ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા કેસમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજ વિભાંશુ સુધીરની અચાનક બદલી કેમ કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે, શું તેમણે આપેલો આ આદેશ તેમણે ભારે પડી ગયો? સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા દ્વારા સરકાર અને સિસ્ટમ પર તીખા પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે ચંદૌસીમાં વકીલોએ વિશાળ પ્રદર્શન કરીને ટ્રાન્સફરનો વિરોધ કર્યો છે.

CJM Vibhanshu Sudhir
bhaskarenglish.in

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીર આ દિવસોમાં રાજ્યમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ બની ગયા છે. આ ચર્ચાનું કારણ તેમની અચાનક કરવામાં આવેલી બદલી છે. તાજેતરમાં, સંભલ હિંસા કેસમાં એક અરજીની સુનાવણી કરતી વખતે, તેમણે તત્કાલીન CO અનુજ ચૌધરી સાથે લગભગ બે ડઝન પોલીસકર્મીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આ કંઈ પહેલી વાર નહોતું જ્યારે તેમણે પોલીસ સામે કડક વલણ અપનાવ્યું હતું. આ અગાઉ, 24 ડિસેમ્બરે, તેમણે ત્રણ વર્ષ જૂના એન્કાઉન્ટરને નકલી ગણાવીને 13 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. વિભાંશુ સુધીરના આ નિર્ણયોથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે રાત્રે, તેમનું નામ લગભગ એક ડઝન ન્યાયાધીશોની ટ્રાન્સફર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, અને તેમને સુલતાનપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અહીં ખાસ વાત એ રહી હતી કે, તેમને CJM તરીકેના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને નીચલા હોદ્દા પર ડિમોટ કરવામાં આવ્યા હતા. આ તેમની 12 વર્ષની કારકિર્દીમાં 15મી બદલી કરવામાં આવી છે.

CJM Vibhanshu Sudhir
khabargaon.com

અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર વિભાંશુ સુધીરના ટ્રાન્સફર પર પ્રતિક્રિયા આપી હતી. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કોઈનું નામ લીધા વિના આ ઘટના માટે સરકારની ટીકા કરી હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'સત્યની બદલી થતી નથી; તેનું સ્થાન અડગ છે. ન્યાયતંત્રની સ્વતંત્રતાનું ઉલ્લંઘન એ લોકશાહીનું સીધું ઉલ્લંઘન છે.'

Akhilesh Yadav
aajtak.in

અખિલેશ યાદવના આ નિવેદનને સીધા જજની ટ્રાન્સફર સાથે જોડવામાં આવી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે, સરકારે પોલીસ વહીવટીતંત્રના દબાણ હેઠળ આ પગલું ભર્યું છે. સમાજવાદી પાર્ટીના વડાએ બંધારણના રક્ષણ માટે સ્વતંત્ર ન્યાયતંત્રને આવશ્યક ગણાવ્યું છે અને તેને એક મુખ્ય રાજકીય મુદ્દામાં ફેરવી દીધું છે.

CJM Vibhanshu Sudhir
navbharattimes.indiatimes.com

બીજી તરફ, તેમની બદલી પછી, બુધવારે ચંદૌસી કોર્ટમાં વકીલોએ બદલીનો વિરોધ કર્યો. કોર્ટ પરિસરની અંદર, તેમણે સંભલ વહીવટીતંત્ર અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, અને માંગ કરી કે વિભાંશુ સુધીરની બદલી અટકાવી દેવામાં આવે. વિરોધ દરમિયાન, વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા, જેમ કે 'ન્યાયાધીશ અધિકારી આપણો ભાઈ છે.' વકીલોએ કહ્યું કે CJM વિભાંશુ સુધીરની બદલી કરવામાં આવી છે, પરંતુ તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અને સમગ્ર જિલ્લો તેમની ન્યાયિક પ્રણાલીથી ખુશ છે. પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કરવાના તેમના આદેશથી તમામ અરજદારોમાં ખુશીનો માહોલ છે. પરંતુ આજે, તેમની બદલી અંગે વકીલોમાં વ્યાપક ગુસ્સો છે, કારણ કે આવા ખૂબ જ માનનીય ન્યાયિક અધિકારીની આટલી ઝડપથી બદલી કરવામાં આવી છે. આ ટ્રાન્સફર પોલીસ દબાણ હેઠળ કરવામાં આવી હતી, જેના કારણે વકીલો ગુસ્સામાં છે.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.