જૈન પ્રાણી પ્રેમીએ કુરબાનીના બકરા ખરીદી એવું કર્યું કે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

બાગપતના એક પ્રાણીપ્રેમીએ બે વર્ષ પહેલા બલિદાન માટે આવેલા સેંકડો બકરાઓ ખરીદીને પોતાના પ્લોટમાં વસવાટ કરાવ્યો હતો. તેનો આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રાણીપ્રેમીઓ જૈન સમુદાયના હોવાનું કહેવામાં આવે છે. તેમનું કહેવું છે કે, જૈન સમુદાય હંમેશાથી પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

જીવો પર દયા કરો, જીવો અને જીવવા દો… ભગવાન મહાવીર સ્વામીના આ સંદેશમાં જીવો પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના છે. ભગવાન મહાવીરે તમામ જીવો પ્રત્યે દયા બતાવવાનો સંદેશ આપ્યો હતો, જે આજે પણ તેમનામાં માનનારાઓ અનુસરે છે. હવે તેમના અનુયાયીઓ એ એક એવી પહેલ કરી છે જેને જાણીને તમે પણ તેમના માટે આદર અનુભવશો.

 

મેરઠના જૈન સમુદાયમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં, એક વ્યક્તિ બલિદાન માટે આવેલા બકરા (કુરબાનીના બકરા) ખરીદી રહ્યો છે અને તેમને તેના ટીનશેડમાં આશ્રય આપી રહ્યો છે. આ વીડિયો બાગપતના અમીનનગર સરાયનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, જૈન સમાજના એક વ્યક્તિએ બલિદાન માટે આવેલા બકરાને ખરીદીને ન ફક્ત તેમને જીવનનું દાન કર્યું, પરંતુ તેમના માટે આશ્રય સ્થાન પણ બનાવી દીધું. આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મેરઠના થોકબંધ વેપારી અનિલ જૈને જણાવ્યું કે, અમીનનગર સરાયના રહેવાસી જૈન સમુદાયના એક વ્યક્તિએ બે વર્ષ પહેલા બજારમાં બલિદાન માટે આવેલા તમામ બકરા ખરીદી લીધા હતા. આ પછી, તે બકરાઓને તેના એક પ્લોટ પર ટીન શેડમાં રાખવામાં આવ્યા હતા. પહેલા તો કોઈને કંઈ સમજણમાં આવ્યું નહિ, ત્યાર પછી ખબર પડી કે, તેણે ખરીદેલા બકરાને બલિદાનથી બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું છે.

જ્યારે અમીનનગર સરાય ખાતે આ વ્યક્તિનું નામ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે તેનું નામ જાહેર કર્યું ન હતું. તેઓ કહે છે કે, હું મારી મરજીથી આ કામ કરી રહ્યો છું. આમ પણ કોઈપણ રીતે જૈન સમાજ હંમેશા પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

અનિલ જૈને જણાવ્યું કે, જ્યારે અમે બધાએ તેમને આ કામમાં મદદ કરવાની ઓફર કરી તો તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે સાથે ઉભા રહો, બસ એટલું જ પૂરતું છે. તમામ બકરાઓના રહેવા અને તેમના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે એક કર્મચારીને પણ ફરજ પર મુકવામાં આવ્યો છે, જેથી તે બકરાઓને સમયસર ખોરાક અને પાણી આપી શકે.

Top News

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.