કાશી વિશ્વનાથમાં સુગમ દર્શન ફીમાં વધારો, અખિલેશ કહે- BJPએ ધર્મને ધંધો બનાવી દીધો

વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને આરતી માટે નવી રેટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે. ભક્તોએ હવે સામાન્ય દિવસોની સરખામણીએ શ્રાવણ મહિનામાં દરરોજની ફી બમણી ચૂકવવી પડશે, જ્યારે શ્રાવણના સોમવારે દર્શન-આરતીની ત્રણ ગણી ફી ચૂકવવી પડશે. UPના પૂર્વ CM અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે વધેલી ફી પર ટ્વિટ કરીને UPની BJP સરકાર પર નિશાન સાધ્યું છે.

અખિલેશ યાદવે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'BJP સરકારને વિનંતી કરવામાં આવે છે કે તે 'બાબા વિશ્વનાથજી'ના દર્શન કરવા પર ફી લગાવીને ગરીબો, સાચા ભક્તો અને સામાન્ય જનતા પાસેથી 'દર્શનનો અધિકાર' છીનવી ન લે. BJPએ ધર્મને ધંધો બનાવી દીધો છે. નિંદનીય!'

હકીકતમાં શ્રાવણને ધ્યાનમાં રાખીને કાશી વિશ્વનાથ મંદિરમાં સુગમ દર્શન અને આરતી માટે નવું રેટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ફીનો દર ડબલથી વધારીને ચાર ગણો કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ શ્રાવણ માસમાં ભક્તોની ભીડને જોતા મંદિર પ્રબંધકે આ નિર્ણય લીધો છે. નવી રેટ લિસ્ટ 4 જુલાઈથી શ્રાવણ મહિનામાં શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

નવી બહાર પડાયેલી ફીના દરની યાદી મુજબ, સુગમ દર્શન જેનો દર સામાન્ય દિવસોમાં રૂ.300 હતો તે શ્રાવણ માસમાં સામાન્ય દિવસોમાં રૂ.500 થઇ ગયો છે. શ્રાવણના સોમવારે  રૂ.750 કરવામાં આવ્યો છે.

મંગળા આરતી માટે ભક્તોએ સામાન્ય દિવસોમાં રૂ.500 ચુકવવા પડતા હતા, હવે શ્રાવણ માસના સામાન્ય દિવસોમાં રૂ.1000 અને શ્રાવણના સોમવારે રૂ.2000 ચૂકવવાના રહેશે.

કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ વર્માના જણાવ્યા અનુસાર, ભક્તોએ સામાન્ય દિવસોમાં મધ્યાહન ભોગ, સપ્તર્ષિ અને રાત્રીના શ્રુંગાર/બાબાની ભોગ આરતી માટે 300 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે શ્રાવણ મહિનાના સામાન્ય દિવસોમાં 500 રૂપિયા આપવા પડશે.

શ્રાવણનાં દિવસોમાં એક શાસ્ત્રી પાસેથી રૂદ્રાભિષેક માટે 500 રૂપિયા, શ્રાવણનાં સોમવાર સિવાય પાંચ શાસ્ત્રીઓ પાસેથી રૂદ્રાભિષેક માટે 2100 રૂપિયા અને શ્રાવણનાં સોમવારે 3000 રૂપિયા ચૂકવવા પડશે.

શ્રાવણ સન્યાસી ભોગ માટે 4500 રૂપિયા શ્રાવણના સોમવાર સિવાય અને શ્રાવણના સોમવારે 7500 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત શ્રાવણના સોમવારે યોજાનારા શ્રાવણ શ્રુંગાર માટે 20,000 રૂપિયાની ફી ભરવાની રહેશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.