પત્ની અને બે બાળકોની હત્યા કરી લાશને ઘરમાં દાટી, 2 મહિના પછી થયો ખુલાસો

ગયા રવિવારે, પોલીસે રતલામ શહેરની નજીકની એક વસાહતની એક બિલ્ડિંગમાંથી એક મહિલા અને બે માસૂમ બાળકોના હાડપિંજર મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, પારિવારિક વિવાદ બાદ બે મહિના પહેલા ક્રૂર પતિએ તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને તેના ઘરના આંગણામાં દાટી દીધા હતા. બાતમીદાર પાસેથી મળેલી માહિતી બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને નક્કર માહિતી પછી મકાનમાં ખોદકામ કર્યું હતું. પોલીસે હત્યારા પતિ અને પિતા તથા આ ઘટનામાં સાથીદાર તેના એક મિત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રતલામ શહેરની બાજુમાં કનેરી રોડ પર સ્થિત વિંધ્યવાસિની કોલોનીમાં બની હતી. આ ભયાનક, ડરામણા અને શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરનારા હત્યાકાંડની સંપૂર્ણ વિગતો આવવાની હજુ બાકી છે. પ્રાથમિક માહિતી અનુસાર કોલોનીમાં એક મકાનમાં જમીનની નીચે ખોદકામ કરતી વખતે ત્યાંનું દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના શરીરમાંથી એક ધ્રુજારી છૂટી ગઈ હતી. ખોદકામમાં, એક મહિલા અને 4 અને 7 વર્ષની વયના બે બાળકોના હાડપિંજરના રૂપમાં મૃતદેહો મળી આવ્યા હતા.

પોલીસને પરિવારના ગુમ થવા અને કથિત હત્યા અંગેની ગુપ્ત સૂચના મળ્યા બાદ આ ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી હતી. મળેલી ગુપ્ત માહિતીની તપાસમાં પોલીસને સત્ય હકીકત મળી હતી, જે બાદ પોલીસે ગુપ્ત રીતે સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ ઘરમાં ખોદવાનો પ્લાન બનાવ્યો હતો. SP અભિષેક તિવારીના નેતૃત્વમાં શહેરના તમામ સ્ટેશન ઈન્ચાર્જ સહિત મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ, FSL, ફોરેન્સિક નિષ્ણાતો વગેરે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે વિંધ્યવાસિની કોલોની પહોંચ્યા હતા.

અહીં સોનુ, પિતા રાજેશ તલવાડેના ઘરમાં ઘુસીને ખોદકામ શરૂ કર્યું. જમીનની નીચેથી એક નહીં પરંતુ ત્રણ મૃતદેહો બહાર આવ્યા હતા. એક મૃતદેહ તલવાડેની બીજી પત્ની નિશા તલવાડેનો છે. આ સિવાય તેની 4 વર્ષનો માસૂમ બાળક અને 7 વર્ષની નાની બાળકીના મૃતદેહ પણ મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના લગભગ બે મહિના પહેલા બની હતી. જલ્લાદ તલવડે હત્યા બાદ બે મહિના સુધી ત્યાં રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, હત્યારો સોનુ રેલવેમાં નોકરી કરે છે અને નિશા સાથે બીજા લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, વિવાદના લગભગ બે મહિના પછી, જ્યારે આસપાસના લોકોએ તેની પત્ની અને બાળકોને જોયા નહીં. ત્યાર બાદ પૂછપરછ દરમિયાન તેણે જુદા જુદા બહાના કર્યા હતા. જેના આધારે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. કહેવાય છે કે, હત્યામાં સોનુનો સાથી બંટી કૈથવાર પણ મદદગાર હતો.

હત્યા બાદ સોનુએ બંટીની મદદથી ખાડો ખોદીને ત્રણેયના મૃતદેહ ઘરમાં છુપાવી દીધા હતા. આ ઘરમાં રહીને તે ખાતો-પીતો અને આનંદથી રહેતો હતો. હાલ ઘટના સ્થળે પોલીસ તપાસ ચાલી રહી છે. હજુ સુધી પોલીસે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.