રાજ ઠાકરેના દીકરાને ટોલ પ્લાઝા પર રોક્યો તો કાર્યકર્તાઓએ કરી તોડફોડ, જુઓ Video

મહારાષ્ટ્રના નાસિકમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર સ્થિત એક ટોલ પ્લાઝા પર રાજ ઠાકરેની MNS પાર્ટીના કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અને નેતા અમિત ઠાકરેને ટોલ પ્લાઝા પર રોકવા અને અડધો કલાક સુધી રાહ જોવડાવવાને લીધે પાર્ટીના કાર્યકર્તાઓએ શનિવારે મોડી રાતે સિન્નર ટોલ પ્લાઝાના બૂથ પર તોડફોડ કરી.

મનસે અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત અમિત ઠાકરેનો કાફલો શનિવારે સાંજે સમૃદ્ધિ એક્સપ્રેસ વેના રસ્તે અહમદનગરથી સિન્નર પાછા ફરી રહ્યા હતા, જ્યારે તેમને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ રોક્યા. ટોલકર્મીએ તેમને ઓળખપત્ર દેખાડવા માટે પણ કહ્યું. જેને કારણે તેમની પાર્ટીના કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા. ત્યાર પછી રવિવારે લગભગ મોડી રાતે 2.30 વાગ્યે મનસે કાર્યકર્તાઓની એક ભીડે પ્લાઝા પર હુમલો કરી તોડફોડ કરી. એટલું જ નહીં ત્યાં મોજૂદ પદાધિકારીઓ પાસે માફી પણ મંગાવી.

નેતાને રાહ જોવડાવી તો કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા

વાતચીત સમયે માહોલ ગરમાયો અને મનસે પાર્ટીના કાર્યકર્તા ઉપદ્રવી બની ગયા અને ત્યાર બાદ ટોલ પ્લાઝા પર તોડફોડ કરી. મનસે કાર્યકર્તાઓએ દાવો કર્યો કે ટોલ બૂથના કર્મચારીઓએ તેમના નેતાને રાહ જોવડાવવામાં અભદ્રતા દેખાડી. મનસે કાર્યકર્તાઓ 3 કારમાં સવાર થઇને ટોલ પ્લાઝા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટોલ પ્લાઝા પર મારપીટ અને તોડફોડને લઈ હજુ સુધી કેસ નોંધાયો નથી. પણ પોલીસે વીડિયોના આધારે કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસે સાથે એવું પણ કહ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને ટોલ પ્રશાસન ફરિયાદ દાખલ કરવા કે ઘટના વિશે વાત કરવાની પણ ના પાડી રહ્યા છે. વાવી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને સીસીટીવી વગેરેની તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ પાસેથી કોઈ ફરિયાદ મળી નથી પણ કેસ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.