રાજ ઠાકરેના દીકરાને ટોલ પ્લાઝા પર રોક્યો તો કાર્યકર્તાઓએ કરી તોડફોડ, જુઓ Video

મહારાષ્ટ્રના નાસિકમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર સ્થિત એક ટોલ પ્લાઝા પર રાજ ઠાકરેની MNS પાર્ટીના કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અને નેતા અમિત ઠાકરેને ટોલ પ્લાઝા પર રોકવા અને અડધો કલાક સુધી રાહ જોવડાવવાને લીધે પાર્ટીના કાર્યકર્તાઓએ શનિવારે મોડી રાતે સિન્નર ટોલ પ્લાઝાના બૂથ પર તોડફોડ કરી.

મનસે અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત અમિત ઠાકરેનો કાફલો શનિવારે સાંજે સમૃદ્ધિ એક્સપ્રેસ વેના રસ્તે અહમદનગરથી સિન્નર પાછા ફરી રહ્યા હતા, જ્યારે તેમને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ રોક્યા. ટોલકર્મીએ તેમને ઓળખપત્ર દેખાડવા માટે પણ કહ્યું. જેને કારણે તેમની પાર્ટીના કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા. ત્યાર પછી રવિવારે લગભગ મોડી રાતે 2.30 વાગ્યે મનસે કાર્યકર્તાઓની એક ભીડે પ્લાઝા પર હુમલો કરી તોડફોડ કરી. એટલું જ નહીં ત્યાં મોજૂદ પદાધિકારીઓ પાસે માફી પણ મંગાવી.

નેતાને રાહ જોવડાવી તો કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા

વાતચીત સમયે માહોલ ગરમાયો અને મનસે પાર્ટીના કાર્યકર્તા ઉપદ્રવી બની ગયા અને ત્યાર બાદ ટોલ પ્લાઝા પર તોડફોડ કરી. મનસે કાર્યકર્તાઓએ દાવો કર્યો કે ટોલ બૂથના કર્મચારીઓએ તેમના નેતાને રાહ જોવડાવવામાં અભદ્રતા દેખાડી. મનસે કાર્યકર્તાઓ 3 કારમાં સવાર થઇને ટોલ પ્લાઝા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટોલ પ્લાઝા પર મારપીટ અને તોડફોડને લઈ હજુ સુધી કેસ નોંધાયો નથી. પણ પોલીસે વીડિયોના આધારે કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસે સાથે એવું પણ કહ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને ટોલ પ્રશાસન ફરિયાદ દાખલ કરવા કે ઘટના વિશે વાત કરવાની પણ ના પાડી રહ્યા છે. વાવી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને સીસીટીવી વગેરેની તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ પાસેથી કોઈ ફરિયાદ મળી નથી પણ કેસ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.