મણિપુર BJPમાં કેમ મચી છે અફરાતફરી? માત્ર 19 દિવસમાં 4 ધારાસભ્યોનું રાજીનામું

મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. છેલ્લા 19 દિવસમાં અહી ભાજપના 4 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. સોમવારે મણિપુર નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી (MANIREDA)ના અધ્યક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ અગાઉ 20 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય પાઓનામ બ્રોજેને રાજીનામાં પાછળ અંગત કારણોનો સંદર્ભ આપ્યો હતો. તેમના પહેલા 17 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય કરમ શ્યામે પર્યટન નિગમ મણિપુર લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપના ધારાસભ્યોનાં રાજીનામાનો આ સિલસિલો 8 એપ્રિલથી શરૂ થયો છે. 8 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે મુખ્યમંત્રીના સલાહકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સોમવારે રાજીનામું આપનારા ભાજપના ચોથા ધારાસભ્ય ખ્વાઈરાકપમે અંગત કારણો અને જનહિતની બાબતો પર રાજીનામું આપવાની વાત કહી છે. રઘુમણિએ મુખ્યમંત્રી એન. બીરેન સિંહને લખેલા રાજીનામમાં કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત કારણોથી અને જનહિતમાં પદ છોડી રહ્યા છે.

તેમણે રાજીનામામાં લખ્યું કે, મેં એવું અનુભવ્યું કે, MANIREDAના અધ્યક્ષના રૂપમાં મારી નિરંતરતા આ સમયે આવશ્યકતા નથી. આ અગાઉ 20 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય બ્રોજેને પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત ટ્વીટ કરતા કરી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે, ‘હું અંગત કારણોથી મણિપુર ડેવલપમેન્ટ સોસાયટી, ઈંકાલના અધ્યાક્ષ પદ પરથી રાજીનામું આપું છું. તેને સ્વીકારવામાં આવે. પાઓનામ પહેલા 17 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય કરમ શ્યામે પર્યટન નિગમ મણિપુર લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા ફરિયાદ કરી હતી કે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી.

મણિપુર ભાજપના ધારાસભ્યોમાં અસંતોષનું એક મોટું કારણ મુખ્યમંત્રી એન. બીરેન સિંહ છે. અસંતુષ્ટ ધારાસભ્ય કેન્દ્રીય નેતાઓ પાસે મુખ્યમંત્રી બીરેન સિંહને બદલવાની માગ કરી રહ્યા છે. આ માંગ હેઠળ મણિપુર ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોનો એક વિભાગ દિલ્હી પણ ગયો હતો. જો કે, ભાજપના ઉચ્ચ નેતૃત્વ તરફથી મુખ્યમંત્રી બીરેન સિંહ કે કેબિનેટમાં બદલાવને લઈને કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેથી ભાજપના ધારાસભ્યોનો રાજીનામું આપવાનો સિલસિલો ચાલુ છે.

ભાજપના ધારાસભ્યોના પોતાના પદ પરથી રાજીનામાં વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી એન. બીરેન સિંહની સરકારમાં મતભેદ ખૂલીને સામે આવી રહ્યા છે. પાર્ટીના એક મુખ્ય નેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરવું કે, વિવાદને પાર્ટીના કોઈ ઉચ્ચ અધિકારી પાસે લઈ જવું અનુશાસનહીનતા સમાન નથી. મણિપુર વેલીમાં ધારાસભ્યો વચ્ચે અસંતોષ ખૂબ પહેલાથી ચાલી રહ્યો છે. મણિપુર વિધાનસભાની ચૂંટણી 2022માં થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે મોટો રેકોર્ડ બનાવતા પોતાના દમ પર બહુમત હાંસલ કર્યો હતો. 60 વિધાનસભા સીટવાળી મણિપુર વિધાનસભામાં ભાજપને 32 સીટો મળી હતી.

Related Posts

Top News

રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે છેલ્લાં ઘણા સમયથી ભાષા વિવાદથી મરાઠા સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં પોલીસ અને ઉદ્યોગકારો...
Gujarat 
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-07-2025 વાર - ગુરુવાર મેષ - સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી, ગુસ્સાવાળો સ્વભાવ નડી શકે છે, પોતાની જાત પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.