50 લાખનો વીમો પકાવવા વેપારી પુતળાને લઈ અંતિમ સંસ્કાર પહોંચ્યો, સ્મશાન ગૃહે થયો ખરાખરીનો ખેલ

પચાસ લાખ રૂપિયાના દેવાના બોજથી દબાયેલા દિલ્હીના એક કાપડ વેપારી અને તેના સાથી દ્વારા રચવામાં આવેલા કાવતરાનો પર્દાફાશ થતાં, બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનગૃહમાં ચિતા પર મૃતદેહને બદલે એક ડમી પ્લાસ્ટિકનું પૂતળું મૂકેલું જોઈને હોબાળો મચી ગયો હતો. ઘટનાસ્થળેથી સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કડક પૂછપરછ કર્યા પછી થોડા જ સમયમાં આખા કાવતરાનો પર્દાફાશ કર્યો, અને બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

Cremate-Plastic-Dummy4
amarujala.com

ગુરુવારે બપોરે લગભગ 1 વાગ્યે, બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનગૃહમાં એ સમયે અંધાધૂંધી અને હંગામો મચી ગયો જ્યારે અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવેલા 30 વર્ષીય વ્યક્તિના મૃતદેહને બદલે ડમીમાં પ્લાસ્ટિકનું પૂતળું હોવાનું જાણવા મળ્યું. થોડીવારમાં જ, હજારો લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. માહિતી મળતાં થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર મનોજ કુમાર બાલિયાન પોલીસ ટીમ સાથે સ્મશાનગૃહ પહોંચ્યા. કોઈ પણ વિલંબ કર્યા વિના, પોલીસ ટીમે દિલ્હીના બે યુવાનોને અટકાયતમાં લીધા, જેઓ મૃતદેહના વેશમાં એક ડમી પ્લાસ્ટિકના પૂતળાના અગ્નિસંસ્કાર કરી કાવતરાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Cremate-Plastic-Dummy1
amarujala.com

શરૂઆતની પૂછપરછ દરમિયાન, બંને યુવાનોએ દિલ્હીની એક હોસ્પિટલમાંથી મૃતદેહના બદલે સીલબંધ ડમી પ્લાસ્ટિકનું પૂતળું આપી દીધું હોવાનો દાવો કરીને ભાગી જવાનો પ્રયાસ કરવા લાગ્યા. જોકે, જ્યારે પોલીસે કડક વલણ અપનાવ્યું, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને અવનવી વાર્તાઓ બનાવીને કહેવાનું શરુ કર્યું. વિરોધાભાસી નિવેદનો સાંભળીને પોલીસે બંને યુવાનોને કસ્ટડીમાં લઇ લીધા અને  પૂછપરછ દરમિયાન, તેઓએ પૂરું સત્ય કહી દીધું હતું. ઇન્સ્પેક્ટર મનોજ કુમાર બાલિયાને જણાવ્યું કે, દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનના કૈલાશપુરીનો રહેવાસી કમલ સોમાણી, જે મૃતદેહને બદલે ડમીના પ્લાસ્ટિકના પૂતળાને અગ્નિસંસ્કાર કરવા માટે લાવ્યો હતો, તે તેના મિત્ર આશિષ ખુરાનાને પણ સાથે લાવ્યો હતો, જે દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનના જૈન કોલોનીનો રહેવાસી છે. તેઓએ દિલ્હીના પ્રસાદ નગર પોલીસ સ્ટેશનના કરોલ બાગના રહેવાસી ધર્મરાજના પુત્ર અંશુલ કુમારનું અંસારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું ખોટું બોલીને મૃતદેહના બદલે ડમી પ્લાસ્ટિકના પૂતળાને અગ્નિસંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો હતો.

Cremate-Plastic-Dummy3
amarujala.com

ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, કમલ સોમાનીએ તેમને કહ્યું કે, તે કપડાની દુકાન ધરાવે છે અને તેના પર રૂ. 50 લાખનું દેવું છે. દેવું ચૂકવવા માટે, તેણે એક કાવતરું ઘડ્યું હતું અને ભૂતપૂર્વ કર્મચારી નીરજ, જે અગાઉ તેની દુકાનમાં કામ કરતો હતો, તેની પાસેથી કોઈ બહાનું બનાવીને તેના ભાઈ અંશુલનો આધાર અને પાન કાર્ડ મંગાવી લીધા હતા. આનો દુરુપયોગ કરીને તેણે લગભગ એક વર્ષ પહેલા અંશુલનો ટાટા AI વીમો લઇ લીધો હતો અને નિયમિત હપ્તા ચૂકવતો હતો. દેવું ચૂકવવાના કાવતરાના ભાગ રૂપે, તેણે અને તેના મિત્રએ અંશુલનું પૂતળું તેમની કારમાં મૂક્યું હતું અને તેના અગ્નિસંસ્કાર કરવાના ઇરાદાથી બ્રજઘાટ સ્મશાનગૃહમાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન, કમલ સોમાનીએ જણાવ્યું હતું કે, જો તે ડમીના અગ્નિસંસ્કાર કરવામાં સફળ થયો હોત, તો તેણે અગ્નિસંસ્કાર પ્રમાણપત્રના આધારે વીમાનો દાવો કર્યો હોત અને તેનું દેવું ચુકવવામાં સફળ રહ્યો હોત.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.