રાજ ઠાકરેના દીકરાને ટોલ પ્લાઝા પર રોક્યો તો કાર્યકર્તાઓએ કરી તોડફોડ, જુઓ Video

મહારાષ્ટ્રના નાસિકમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર સ્થિત એક ટોલ પ્લાઝા પર રાજ ઠાકરેની MNS પાર્ટીના કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અને નેતા અમિત ઠાકરેને ટોલ પ્લાઝા પર રોકવા અને અડધો કલાક સુધી રાહ જોવડાવવાને લીધે પાર્ટીના કાર્યકર્તાઓએ શનિવારે મોડી રાતે સિન્નર ટોલ પ્લાઝાના બૂથ પર તોડફોડ કરી.

મનસે અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત અમિત ઠાકરેનો કાફલો શનિવારે સાંજે સમૃદ્ધિ એક્સપ્રેસ વેના રસ્તે અહમદનગરથી સિન્નર પાછા ફરી રહ્યા હતા, જ્યારે તેમને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ રોક્યા. ટોલકર્મીએ તેમને ઓળખપત્ર દેખાડવા માટે પણ કહ્યું. જેને કારણે તેમની પાર્ટીના કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા. ત્યાર પછી રવિવારે લગભગ મોડી રાતે 2.30 વાગ્યે મનસે કાર્યકર્તાઓની એક ભીડે પ્લાઝા પર હુમલો કરી તોડફોડ કરી. એટલું જ નહીં ત્યાં મોજૂદ પદાધિકારીઓ પાસે માફી પણ મંગાવી.

નેતાને રાહ જોવડાવી તો કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા

વાતચીત સમયે માહોલ ગરમાયો અને મનસે પાર્ટીના કાર્યકર્તા ઉપદ્રવી બની ગયા અને ત્યાર બાદ ટોલ પ્લાઝા પર તોડફોડ કરી. મનસે કાર્યકર્તાઓએ દાવો કર્યો કે ટોલ બૂથના કર્મચારીઓએ તેમના નેતાને રાહ જોવડાવવામાં અભદ્રતા દેખાડી. મનસે કાર્યકર્તાઓ 3 કારમાં સવાર થઇને ટોલ પ્લાઝા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટોલ પ્લાઝા પર મારપીટ અને તોડફોડને લઈ હજુ સુધી કેસ નોંધાયો નથી. પણ પોલીસે વીડિયોના આધારે કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસે સાથે એવું પણ કહ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને ટોલ પ્રશાસન ફરિયાદ દાખલ કરવા કે ઘટના વિશે વાત કરવાની પણ ના પાડી રહ્યા છે. વાવી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને સીસીટીવી વગેરેની તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ પાસેથી કોઈ ફરિયાદ મળી નથી પણ કેસ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન...
Gujarat 
કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક...
Charcha Patra 
હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગરીબ ડિલિવરી બોયના પાન કાર્ડનો દુરુપયોગ કરીને...
National 
એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા...
World 
ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.