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ મામલામાં કરણી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, નજીકમાં માંસની દુકાનો છે. શક્ય છે કે, કૂતરો પણ તેને ક્યાંકથી ખેંચીને લઇ આવ્યો હોય. અત્યાર સુધી તેને લઈ જતો હોય તેવી વ્યક્તિ કે અન્ય કોઈ સામે નથી આવ્યું. પોલીસ દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે, અમુક તોફાની તત્વો પણ આવું કૃત્ય કરી શકે છે, પોલીસ બંને એંગલથી આ સંવેદનશીલ મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.