16 વર્ષની ઉંમરે 45ની મહિલાને પ્રેમ, થોડા દિવસ ચાલ્યો પ્રેમ, પછી સગીરની આત્મહત્યા

એવું કહેવામાં આવે છે કે, પ્રેમ ક્યારેય ઉંમર જોતો નથી. અને જાત પાત સાથે પણ તેને કોઈ લેવા દેવા નથી. આ કોઈપણ સમયે, કોઈની પણ સાથે થઈ શકે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના રામપુરથી સામે આવ્યો છે. અહીં, નાની ઉંમરે, એક છોકરો તેની ઉંમરથી ત્રણ ગણી સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ, પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા દિવસો સુધી બંને વચ્ચે વાતચીત ચાલુ રહી, પરંતુ થોડા દિવસો પછી છોકરાએ અચાનક આત્મહત્યા કરી લીધી. જ્યારે કારણ જાણવા મળ્યું તો મામલો ચોંકાવનારો બહાર આવ્યો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે મહિલાએ છોકરા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. સગીર પ્રેમી એ સહન ન કરી શક્યો અને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસ કર્યા પછી પોલીસ તેને આત્મહત્યા માની રહી છે, જ્યારે સગીર છોકરાના પરિવારજનોએ મહિલા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે હજુ સુધી મામલો પોલીસ મથકે પહોંચ્યો નથી.

આ મામલો શાહબાદની ઢાકિયા પોલીસ ચોકીના ગામ ગડામર પટ્ટીનો છે. ગામમાં રહેતો 16 વર્ષનો કિશોર લારી લગાવી કામ કરીને પરિવારને મદદ કરતો હતો. થોડા સમય પહેલા આ જ ગામની એક પિસ્તાળીસ વર્ષની મહિલા સાથે તેની મિત્રતા થઈ હતી. ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ બંનેને ખબર જ ના પડી. તે તેના કરતા ત્રણ ગણી મોટી હોવા છતાં તે સ્ત્રીને એટલો ઊંડો પ્રેમ કરતો હતો કે તે બીજું કંઈ વિચારી શકતો ન હતો. એવું કહેવાય છે કે, પાછલા કેટલાક દિવસોમાં જ મહિલાએ કિશોર સાથે કોઈ મુદ્દે ગુસ્સે થઈને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. કિશોર આ સહન કરી શક્યો ન હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરે પહેલા મહિલાને ધમકી આપી હતી કે, જો તે વાત નહીં કરે તો તે ઝેર ખાઈને આત્મહત્યા કરી લેશે. તેના શબ્દોને માત્ર ધમકીઓ માનીને મહિલા શાંત રહી, પરંતુ છોકરાએ દુઃખમાં આત્મહત્યા કરી લીધી. કિશોરની લાશ ગામના છેવાડે આવેલા તળાવના કિનારે પડી હતી. બીજી તરફ કિશોરના ભાઈનો આરોપ છે કે મહિલા તેને ઘરેથી બોલાવીને લઇ ગઈ હતી અને ત્યાર પછી તેને ઝેર ખવડાવીને તેનો જીવ લઇ લીધો હતો. તેમના કહેવા પ્રમાણે, મરતા પહેલા કિશોરે પોતે આ અંગે તેમને જાણ કરી હતી. કોટવાલ અનુપમ શર્માનું કહેવું છે કે, કિશોરે આત્મહત્યા કરી હોવાની માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. કિશોરીના પરિવારે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. જો ફરિયાદ મળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.