જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનું અભિયાન નિષ્ફળ; ઓમ બિરલા અને રાધાકૃષ્ણને CECને હટાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા માટે પ્રસ્તાવ લાવવાની માંગ કરતી વિપક્ષની નોટિસને ફગાવી દીધી. આ માહિતી લોકસભા અને રાજ્યસભાના સચિવાલયો દ્વારા આપવામાં આવી હતી. 12 માર્ચે લોકસભાના 130 વિપક્ષી સભ્યો અને રાજ્યસભાના 63 વિપક્ષી સભ્યોએ બંને ગૃહોમાં કુમાર વિરુદ્ધ નોટિસ રજૂ કરી હતી.

લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે, ભારતના બંધારણ (અનુચ્છેદ 324(5) અને 124(4), મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ની કલમ 11(2) અને ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 અનુસાર, 12 માર્ચ, 2026ના રોજ લોકસભાના 130 સભ્યો દ્વારા સહી કરાયેલી દરખાસ્ત અંગેની નોટિસ લોકસભા અધ્યક્ષને સુપરત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

gyanesh-kumar1
facebook.com/theprintindia

સચિવાલયે કહ્યું હતું કે, ‘પ્રસ્તાવની નોટિસ પર યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ, અને તેમાં સામેલ તમામ સંબંધિત પાસાઓ અને મુદ્દાઓનું કાળજીપૂર્વક અને વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન કર્યા બાદ લોકસભા અધ્યક્ષે ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968ની કલમ 3 હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને ઉપરોક્ત દરખાસ્તની નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

રાજ્યસભાના અધ્યક્ષ રાધાકૃષ્ણને પણ વિપક્ષની નોટિસને ફગાવી દીધી હતી. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, પ્રસ્તાવની સૂચના પર યોગ્ય ચર્ચા-વિચારણા અને કાળજીપૂર્વક અને વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન બાદ, અધ્યક્ષે ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને ઉપરોક્ત સૂચના સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

gyanesh-kumar
wionews.com

નોટિસમાં લોકસભાના 130 વિપક્ષી સભ્યો અને રાજ્યસભાના 63 વિપક્ષી સભ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર પર કાર્યપાલિકાના ઇશારે કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દ્વારા લોકોને 'મોટા પાયે મતાધિકારથી વંચિત' રાખવામાં આવી રહ્યા છે.

About The Author

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.