UPમા બ્રેકના સ્થાને એસ્કેલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ

ઉત્તર પ્રદેશના મથુરામાં મોડી રાતે રેલવે સ્ટેશન પર એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઇ. ભલુ રહ્યું કે આ દરમિયાન કોઇને ઈજા પહોંચી નહીં. જ્યારે આ ઘટના બની, તે સમયે બધા લોકો ટ્રેનમાંથી ઉતરી ચૂક્યા હતા અને ટ્રેનને બંધ કરી નક્કી કરેલા સ્થાને પહોંચાડવાની હતી. તે દરમિયાન ટ્રેનની બ્રેકના સ્થાને એસ્કેલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઇ.

જાણકારી અનુસાર, લગભગ 10 વાગ્યે લોકલ ટ્રેન દિલ્હીથી મથુરા પહોંચી હતી. જ્યાં મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ચૂક્યા હતા. ત્યાર બાદ ટ્રેનને બંધ કરવાની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે ટ્રેનને રોકવા માટે બ્રેક મારવાની હતી, પણ ભૂલમાં એસ્કેલેટર દબાવાઈ ગયું. જેથી ટ્રેન અવરોધને તોડીને સ્ટેશનની ઉપર ચઢી ગઇ.

આ માનવીય ભૂલ હતી કે ટેક્નિકલ તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. આ ઘટનામાં કોઈને નુકસાન પહોંચવાની ખબર નથી. આ ઘટનાને લઇ રેલવે તંત્રનો કોઇપણ અધિકારી બોલવા તૈયાર નથી. એન્જિનના હટ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે.

અપ-લાઇન ટ્રેનો થઇ પ્રભાવિત

મથુરા રેલવે સ્ટેશનના ડિરેક્ટર એસકે શ્રીવાસ્તવે કહ્યું કે, ટ્રેન શકૂર બસ્તીથી આવી રહી હતી. બધા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. અમુક બેગ એન્જિનની નીચે દેખાઇ રહ્યા છે. સ્ટેશન ડિરેક્ટરનું કહેવું છે કે, પ્લેટફોર્મ પર ટ્રેન કઇ રીતે ચઢી તેની તપાસ થઇ રહી છે. આ ઘટનાના કારણે અપ-લાઇન પર અમુક ટ્રેનો પ્રભાવિત થઇ છે. ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રેનને હટાવ્યા પછી અપ-લાઇનની ગાડીઓને ફરીથી શરૂ કરવામાં આવશે.

પ્લેટફોર્મ નંબર 2 પર બની ઘટના

આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર થઇ. રેલવેની ટીમ AMU ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવાનું કામ કરી રહી છે. ઘટના પછી સ્ટેશન પર લોકોની વચ્ચે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના વિશે જાણકારી મળતા જ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને નીરિક્ષણ કર્યું. રેલવે કર્મચારીઓની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ. આ ઘટનાને લઇ લોકોનું કહેવું છે કે, ભગવાનનું ભલું રહ્યું કે કોઇ પણ વ્યક્તિ ટ્રેનની અડફેતે ન આવ્યા. નહીંતર ખૂબ મોટું નુકસાન થઇ શક્યું હોત.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.