શું ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર બેન લાગશે? કોર્ટે સરકારને કહ્યું...

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પૂરી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ વધી રહી છે. મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જનહિતની અરજી (PIL) પર સુનાવણી કરતા ન્યાયાધીશ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચન્દ્રનની ડિવિઝન બેન્ચે ઇન્ટરનેટ પર બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને એક સલાહ પણ આપી છે.

HC
livelaw.in

મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની શક્યતા શોધવા અને ઓસ્ટ્રેલિયા જેવો જ કાયદો બનાવવાની સલાહ આપી છે. બેન્ચે કહ્યું કે સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી બાળકો માટે હાનિકારક છે. માતા-પિતા સાથે-સાથે સરકારની પણ જવાબદારી છે કે તેઓ બાળકોને આવી સામગ્રીથી બચાવે, કારણ કે તેનાથી તેમના સામાજિક, નૈતિક અનેવ્યાવહારિક જીવન પર અસર પડે છે અને દેશ માટે પણ તે ખતરનાક છે.

મદુરાઈ બેન્ચે કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને કાયદો નહીં બનાવે, ત્યાં સુધી દેશભરના સંબંધિત અધિકારીઓ અને વિભાગો જાગૃતિ અભિયાન ચલાવીને માતા-પિતાને બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગથી થતા નુકસાન અને જોખમો વિશે જણાવે અને તેનાથી બચવા માટે ઉપાય પણ જણાવે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે કમિશન બનાવીને બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર દેખરેખ રાખવાની જરૂર છે, કારણ કે તેનાથી સાઇબર બુલિંગનું જોખમ વધારે છે.

social-media2
roselandtherapy.com

તમને જણાવી દઈએ કે, મદુરાઈ જિલ્લાના એસ. વિજયકુમારે 2018માં જનહિતની અરજી દાખલ કરીને રિટ ઓફ મેન્ડમસની માંગ કરી હતી. સાથે જ દેશભરના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs)ને પેરેન્ટ વિન્ડો અથવા પેરેન્ટલ કંટ્રોલ સર્વિસ પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટ પર જે અશ્લીલ સામગ્રી  પ્રસારિત થાય છે, તે બાળકો સુધી સરળતાથી પહોંચી રહી છે. માત્ર અશ્લીલ સામગ્રી જ નહીં, પરંતુ જાતીય શોષણ કરતી સામગ્રી પણ તેમના સુધી સરળતાથી પહોંચે છે, જેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેમના ભાવનાત્મક અને વ્યાવહારિક વિકાસ પર અસર પડે છે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.