લાંચ લેતા રેવેન્યૂ અધિકારી પકડાયો પછી જુઓ શું કર્યું, વીડિયો

લખનૌમાં એ સમયે હંગામો થઇ ગયો જ્યારે વિજિલેંસની ટીમે એક રેવેન્યૂ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો. આરોપ છે કે આ અધિકારીએ પ્રમાણપત્ર બનાવવા માટે 15000 રૂપિયાની લાંચ માગી હતી. ત્યારે જ વિજિલેંસની ટીમે તેને પકડી પાડ્યો. આરોપીને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેવેન્યૂ અધિકારી આજીજી કરી રહ્યો હતો કે તેને અરેસ્ટ ન કરવામાં આવે. વિજિલેંસની ટીમમાં સામેલ લોકો આરોપીને ઘસડીને લઇ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જાણકારી અનુસાર, વિજિલેંસની ટીમે જે રેવેન્યૂ અધિકારીને પકડ્યો છે તેનું નામ અવિનાશ ચંદ્ર ઓઝા છે. આરોપ છે કે અવિનાશે પ્રમાણપત્ર બનાવવાના નામ પર લાંચ માગી હતી. જેની ફરિયાદ પીડિતે વિજિલેંસ વિભાગને કરી હતી. ફરિયાદ મળ્યા પછી ટીને રેવેન્યૂ અધિકારીની ઓફિસમાં રેડ મારીને તેને લાંચ લેતા પકડી લીધો.

અમન ત્રિપાઠી નામના વ્યક્તિએ પ્રમાણપત્ર બનાવવાનું હતું. જેના માટે તેણે લખનૌના સદર તહસીલના રેવેન્યૂ અધિકારી અવનીશ ચંદ્ર ઓઝાનો સંપર્ક કર્યો હતો. પણ તેની અવેજમાં અવનીશે અમન પાસે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. ત્યાર બાદ અમન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. લખનૌ વિજિલેંસ વિભાગમાં આ મામલે ફરિયાદ મળતા એક્શન લેવામાં આવ્યું. વિજિલેંસની ટીમને રેવેન્યૂ અધિકારીની પાસેથી લાંચના રૂપિયા મળ્યા છે.

15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયેલા આરોપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આરોપી પોતાને છોડાવવાની કોશિશ કરી રહ્યો છે. એક જગ્યાએ તો એ જમીન પર બેસી જાય છે અને કહેવા લાગે છે કે, હું નહીં જઇશ. મેં કોઇ રૂપિયા લીધા નથી. ટીમ તેને ઉઠાવીને જબરદસ્તીથી લઇ જઇ ગાડીમાં બેસાડી દે છે. લખનૌના આ રેવેન્યૂ અધિકારી સામે ઉત્તર પ્રદેશની વિજિલેંસ વિંગના લખનૌ સેક્ટરમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં જ અવિનાશ ઓઝાની બદલી રાયબરેલીથી લખનૌ થઇ હતી. આ મામલાને લઇ એડીએમ ડૉ. શુભી સિંહનું કહેવું છે કે, હાલમાં એન્ટી કરપ્શન તરફથી અધિકારીના સંબંધમાં કોઇ લેટર આવ્યો નથી. લેટર મળવા પર અધિકારી સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.