શહીદ યોગેશના પિતા બોલ્યા- ‘એક શું 4 દીકરા હોત તો પણ સેનામાં મોકલત’

જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા લાન્સ નાયક યોગેશ કુમારનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આતંકવાદીઓના સફાયા માટે અનંતનાગમાં ચાલી રહેલા સેનાના ઓપરેશનમાં ચૂરૂના રહેવાસી યોગેશ કુમારે લડતા લડતા પોતાની શહીદી આપી દીધી. યોગેશ કુમારની શહીદી થવાની જાણકારી મળતા જ આખા જિલ્લામાં શોકની લહેર પ્રસરી ગઈ. 14 RR લાન્સ નાયક યોગેશ કુમાર સ્પોર્ટ્સ કોટાથી 9 વર્ષ અગાઉ સેનામાં ભરતી થયા હતા.

એકમાત્ર દીકરો શહીદ થવા પર પૃથ્વી સિંહે કહ્યું કે, જો 4 દીકરા પણ હોત તો બધાને દેશ સેવામાં મોકલતો, હવે પોતાને સેનામાં ભરતી કરવા તૈયાર કરીશ. શહીદ થયેલા યોગેશ કુમારના કાકા રણધીર સિંહે કહ્યું કે, યોગેશ વર્ષ 2013માં સ્પોર્ટ્સ કોટાથી કોન્સ્ટેબલના પદ પર 18 કેવલરી બટાલિયન (I)માં ભરતી થયા હતા. યોગેશન દાદા પણ સેનામાં હતા. આનંતનગમાં સર્ચ ઓપરેશનમાં શહીદ થયેલા યોગેશ કુમારના મિત્ર ધારેન્દ્ર છિંપીએ જણાવ્યું કે, યોગેશ ખૂબ બહાદુર અને જાંબાજ હતો.

શનિવારની રાત્રે સર્ચ ઓપરેશન દરમિયાન યોગેશ કુમાર પર્વત ઉપર તૈનાત હતા અને લગભગ 11:30 વાગ્યાથી 12:00 વાગ્યા વચ્ચે આતંકવાદીઓ સામે તેમનો સીધો સામનો થયો. આતંકવાદીઓની ગોળી લાગવાથી યોગેશ કુમાર શહીદ થઈ ગયા. સેનાના અધિકારી કેપ્ટન દીલિપ સિંહે જણાવ્યું કે, શહીદ યોગેશનું પાર્થિવ દેહ સોમવારે સવારે 09:30 વાગ્યે દિલ્હી અને લગભગ 02:30 વાગ્યે રાજગઢ પહોંચવાની આશા છે. પૃથ્વી સિંહના ઘેર જન્મ લેનાર શહીદ યોગેશ પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા.

તેઓ સેનાના 18 કેવલરી બટાલિયનથી 14 રાષ્ટ્રીય રાઈફલ્સ ડેપુટેશન પર તૈનાત હતા. શનિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા તેમણે શહીદી આપી. યોગેશ પોતાની પાછળ એક 4 વર્ષનો દીકરો અને 9 મહિનાની દીકરી છોડી ગયા છે. તેમની પત્ની સ્વાસ્થ્ય વિભાગમાં GNM પદ પર તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર વેલીના અનંતનાગ જિલ્લામાં છઠ્ઠા દિવસે પણ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાબળો માટે જિલ્લાના કોકરનાગના ગડૂલના ગાઢ જંગલ અને સીધા પર્વત પડકાર બની રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ જંગલ અને પર્વતો વચ્ચે બનેલી પ્રાકૃતિક ગુફાઓ વચ્ચે આતંકીઓ છુપાયા છે. આ સ્થળીને ધ્વસ્ત કરવા માટે સુરક્ષાબળોએ આધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ડ્રોન, રોકેટ લોન્ચર, IED વગેરેનો પ્રયોગ કરીને આતંકવાદીઓના 5 સ્થળોને મલિયામેટ કરી દીધા છે. અહીં એક સળગેલું શબ પણ મળ્યું છે જે માનવામાં આવી રહ્યું છે કે આતંકીનું છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.