જૈન પ્રાણી પ્રેમીએ કુરબાનીના બકરા ખરીદી એવું કર્યું કે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

બાગપતના એક પ્રાણીપ્રેમીએ બે વર્ષ પહેલા બલિદાન માટે આવેલા સેંકડો બકરાઓ ખરીદીને પોતાના પ્લોટમાં વસવાટ કરાવ્યો હતો. તેનો આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રાણીપ્રેમીઓ જૈન સમુદાયના હોવાનું કહેવામાં આવે છે. તેમનું કહેવું છે કે, જૈન સમુદાય હંમેશાથી પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

જીવો પર દયા કરો, જીવો અને જીવવા દો… ભગવાન મહાવીર સ્વામીના આ સંદેશમાં જીવો પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના છે. ભગવાન મહાવીરે તમામ જીવો પ્રત્યે દયા બતાવવાનો સંદેશ આપ્યો હતો, જે આજે પણ તેમનામાં માનનારાઓ અનુસરે છે. હવે તેમના અનુયાયીઓ એ એક એવી પહેલ કરી છે જેને જાણીને તમે પણ તેમના માટે આદર અનુભવશો.

 

મેરઠના જૈન સમુદાયમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં, એક વ્યક્તિ બલિદાન માટે આવેલા બકરા (કુરબાનીના બકરા) ખરીદી રહ્યો છે અને તેમને તેના ટીનશેડમાં આશ્રય આપી રહ્યો છે. આ વીડિયો બાગપતના અમીનનગર સરાયનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, જૈન સમાજના એક વ્યક્તિએ બલિદાન માટે આવેલા બકરાને ખરીદીને ન ફક્ત તેમને જીવનનું દાન કર્યું, પરંતુ તેમના માટે આશ્રય સ્થાન પણ બનાવી દીધું. આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મેરઠના થોકબંધ વેપારી અનિલ જૈને જણાવ્યું કે, અમીનનગર સરાયના રહેવાસી જૈન સમુદાયના એક વ્યક્તિએ બે વર્ષ પહેલા બજારમાં બલિદાન માટે આવેલા તમામ બકરા ખરીદી લીધા હતા. આ પછી, તે બકરાઓને તેના એક પ્લોટ પર ટીન શેડમાં રાખવામાં આવ્યા હતા. પહેલા તો કોઈને કંઈ સમજણમાં આવ્યું નહિ, ત્યાર પછી ખબર પડી કે, તેણે ખરીદેલા બકરાને બલિદાનથી બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું છે.

જ્યારે અમીનનગર સરાય ખાતે આ વ્યક્તિનું નામ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે તેનું નામ જાહેર કર્યું ન હતું. તેઓ કહે છે કે, હું મારી મરજીથી આ કામ કરી રહ્યો છું. આમ પણ કોઈપણ રીતે જૈન સમાજ હંમેશા પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

અનિલ જૈને જણાવ્યું કે, જ્યારે અમે બધાએ તેમને આ કામમાં મદદ કરવાની ઓફર કરી તો તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે સાથે ઉભા રહો, બસ એટલું જ પૂરતું છે. તમામ બકરાઓના રહેવા અને તેમના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે એક કર્મચારીને પણ ફરજ પર મુકવામાં આવ્યો છે, જેથી તે બકરાઓને સમયસર ખોરાક અને પાણી આપી શકે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.