લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે. બજેટ સત્રના પહેલા જ દિવસે સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવની નોટિસ કોંગ્રેસના સાંસદો ડૉ. મોહમ્મદ જાવેદ, કે. સુરેશ અને ડૉ. મલ્લુ રવિ તરફથી આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ સાંસદો દ્વારા સ્પીકરને પદ પરથી હટાવવાના પ્રસ્તાવની નોટિસમાં વિપક્ષી મહિલા સાંસદો પર ગેરવાજબી આરોપો લગાવવાથી લઈને સમગ્ર સત્ર માટે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સુધીના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં વિપક્ષી સભ્યો તરફથી સ્પીકરના વર્તન પર પ્રશ્નાર્થ લગાવતા શાસક પક્ષના સભ્યોની તરફેણ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

Om-Birla1
ndtv.com

નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સ્પીકર શાસક પક્ષના સાંસદોને અયોગ્ય વર્તન માટે ટોકતા નથી. સ્પીકર પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિવાદાસ્પદ મુદ્દાઓ પર તેઓ શાસક પક્ષનો સાથ આપે છે. 9 માર્ચની કાર્યવાહીમાં જે એજન્ડા સામે આવ્યો છે, તેમાં રૂટિનના મુદ્દાઓ સિવાય માત્ર એક આ પ્રસ્તાવનો ઉલ્લેખ છે. પહેલા દિવસના એજન્ડામાં સરકાર તરફથી કોઈ કાયદાકીય કાર્ય નથી.

લોકસભાના વર્તમાન સભ્ય ડૉ. રિકી એન્ડ્રૂ જે. સિંગકોનનું તાજેતરમાં અવસાન થયું હતું. 9 માર્ચે લોકસભામાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. નોંધનીય છે કે બજેટ સત્રનો પહેલો હાફ તોફાની રહ્યો હતો. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ઘણા દિવસો સુધી ખોરવાઈ હતી. સ્પીકરે કેટલાક વિપક્ષી સાંસદોને અમર્યાદિત વર્તન બદલ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કર્યા હતા.

Om-Birla
thehindu.com

વિપક્ષી કોંગ્રેસના સાંસદોએ લોકસભા સચિવાલયમાં સ્પીકરને તેમના પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી હતી. હવે, આ પ્રસ્તાવ 9 માર્ચે ગૃહમાં રજૂ થવાનો છે, જેને લઈને શાસક NDAના નેતૃત્વ હેઠળના ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ બંનેએ તેમના સભ્યોને 3 લાઇનનો વ્હીપ જાહેર કરીને તે દિવસે ગૃહમાં હાજર રહેવાનું કહ્યું છે.

About The Author

Related Posts

Top News

આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃ*તદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન...
Gujarat 
આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન બાદ વધુ એક દેશ સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો...
World 
ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે....
Politics 
લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય...
National 
‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.