દેવરિયામાં અનોખી જાન: 100 જાનૈયા 30 ઈ-રિક્ષામાં બેસીને પહોંચ્યા જાનમાં

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક અનોખી અને મનમોહક લગ્નકથા સામે આવી છે, જે હાલમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયામાં છવાઈ રહી છે. આ ઘટના વરરાજા દુર્ગેશ પ્રસાદ અને તેમના મિત્રોની દોસ્તીની ઝાંખી આપે છે.

દુર્ગેશ પ્રસાદ, જે ભટહર ગામના રહેવાસી અને મજૂરી કામ કરે છે, તેમના લગ્ન ડુમરિયા લાલ ગામની શિલ્પી સાથે નક્કી થયા હતા. 30 નવેમ્બરના રોજ લગ્નની જાન માટે વાહન બુક કરવા જતાં, તેમને ખબર પડી કે ભાડાના ભાવ ખૂબ ઊંચા હતાં, જેના કારણે વરરાજાના પરિવારમાં ચિંતા છવાઈ ગઈ.

આ વચ્ચે, આખી જાન માટે યોગ્ય કાર પણ ઉપલબ્ધ ન હતી. દુર્ગેશના મિત્રો સુધી આ વાત પહોંચી ત્યારે તેમણે એક સર્જનાત્મક અને સાદું, પણ જબરજસ્ત આઈડિયા કાઢ્યો, આખી જાન ઈ-રિક્ષામાં લઈને જવાની. મિત્રો તરત જ હરકતમાં આવ્યા અને 30 ઈ-રિક્ષા ભેગી કરી દીધી.

વરરાજા માટે કાર રાખવામાં આવી, જ્યારે તેના લગભગ 100 જાનૈયા 30 ઈ-રિક્ષામાં સવાર થઈને દેવરિયાથી શિલ્પીના ગામ તરફ નીકળી પડ્યા. ઈ-રિક્ષાની આ લાંબી લાઈન જોઈ રસ્તામાં ઉભા લોકો આશ્ચર્યમાં પડી ગયા અને મજાકમાં હસી પણ પડ્યા. કેટલાક લોકોએ વરરાજા સાથે સેલ્ફી પણ લીધી.

જાન શિલ્પીના ગામે પહોંચી ત્યારે ત્યાં પણ ખળભળાટ મચી ગયો. લાઈનમાં ઉભેલી 30 ઈ-રિક્ષાવાળી જાનનો નજારો સૌને મંત્રમુગ્ધ કરી ગયો. ગામલોકોએ દુર્ગેશ અને તેમના મિત્રોની સાદગી, સમજદારી અને દોસ્તીની ખૂબ પ્રશંસા કરી.

આ અનોખી જાન હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેના જુદા જુદા અર્થ કાઢી મસ્તીમાં શેર કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.