પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

આંધ્રપ્રદેશના કુર્નૂલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ આ વિશેની જાણકારી એક સમાચાર એજન્સીને આપી હતી. એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, તેણે જે ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપ્યું હતું તે તેના ભૂતપૂર્વ ડોક્ટર પ્રેમીની પત્ની છે.

આરોપીઓની ઓળખ કુર્નૂલના રહેવાસી B. બોયા વસુંધરા (34), કોંગ જ્યોતિ (40), એડોનીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ, અને તેના બે બાળકો, જે દરેક 20ની ઉંમરના છે, તરીકે થઈ છે. મહિલાએ ત્રણ લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, તેમની 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓએ એક સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસેથી HIV પોઝીટીવ લોહીના નમૂના લીધા હતા. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિઓએ નમૂનાઓ લેવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે નમૂનાઓ સંશોધન માટે લેવામાં આવી રહ્યા છે.

02

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ચેપગ્રસ્ત લોહી રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવાનો દાવો કર્યો હતો અને ત્યાર પછી પીડિતાને તે જ નમૂનાથી ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરે તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા, જેને તે સહન કરી શકી ન હતી.

તેથી, તેણે તેમને અલગ કરવાનું કાવતરું રચ્યું. ત્યારપછી તેણે જાણી જોઈને રોડ અકસ્માત કર્યો અને પીડિતાને મદદ કરવાનું નાટક કર્યું. પછી, તેને હોસ્પિટલ લઈ જતી વખતે, તેણે પીડિતાને HIV વાયરસનું ઇન્જેક્શન આપી દીધું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 9 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યે બની હતી. કુર્નૂલની એક ખાનગી મેડિકલ કોલેજમાં સહાયક પ્રોફેસર, પીડિતા તેની હોસ્પિટલમાંથી લંચ માટે પોતાના સ્કૂટર પર ઘરે પરત ફરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મોટરસાઇકલ પર આવેલા બે માણસોએ વિનાયક ઘાટ નજીક KC કેનાલ પાસે તેના સ્કૂટરને ઇરાદાપૂર્વક ટક્કર મારી હતી, જેના કારણે તે પડી ગઈ હતી અને તેને ઈજા થઈ હતી. ત્યારપછી આરોપીઓ મદદ કરવાના બહાને તેની પાસે આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વસુંધરાએ તેને ઓટો-રિક્ષામાં લઈ જવાનો પ્રયાસ કરતી વખતે તેને HIV વાયરસનું ઇન્જેક્શન આપી દીધું હતું. જ્યારે પીડિતાએ જોરથી બૂમ બરાડા પાડ્યા ત્યારે તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

પીડિતાના પતિ, જે પોતે પણ એક ડોક્ટર છે, તેમણે 10 જાન્યુઆરીએ કુર્નૂલ-3 ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 126(2), 118(1), 272 અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.