પોલ ખૂલી ગઈ તો અજીત પવાર બોલ્યા- ‘મારા પુત્રને ખબર નહોતી કે તે સરકારી જમીન છે'

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી  અજીત પવારે પોતાના પુત્ર પાર્થ પવારના લેન્ડ ડીલને લઈને ઉઠેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, પાર્થને એ વાતની ખબર નહોતી કે પુણેમાં તેમની કંપનીએ જે જમીન ખરીદી છે તે સરકારની છે. વિવાદાસ્પદ ડીલ હવે રદ કરી દેવામાં આવી છે.

ajit pawar
bbc.com

ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ ડીલમાં પુણેના મુંડવામાં પોશ કોરેગાંવ પાર્ક વિસ્તાર નજીક 40 એકર જમીનનો સમાવેશ થાય છે. 1,800 કરોડ રૂપિયાની આ જમીન કથિત રીતે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને 300 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. એવો આરોપ છે કે, તેમાં 21 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી પણ માફ કરવામાં આવી હતી. પાર્થ પવાર આ કંપનીમાં ભાગીદાર છે.

ajit pawar
bbc.com

આ મામલે સ્પષ્ટતા કરતા અજીત પવારે જણાવ્યું હતું કે, સરકારે આ ડીલની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, જે એક મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. મહેસૂલ સચિવના વચગાળાના અહેવાલમાં જમીન વ્યવહારમાં ગંભીર ગેરરીતિઓની વાત કહેવામાં આવી છે. પવારે કહ્યું કે, ‘ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજોની નોંધણી રદ કરવામાં આવી છે અને આ સંબંધમાં અધિકારીઓને એક સોગંદનામું સોંપી દેવામાં આવ્યું છે. એક પણ રૂપિયો કોઈના હાથમાં ગયો નથી. આ જમીન સરકારી છે અને તેને વેચી શકાતી નથી. પાર્થ અને તેમના ભાગીદાર દિગ્વિજય પાટિલને આ વાતની જાણકારી નહોતી.

NCP નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે, જે માહિતી ઉપલબ્ધ થઈ છે, તેના આધારે એ સ્પષ્ટ છે કે આ ડીલ માત્ર જમીન ખરીદવાની સમજૂતી હતી. પાર્થ, તેમની કંપની કે તેમના પરિવારના કોઈપણ સભ્યએ વેચનારને કોઈ ચૂકવણી કરી નથી, ન તો ક્યારેય જમીનનો કબજો લેવામાં આવ્યો છે. એટલે લેવડ-દેવડ અધૂરી રહી.

ajit pawar
bbc.com

આ મામલે 3 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે.  અજીત પવારે કહ્યું કે, FIRમાં ભાગીદાર પાટિલ સહિત 3 લોકોના નામ છે, પરંતુ તેમના પુત્રનું નામ નથી કારણ કે જેમનું નામ છે તે ત્રણેય જ દસ્તાવેજો પર સહી કરવા માટે રજિસ્ટ્રાર ઑફિસ ગયા હતા. આ બાબતે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. આ અગાઉ, CM દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં આ જમીન ડીલમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓની તપાસના આદેશ આપ્યા હતા.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.