દેશમાં ક્યાં બને છે ચૂંટણીની સ્યાહી? કોણે તૈયાર કર્યો સિક્રેટ ફોર્મ્યૂલા? કોઈ નથી કરી શક્યું ડીકોડ

આંગળી પર વાદળી શાહી મતનું નિશાન બતાવે છે. બિહાર ચૂંટણીની શોર વચ્ચે, ચૂંટણી શાહી પણ ચર્ચામાં આવી છે. વિશ્વભરના 35 દેશો આ શાહી ભારતમાંથી ખરીદી રહ્યા છે. તેની શરૂઆત પણ રસપ્રદ છે. સ્વતંત્રતા બાદ જ્યારે 1951-52માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે ઘણા મામલા એવા સામે આવ્યા, જ્યારે ઘણા લોકોએ બીજાના નામે મતદાન કર્યું હતું. એટલે કે, ઘણા લોકોએ એક કરતા વધુ વખત મતદાન કર્યું હતું. ફરિયાદો વધતી ગઈ, અને આખરે, મામલા ચૂંટણી પંચ સુધી પહોંચ્યા.

તેના ઉકેલ શોધવા માટે વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા. અંતે, પંચે મતદાતાની આંગળી પર એક નિશાન બનાવવાનું નક્કી કર્યું જે સરળતાથી ન ભૂંસી શકાય, જેનાથી સ્પષ્ટ થાય કે તેણે મતદાન કર્યું છે. ત્યારબાદ એક મોટો પ્રશ્ન ઉભો થયો કે તેને કોણ બનાવશે અને શું આવું શક્ય પણ છે? ખૂબ વિચાર-વિમર્શ બાદ પંચ ઉકેલ શોધવા માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા (NPL) પહોંચ્યું.

indelible-ink

પંચે ઉકેલ શોધવા માટે NPLનો સંપર્ક કર્યો તો NPLએ એક શાહી વિકસાવી જે પાણી કે રસાયણોથી ભૂંસી ન શકાય. આ શાહી બનાવવાનો ઓર્ડર મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ કંપનીને આપવામાં આવ્યો હતો. કંપનીએ એવી સ્યાહી તૈયાર કરી જે મતદાનનું પ્રમાણ બની ગઈ. ત્યારથી લઈને અત્યાર સુધી કર્ણાટકના મૈસૂરની આ જ કંપની ચૂંટણી સ્યાહી બનાવી રહી છે. તેને મૈસૂરમાં સિક્રેટ ફોર્મ્યૂલાથી તૈયાર કરવામાં આવે છે.

1971 સુધી આંગળી પર અમીટ શાહી લગાવવામાં આવતી હતી, પરંતુ તે દરમિયાન લોકોએ તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હોવાના ઘણા અહેવાલો બહાર આવ્યા. વારાણસીની એક યુવતીએ તેને લગાવવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેની આંગળી પરનું નિશાન તેના લગ્નના દિવસે સારું લાગી રહ્યું હતું. એવો પણ ડર હતો કે તેને ઘરીને મટાડી શકાય શકે છે. ત્યારબાદ ચૂંટણી પંચે 1971માં નિયમોમાં ફેરફાર કર્યા અને તેને આંગળીને બદલે નખ પર લગાવવાનું શરૂ કર્યું, જેથી નખ વધવા સાથે નિશાન ઝાંખું પડી જાય.

indelible-ink-2

1951માં NPLએ તેનો આવિષ્કાર કર્યો અને તેની પાછળ કાઉન્સિલ ઓફ સાયંટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ મહેનત કરી હતી. તેને બનાવવા માટે સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન કહે છે કે શાહીમાં રહેલું સિલ્વર નાઈટ્રેટ શરીરમાં સોડિયમ સાથે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, જેનાથી વાદળી શાહી કાળી થઈ જાય છે. પાણીના સંપર્કમાં આવવાથી તે ઘટ્ટ થઈ જાય છે. સાબુ પણ તેના પર બિનઅસરકારક સાબિત થાય છે.

તેનો સંપૂર્ણ ફોર્મ્યૂલા આજ સુધી સિક્રેટ છે. ન તો NPL કે ન તો મૈસુરની પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડે તેને સાર્વજનિક કર્યું છે. ખાસ વાત એ છે કે, મૈસુર સ્થિત કંપની સિવાય અન્ય કોઈ કંપનીને આ શાહી બનાવવાનો અધિકાર નથી. મૈસુર સ્થિત આ જ કંપની દાયકાઓથી આ અમીટ શાહીનું ઉત્પાદન કરી રહી છે અને તેને વિશ્વના 35થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.