ચૂંટણી પહેલા IRCTC કેસમાં લાલૂ પરિવારને CBIની સ્પેશિયલ કોર્ટે દોષી જાહેર કર્યા, શું જેલ જશે?

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે IRCTC કેસમાં આરોપો નક્કી કર્યા છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ તમામ આરોપીઓની હાજરીમાં IRCTC કેસમાં આરોપ નક્કી કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે લાલુ યાદવની તમામ ટેન્ડરમાં દાખલઅંદાજી પણ રહેતી હતી. તેને લઈને ઘણા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે તેમની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.

દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટના સ્પેશિયલ CBI જજ વિશાલ ગોગણેએ IRCTC કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપો નક્કી કર્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ પર ભારતીય દંડ સંહિતા IPCની કલમ 420, ભારતીય દંડ સંહિતાની 120B પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે.

રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B અને 420 હેઠળ ટ્રાયલ ચાલશે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ પર પણ રેલવે મંત્રી હોવાને કારણે પ્રિવેન્શાન ઓફ કરપ્શનની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે. કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ઊભા રહેવા કહ્યું અને તેમની સામે લાગેલા આરોપો બતાવ્યા. જોકે રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આરોપ લગાવવામાં નહીં આવે. કોર્ટે તે બધા સામે છેતરપિંડીનો આરોપો પણ નક્કી કર્યા હતા. કોર્ટે લાલુ પ્રસાદ યાદવને પૂછ્યું હતું કે શું તેઓ આરોપો સ્વીકારે છે, ગિલ્ટી પ્લીડ કરે છે? અથવા ટ્રાયલનો સામનો કરશે? લાલુ યાદવે કોર્ટમાં તેમની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

કોર્ટે કહ્યું કે આ ભ્રષ્ટાચારનો કેસ છે અને તેઓ આરોપીઓની દલીલો સાથે સહમત નથી. સુનાવણી દરમિયાન CBIએ પુરાવાઓની આખી શૃંખલા રજૂ કરી. કોર્ટે માન્યું કે લાલુ પ્રસાદ યાદવની જાણકારીમાં આ કૌભાંડનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓ એક મોટા ષડયંત્રમાં સામેલ હતા, જેનો લાલુ પરિવારને ફાયદો થયો હતો. રાબડી દેવી અને તેજસ્વી યાદવને ખૂબ જ ઓછી કિંમતે જમીન મળી છે.

lalu
ndtv.com
lalu
ndtv.com

આ કેસમાં આરોપીઓમાં IRCTC ગ્રુપના પૂર્વ જનરલ મેનેજર વી.,કે અસ્થાના, આર.કે. ગોયલ, સુજાતા હૉટેલ્સના ડિરેક્ટર વિજય કોચર અને વિનય કોચરનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે CBI પાસે તેમની સામે પૂરતા પુરાવા નથી અને તેમણે તમામ આરોપોને ફગાવી દીધા છે. 28 ફેબ્રુઆરીના રોજ CBIએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે આરોપીઓ સામે પૂરતા પુરાવા છે.

CBIનું કહેવું છે કે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, એ દરમિયાન (2004 અને 2009 વચ્ચે), બિહારના લોકોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં ગ્રુપ D પોસ્ટ માટે નોકરી આપવામાં આવી હતી, જેના બદલામાં, લોકોએ લાલુ પ્રસાદના પરિવારના સભ્યો અથવા તેમની માલિકીની કંપનીઓના નામે તેમની જમીન આપી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.