ચિત્તા મિત્રએ પદ છોડી કહ્યું કુનોમાં સડેલું માંસ ખાવાથી ચિત્તા મરી રહ્યા છે

કુનો નેશનલ પાર્કમાં છેલ્લાં કેટલાંક સમયથી ચિત્તાઓના ચિંતાજનક હદે મોત થઇ રહ્યા છે. હવે પૂર્વ ડાકુએ ચોંકાવનારો આરોપ લગાવતા કહ્યું છે કે સડેલું માંસ ખાવાને કારણે ચિત્તાઓના કસમયે મોત થઇ રહ્યા છે. પૂર્વ ડાકુએ ચિત્તા મિત્ર તરીકેનું પદ પણ છોડી દીધું છે. તેમણે ડોકટરો અને અધિકારીઓ પર ગંભીર આરોપ મુક્યા છે.

કુનો નેશનલ પાર્કમાં નામિબ્યા અને દક્ષિણ આફ્રીકાના જંગલોમાંથી લાવવામાં આવેલા ચિત્તાઓના અચાનક મોત થઇ રહ્યા છે. ચિત્તાની સુરક્ષા માટે રાખવામાં આવેલા ચિત્તા-મિત્ર અને પૂર્વ ડાકુ રમેશ સિકરવારે આરોપ લગાવ્યો છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ સડેલું માંસ ખાઇ રહ્યા છે જેને કારણે તેમના મોત થઇ રહ્યા છે.

ચિત્તા -મિત્ર રમેશ સિકરવારનું કહેવું છે કે ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં 2 થી 3 દિવસ સુધી ભૂખ્યા રાખવામાં આવે છે, ભૂખને કારણે તેઓ સડેલું માંસ ખાય છે અને બીમાર થઈ જાય છે. ચિત્તાના મૃત્યુનું સાચું કારણ આ છે. એક પછી એક થઈ રહેલા ચિત્તાઓના મોતથી ચિતા મિત્ર દુખી છે, તેથી તે પોતાનું પદ છોડી રહ્યા છે.

રમેશ સિકરવાર ભૂતપૂર્વ ડાકુ છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના રક્ષણ માટે લગભગ 90 ગામના 457 લોકોને ચિત્તા મિત્ર બનાવવામાં આવ્યા હતા. જ્યારે રમેશ સિકરવારનું નામ સામે આવ્યું ત્યારે અચાનક લોકો તેના ભૂતકાળ વિશે વાત કરવા લાગ્યા હતા. તેણે 70 થી વધુ હત્યાઓ કરી હતી. ચિત્તાઓના મોતથી દુખી થઇને રમેશ સિકરવારે ચિતા-મિત્ર તરીકેનું પદ છોડી દીધું છે.

ચિત્તા- મિત્ર રમેશ સિકરવાર કહે છે કે  ચિત્તાને તાજું માંસ મળતું નથી. ચિત્તા મિત્રોને સ્વખર્ચે જંગલમાં બેઠક માટે જવું પડે છે. નાસ્તો કરાવીને, ફોટા લઇને તેમને સમજાવી દેવામાં આવે છે. માહિતી આપવા છતા અધિકારીઓ કોઇ પગલાં લેતા નથી. પાર્કમાં ચિત્તાઓને વાસી માંસ ખવડાવવામાં આવે છે. જો ચિત્તા મિત્રોનું ધ્યાન રાખવામાં આવે તો તેઓ કોઈપણ કિંમતે પાર્કની બહાર જવા દેશે નહીં.

કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાઓના મોત થયા છે. એના માટે અલગ-અલગ  દાવોઓ કરવામાં આવી રહ્યા છે. ચિત્તાઓના મોતનું હજુ સુધી સાચું કારણ સામે આવ્યું નથી, પરંતુ મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ચિત્તાઓ ભારતના જંગલમાં સર્વાઇવ થઇ રહ્યા નથી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.