‘કાશ્મીરી ભિખારી નથી’, ચૂંટણી પહેલા ઉમર અબ્દુલ્લા આવું કેમ બોલ્યા?

નેશનલ કોન્ફ્રેન્સના નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જલ્દી વિધાનસભા ચૂંટણી કરાવવાની માંગણી કરી છે. તેમણે મંગળવારે કહ્યું કે, ઇલેક્શન કાશ્મીરી લોકોનો અધિકાર છે અને તેના માટે કેન્દ્ર સામે અમે ભીખ નહીં માગીશું. ઉમરે કહ્યું કે, જો ચૂંટણી આ વર્ષે ન થાય તો કંઇ નહીં, પણ અમે ભિખારી નથી. હું આ પહેલા પણ કેટલીક વખત કહી ચૂક્યો છું કે, કાશ્મીરી ભિખારી નથી. જો તેઓ અમારા માટે ચૂંટણી કરાવે છે તો સારું છે. પણ તેઓ આમ નથી કરવા માગતા તો કોઇ વાંધો નથી.

પૂર્વ મુખ્યમંત્રી સાથે સંપત્તીઓ અને રાજ્યની જમીનોથી લોકોને બેદખલ કરવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી ન થવાનું આ જ કારણ છે. ઉમરે કહ્યું કે, ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર જાણે છે કે, ચૂંટાયેલી સરકાર લોકોના જખમો પર મલમ લગાવે છે પણ તેઓ મીઠું નાખે છે. તેથી તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા. તેઓ લોકોને હેરાન પરેશાન કરવા માગે છે. એવું લાગે છે કે, જખમ પર મલમ લગાવવાની જગ્યા પર, તેમને જખમ મોટું કરવાની આદત છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, હાલના આતંકવાદી હુમલાને જોતા ગ્રામ રક્ષકોને હથિયાર આપવાનો નિર્ણય સરકારની વિફળતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે, જમ્મૂ કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો રદ કરવાના સમયે ભાજપે દાવો કર્યો હતો કે, તેનાથી બંદૂક સંસ્કૃતિ ઓછી થવા લાગશે, જે અસત્ય સાબિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, 5મી ઓગસ્ટ 2019ના રોજ દેશને કહ્યું કે, કાશ્મીરમાં બંદૂક કલમ 370ના કારણે છે અને 370ને નિરસ્ત કરવાથી બંદૂક સંસ્કૃતિ ઓછી થવા લાગશે. જોકે, જમીન પર આવું નથી દેખાઇ રહ્યું. અમે રાજૌરીમાં જે પ્રકારનો હુમલો જોયો અને કાશ્મીરમાં જે પરિસ્થિતિ છે, ત્યાં સુરક્ષાબળોની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ બધું હવે એ વાતની તરફ ઇશારો કરે છે કે, સ્થિતિ નિયંત્રણમાં નથી. સરકાર હવે એ પગલું લેવા માટે મજબૂર છે.

રાજૌરી જિલ્લામાં એક ગામમાં અધિકારીઓએ હાલમાં જ સ્થાનિક સ્વયંસેવકો વાળા સંગઠન ગ્રામ રક્ષા ગાર્ડને હથિયાર સોંપ્યા. ક્ષેત્રની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વીડીજીને બંદૂકો અને કારતૂસોનું આવંટન કરવામાં આવ્યું છે. બાલ જરાલાન ગામમાં 19મી ફેબ્રુઆરી, 1999ના રોજ એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં વિવાહ સમારોહમાં શામેલ થનારા 7 લોકોના મોત થયા હતા અને 7 અન્ય લોકો ઘાયલ થયા હતા. બાલ જરાલાન ધાંગરી ગામથી લગભગ 4 કિલોમીટર દૂર જ્યાં થોડા દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં 6 લોકોના મોત થયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.