ચૂંટણી પહેલા IRCTC કેસમાં લાલૂ પરિવારને CBIની સ્પેશિયલ કોર્ટે દોષી જાહેર કર્યા, શું જેલ જશે?

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે IRCTC કેસમાં આરોપો નક્કી કર્યા છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ તમામ આરોપીઓની હાજરીમાં IRCTC કેસમાં આરોપ નક્કી કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે લાલુ યાદવની તમામ ટેન્ડરમાં દાખલઅંદાજી પણ રહેતી હતી. તેને લઈને ઘણા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે તેમની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.

દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટના સ્પેશિયલ CBI જજ વિશાલ ગોગણેએ IRCTC કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપો નક્કી કર્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ પર ભારતીય દંડ સંહિતા IPCની કલમ 420, ભારતીય દંડ સંહિતાની 120B પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે.

રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B અને 420 હેઠળ ટ્રાયલ ચાલશે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ પર પણ રેલવે મંત્રી હોવાને કારણે પ્રિવેન્શાન ઓફ કરપ્શનની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે. કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ઊભા રહેવા કહ્યું અને તેમની સામે લાગેલા આરોપો બતાવ્યા. જોકે રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આરોપ લગાવવામાં નહીં આવે. કોર્ટે તે બધા સામે છેતરપિંડીનો આરોપો પણ નક્કી કર્યા હતા. કોર્ટે લાલુ પ્રસાદ યાદવને પૂછ્યું હતું કે શું તેઓ આરોપો સ્વીકારે છે, ગિલ્ટી પ્લીડ કરે છે? અથવા ટ્રાયલનો સામનો કરશે? લાલુ યાદવે કોર્ટમાં તેમની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

કોર્ટે કહ્યું કે આ ભ્રષ્ટાચારનો કેસ છે અને તેઓ આરોપીઓની દલીલો સાથે સહમત નથી. સુનાવણી દરમિયાન CBIએ પુરાવાઓની આખી શૃંખલા રજૂ કરી. કોર્ટે માન્યું કે લાલુ પ્રસાદ યાદવની જાણકારીમાં આ કૌભાંડનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓ એક મોટા ષડયંત્રમાં સામેલ હતા, જેનો લાલુ પરિવારને ફાયદો થયો હતો. રાબડી દેવી અને તેજસ્વી યાદવને ખૂબ જ ઓછી કિંમતે જમીન મળી છે.

lalu
ndtv.com
lalu
ndtv.com

આ કેસમાં આરોપીઓમાં IRCTC ગ્રુપના પૂર્વ જનરલ મેનેજર વી.,કે અસ્થાના, આર.કે. ગોયલ, સુજાતા હૉટેલ્સના ડિરેક્ટર વિજય કોચર અને વિનય કોચરનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે CBI પાસે તેમની સામે પૂરતા પુરાવા નથી અને તેમણે તમામ આરોપોને ફગાવી દીધા છે. 28 ફેબ્રુઆરીના રોજ CBIએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે આરોપીઓ સામે પૂરતા પુરાવા છે.

CBIનું કહેવું છે કે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, એ દરમિયાન (2004 અને 2009 વચ્ચે), બિહારના લોકોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં ગ્રુપ D પોસ્ટ માટે નોકરી આપવામાં આવી હતી, જેના બદલામાં, લોકોએ લાલુ પ્રસાદના પરિવારના સભ્યો અથવા તેમની માલિકીની કંપનીઓના નામે તેમની જમીન આપી હતી.

About The Author

Top News

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.