રાજ ઠાકરેના દીકરાને ટોલ પ્લાઝા પર રોક્યો તો કાર્યકર્તાઓએ કરી તોડફોડ, જુઓ Video

On

મહારાષ્ટ્રના નાસિકમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર સ્થિત એક ટોલ પ્લાઝા પર રાજ ઠાકરેની MNS પાર્ટીના કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અને નેતા અમિત ઠાકરેને ટોલ પ્લાઝા પર રોકવા અને અડધો કલાક સુધી રાહ જોવડાવવાને લીધે પાર્ટીના કાર્યકર્તાઓએ શનિવારે મોડી રાતે સિન્નર ટોલ પ્લાઝાના બૂથ પર તોડફોડ કરી.

મનસે અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત અમિત ઠાકરેનો કાફલો શનિવારે સાંજે સમૃદ્ધિ એક્સપ્રેસ વેના રસ્તે અહમદનગરથી સિન્નર પાછા ફરી રહ્યા હતા, જ્યારે તેમને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ રોક્યા. ટોલકર્મીએ તેમને ઓળખપત્ર દેખાડવા માટે પણ કહ્યું. જેને કારણે તેમની પાર્ટીના કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા. ત્યાર પછી રવિવારે લગભગ મોડી રાતે 2.30 વાગ્યે મનસે કાર્યકર્તાઓની એક ભીડે પ્લાઝા પર હુમલો કરી તોડફોડ કરી. એટલું જ નહીં ત્યાં મોજૂદ પદાધિકારીઓ પાસે માફી પણ મંગાવી.

નેતાને રાહ જોવડાવી તો કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા

વાતચીત સમયે માહોલ ગરમાયો અને મનસે પાર્ટીના કાર્યકર્તા ઉપદ્રવી બની ગયા અને ત્યાર બાદ ટોલ પ્લાઝા પર તોડફોડ કરી. મનસે કાર્યકર્તાઓએ દાવો કર્યો કે ટોલ બૂથના કર્મચારીઓએ તેમના નેતાને રાહ જોવડાવવામાં અભદ્રતા દેખાડી. મનસે કાર્યકર્તાઓ 3 કારમાં સવાર થઇને ટોલ પ્લાઝા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટોલ પ્લાઝા પર મારપીટ અને તોડફોડને લઈ હજુ સુધી કેસ નોંધાયો નથી. પણ પોલીસે વીડિયોના આધારે કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસે સાથે એવું પણ કહ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને ટોલ પ્રશાસન ફરિયાદ દાખલ કરવા કે ઘટના વિશે વાત કરવાની પણ ના પાડી રહ્યા છે. વાવી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને સીસીટીવી વગેરેની તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ પાસેથી કોઈ ફરિયાદ મળી નથી પણ કેસ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.