તિરુપતિ મંદિર જતી 6 વર્ષની બાળકીને દિપડો જંગલમાં ઘસડી ગયો, અડધું શરીર ફાડી ખાધું

પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા માટે પોતાની મસ્તીમાં પગથિયા ચઢી રહેલી એક 6 વર્ષની બાળકીને દિપડાએ પળવારમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી. છેલ્લાં 1 મહિનામાં આ બીજી ઘટનાને કારણે શ્રધ્ધાળુઓમાં ગભરાટનો માહોલ છે.

આંધ્રપ્રદેશના તિરુપતિમાંથી હૈયુ હચમચાવનારી ઘટના સામે આવી છે. તિરુપતિમાં એક ખૂબ જ પ્રખ્યાત મંદિરમાં દર્શન કરવા જઈ રહેલી 6 વર્ષની બાળકી પર દિપડાએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.. દીપડાએ બાળકીના શરીરનો અડધો ભાગ ખાઈ લીધો હતો. મળતી માહિતી મુજબ, બાળકી મંદિર પહોંચવા માટે પગપાળા દાદર ચડી રહી હતી તે વખતે જ અચાનક દિપડો આવી ચઢ્યો હતો અને બાળકીને ઘસડીને જંગલમાં પલાયન થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા શ્રધ્ધાળુઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.

તિરુમાલા ખાતે ભગવાનના દર્શન કરવા માટે ગયા શુક્રવારે રાત્રે લગભગ 8 વાગ્યે અલીપીરી ફૂટપાથ પરથી ઘણા ભક્તો સાથે એક પરિવારે પણ પર્વત પર ચઢવાનું શરૂ કર્યું હતું. થોડો સમય ચડ્યા બાદ રાત્રે 11 વાગ્યાના સુમારે એક દિપડાએ અચાનક 6 વર્ષની લક્ષિતા પર હુમલો કર્યો હતો. હુમલો થતાં જ આસપાસના લોકોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. દિપડો બાળકીને ઘસડીને જંગલની અંદર લઈ ગયો અને તેનું અડધું શરીર ખાઈ ગયો. આ ઘટનાથી લોકો ખુબ જ ડરી ગયા છે.

પોલીસે કહ્યું હતું કે ઘટનાની જાણ થતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પંરંતુ અંધારું હોવાને કારણે સફળતા મળી નહોતી. એ પછી મંદિરના અન્ય મુલાકાતીઓએ શનિવારે સવારે 4 વાગ્યાની આસપાસ નરસિમ્હા સ્વામી મંદિર પાસે લક્ષિતાનો મૃતદેહ જોયો હતો. તેણીના  શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા.

પોલીસે જણાવ્યું હતું કે જ્યાંથી છોકરી ગુમ થઈ હતી ત્યાં સીસીટીવી સર્વેલન્સ કેમેરા નથી.  બાળકી તેના પરિવારની આગળ ચાલી રહી હતી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. બાળકી લક્ષિતા કોવુરુ મંડળના પોથીરેદ્દીપાલેમ ગામની રહેવાસી હતી.બાળકીના પરિવારજનોએ કલ્પાંત મચાવી મુક્યો હતો

લક્ષિતાના પરિવારજનો

જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં દિપડાનો આ બીજો હુમલો છે. છેલ્લા હુમલા સમયે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD) પ્રશાસને ઘણી જગ્યાએ સુરક્ષા જવાનો રાખવાની વાત કરી હતી, પરંતુ વહીવટીતંત્ર કોઈ સાવચેતી રાખતું હોય તેવું લાગતું નથી. જ્યારે ભક્તો દરરોજ ભગવાનને કરોડોનો પ્રસાદ ચઢાવે છે. જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા હવે પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવાની જરૂર છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.