પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરમાં ભારતની સરહદમાં એક દીપડો ઘૂસી આવ્યો, શોધખોળ ચાલે છે

જમ્મૂ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા રામગઢ સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાનથી ભારતની સીમામાં આવી ગયો છે. આ વાતની જાણકારી મળતાની સાથે જ સુરક્ષા કર્મિયોએ રામગઢના સાંબામાં એલર્ટ જારી કરી દીધું છે અને વન વિભાગની ટીમો દીપડાને શોધવા માટે લાગી ગઇ છે.

જમ્મૂ-કાશ્મીરમાં આપણે અનેક વખત એવું સાંભળીએ છીએ કે આતંકવાદીઓ સરહદ પાર કરવાની ફિરાકમાં રહેતા હોય છે. પરંતુ આ વખતે પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની બોર્ડર પર એક દીપડો ઘુસી આવ્યો હોવાનં જાણવા મળ્યું છે. દીપડો ઘુસી આવ્યો હોવાની માહિતી મળતાની સાથે પોલીસ ચોકીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. વન વિભાગની ટામ શોધખોળ કરી રહી છે.

સુરક્ષા કર્મીઓએ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના સાંબા જિલ્લામાં ઇન્ટરનેશનલ બોર્ડરને અડીને આવેલા રામગઢ સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાનથી ઘુસી આવ્યો છે.

ન્યૂઝ એજન્સીના કહેવા મુજબ એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ની બોર્ડર આઉટપોસ્ટ નર્સરી પાસે દીપડો વાડ ઓળંગતો કેમેરામાં કેદ થયો હતો. સંબંધિત BSF યુનિટ પાસેથી માહિતી મળ્યા બાદ તમામ બોર્ડર પોલીસ ચોકીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક લોકોને દીપડાની હાજરી વિશેની જાણકારી આપી દેવામાં આવી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે રાતના સમયે ખાસ સાવધાની રાખવી.વન્ય જીવ સંરક્ષણ વિભાગને જાણકારી આપવામાં આવી છે અને અત્યારે દીપડાને શોધવાનો પ્રયાસ ચાલુ છે.

અધિકારીએ કહ્યું કે, સ્થાનિક લોકોની સુરક્ષા માટે કેસો, બરોટા, લગવાલ, પાખરી અને નર્સરી ચોકી નજીકના ગામોમાં પોલીસ ટીમો મોકલવામાં આવી છે. આ સાથે સ્થાનિક લોકોને ગાઢ વૃક્ષો અને છોડવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ખેડૂતોને ખેતરોમાં પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

જાણકારોનું કહેવું છે કે જંગલો કપાઇ જવાને કારણે અને પુરતું ખાવાનું નહીં મળતું હોવાથી ઘણા દીપડાઓ ખાવાનાની શોધ માટે શહેર તરફ આવી જતા હોય છે. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં તો અનેક વખત દીપડો ગામડાઓમાં ઘર સુધી આવી જતો હોય છે અને અનેક વખત બકરી કે મરધાનો શિકાર પણ કરી નાંખે છે. દક્ષિણ ગુજરાતના ગામમાં રહેતા લોકોને તો રાતે જોખમ મંડરાયેલું જ હોય છે ક્યાંકથી દીપડો ન આવી જાય.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.