તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

તામિલનાડુના CM વિજય થલાપતિની સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જે હેઠળ રાજ્યના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં હવે રાજ્ય ગીત 'તમિલ થાઈ વઝ્થુ' પહેલા વગાડવામાં આવશે. વંદે માતરમ વિવાદ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાજેતરના નિર્દેશો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CM-Vijay-Thalapathy3
thehansindia.com

મુખ્ય સચિવ M. સાઈ કુમાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ અનુસાર, રાજ્યના તમામ જાહેર, શૈક્ષણિક અને સરકારી કાર્યક્રમો હવે આ ગીતથી શરૂ થશે. આ નિયમ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને લાગુ પડે છે.

CM-Vijay-Thalapathy2
indiatoday.in

ગીત વગાડતી વખતે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આદરમાં ઉભા રહેવાની જરૂર રહેશે. જો કે, અપંગ વ્યક્તિઓને ખાસ કરીને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સરકારી આદેશ 10 ઓગસ્ટના રોજ તમિલનાડુ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ પછી આવ્યો છે. CM C. જોસેફ વિજય દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 'વિધાનસભા ગર્વથી નોંધે છે કે, તમિલ વિશ્વની પ્રાચીન શાસ્ત્રીય ભાષા છે અને તમિલ સભ્યતા વિશ્વની સૌથી જૂની સાંસ્કૃતિક પરંપરાઓમાંની એક છે.'

CM-Vijay-Thalapathy1
instagram.com

'તમિલ થાઈ વઝ્થુ'નો ઇતિહાસ શું છે?: આ ગીત 1891માં મનોનમનિયમ સુંદરનાર દ્વારા લખાયેલા નાટક 'મનોનમનિયમ' પરથી લેવામાં આવ્યું છે. 23 નવેમ્બર, 1970થી તે સરકારી કાર્યક્રમોની શરૂઆતમાં ગવાતું આવ્યું છે. 12 ડિસેમ્બર, 2021ના રોજ, તેને સત્તાવાર રીતે તમિલનાડુનું 'રાજ્ય ગીત' તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું, ત્યાર પછી, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં તેને ગાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

તમિલનાડુ સરકાર દ્વારા આ તાજેતરનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 9 જુલાઈના રોજ એક પત્ર બહાર પાડ્યો હતો. આ પત્રમાં રાજ્ય ગીત ગાવા, કાર્યક્રમોમાં ગીતોનો ક્રમ અને 'વંદે માતરમ'ના સમાવેશ અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

CM-Vijay-Thalapathy
navbharattimes.indiatimes.com

તાજેતરમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026'ને મંજૂરી આપી. આ બિલ હેઠળ, ભારતના રાષ્ટ્રીય ગીત, 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન, 'જન ગણ મન' જેવું જ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. સંસદે ગયા મહિને આ સુધારા બિલ પસાર કર્યું હતું, અને રાષ્ટ્રપતિની સંમતિ પછી, 1971ના કાયદામાં થયેલા આ ફેરફારો હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા છે.

About The Author

Top News

ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ ...
National 
ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

જો તમે ઓલા, ઉબર અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા કેબ બુક કરો છો અને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં...
Tech and Auto 
જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

તામિલનાડુના CM વિજય થલાપતિની સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જે હેઠળ રાજ્યના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં હવે રાજ્ય...
National 
તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે

મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત એક ગુરુદ્વારાની અંદર શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ...
National 
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.