ચોર આખું ATM ઉઠાવીને કારમાં લઇ જતા હતા, રસ્તામા નડ્યો અકસ્માત અને..

સાયબર ફ્રોડ હબ તરીકે દેશભરમાં કુખ્યાત ઝારખંડનું જામતારા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, પરંતુ આ વખતે ચર્ચાનું કારણ સાયબર ફ્રોડ નથી. પરંતુ એક ચોંકાવનારી ઘટનાને કારણે ન્યૂઝમાં આવ્યું છે. તમે ATMમાં ચોરી કે એવા કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ ગુનેગારોનું મનોબળ એટલું મજબુત બન્યું છે કે તેઓ આખે આખું ATM ઉઠાવી ગયા હતા અને કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ, આ ઘટના ગઈકાલે રાત્રે જામતારાના કાલાઝરિયા કરમટાંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં બોલેરો વાહનમાં આવેલા ગુનેગારોએ ATM મશીનની જ ચોરી કરી હતી. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. ગુનેગારોએ પહેલા ATM મશીનને તોડી નાખ્યું, પછી તેને બોલેરોમાં ભરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

પોલીસે જણાવ્યું કે SBI બ્રાન્ચની બાજુમાં એક ATM હતું. રાત્રિના સમયે, અજાણ્યા ગુનેગારોએ આ SBI ATMને તોડી નાખ્યું હતું, તેને બોલેરો વાહનમાં લોડ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસે તત્પરતા બતાવીને નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉખડી ગયેલું ATM પરત મેળવ્યું છે. આ ઉપરાંત જે બોલેરો વાહનમાં ગુનેગારો ATM ભરીને ભાગી ગયા હતા તે પણ રીકવર કરવામાં આવ્યું છે.

જિલ્લા SP અનિમેષ નાથાણીએ જણાવ્યું હતું કે, ધરપકડની તકનો લાભ લઈને ગુનેગારો નાસી છૂટ્યા હતા. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં પોલીસના હાથે ઝડપાઈ જશે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને જ્યારે ATM ચોરીની ઘટનાની જાણકારી મળી એટલે એલર્ટ થઇ ગઇ હતી. પોલીસે આરોપીઓની કારનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ પુરઝડપે જઇ રહ્યા હતા અને રસ્તામાં તેમની બલેરો કારને અકસ્માત નડ્યો હતો. આરોપીઓને ખબર હતી કે પોલીસ પીછો કરી રહી છે એટલે કારને છોડીને અંધારાનો લાભ લઇને રફચક્કર થઇ ગયા હતા.

મતલબ કે આખેઆખું ATM ઉઠાવીને લાખો રૂપિયા મેળવવાનો આરોપીઓનો મનસુબો પાર નહોતો પડ્યો. અને પોલીસે ATMને રિકવર કરી લેતા બેંકે પણ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ હવે ગુનેગારો બિંદાસ્ત બની ગયા છે એ આ વાતની સાબિતી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.