જૈન પ્રાણી પ્રેમીએ કુરબાનીના બકરા ખરીદી એવું કર્યું કે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

બાગપતના એક પ્રાણીપ્રેમીએ બે વર્ષ પહેલા બલિદાન માટે આવેલા સેંકડો બકરાઓ ખરીદીને પોતાના પ્લોટમાં વસવાટ કરાવ્યો હતો. તેનો આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રાણીપ્રેમીઓ જૈન સમુદાયના હોવાનું કહેવામાં આવે છે. તેમનું કહેવું છે કે, જૈન સમુદાય હંમેશાથી પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

જીવો પર દયા કરો, જીવો અને જીવવા દો… ભગવાન મહાવીર સ્વામીના આ સંદેશમાં જીવો પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના છે. ભગવાન મહાવીરે તમામ જીવો પ્રત્યે દયા બતાવવાનો સંદેશ આપ્યો હતો, જે આજે પણ તેમનામાં માનનારાઓ અનુસરે છે. હવે તેમના અનુયાયીઓ એ એક એવી પહેલ કરી છે જેને જાણીને તમે પણ તેમના માટે આદર અનુભવશો.

 

મેરઠના જૈન સમુદાયમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં, એક વ્યક્તિ બલિદાન માટે આવેલા બકરા (કુરબાનીના બકરા) ખરીદી રહ્યો છે અને તેમને તેના ટીનશેડમાં આશ્રય આપી રહ્યો છે. આ વીડિયો બાગપતના અમીનનગર સરાયનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, જૈન સમાજના એક વ્યક્તિએ બલિદાન માટે આવેલા બકરાને ખરીદીને ન ફક્ત તેમને જીવનનું દાન કર્યું, પરંતુ તેમના માટે આશ્રય સ્થાન પણ બનાવી દીધું. આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મેરઠના થોકબંધ વેપારી અનિલ જૈને જણાવ્યું કે, અમીનનગર સરાયના રહેવાસી જૈન સમુદાયના એક વ્યક્તિએ બે વર્ષ પહેલા બજારમાં બલિદાન માટે આવેલા તમામ બકરા ખરીદી લીધા હતા. આ પછી, તે બકરાઓને તેના એક પ્લોટ પર ટીન શેડમાં રાખવામાં આવ્યા હતા. પહેલા તો કોઈને કંઈ સમજણમાં આવ્યું નહિ, ત્યાર પછી ખબર પડી કે, તેણે ખરીદેલા બકરાને બલિદાનથી બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું છે.

જ્યારે અમીનનગર સરાય ખાતે આ વ્યક્તિનું નામ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે તેનું નામ જાહેર કર્યું ન હતું. તેઓ કહે છે કે, હું મારી મરજીથી આ કામ કરી રહ્યો છું. આમ પણ કોઈપણ રીતે જૈન સમાજ હંમેશા પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

અનિલ જૈને જણાવ્યું કે, જ્યારે અમે બધાએ તેમને આ કામમાં મદદ કરવાની ઓફર કરી તો તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે સાથે ઉભા રહો, બસ એટલું જ પૂરતું છે. તમામ બકરાઓના રહેવા અને તેમના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે એક કર્મચારીને પણ ફરજ પર મુકવામાં આવ્યો છે, જેથી તે બકરાઓને સમયસર ખોરાક અને પાણી આપી શકે.

About The Author

Top News

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી

હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલાનો મૃતદેહ ઘરની સામે જ ખાડો ખોદીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી...
National 
2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી
Copyright (c) Khabarchhe All Rights Reserved.