મુસલમાન છોકરા મરી પરવાર્યા છે? બુરખાવાળી યુવતી સાથે દુર્વ્યવહાર, યુવકને ફટકાર્યો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો બુરખામાં હાજર યુવતી અને તેની સાથે ઉભેલા યુવક સાથે મારપીટ કરતા જોવા મળે છે. આ સાથે એવું કહેતા જોવા મળે છે કે મર્યા પછી કબરમાં જવાની નથી? શું મુસ્લિમ છોકરાઓ મરી ગયા? આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા જ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પીડિત યુવતીની ફરિયાદ પર તરત જ 3 યુવકો સામે ગુનો નોંધ્યો છે. એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.

મુરાબાબાજના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી બુરખો પહેરીને માર્કેટમાં કપડાની ખરીદી કરીને પોતાના ગામ જઇ રહી હતી. તે વખતે તેને તેના ગામનો એક યુવક જયવિન મળી ગયો હતો અને યુવતી તેની સાથે બાઇક પર બેસીને જઇ રહી હતી. એટલામાં માર્કેટમાં દુકાન ધરાવનાર શાન એ આલમ નામનો વ્યકિતએ તેના મિત્રો સાથે આવીને યુવતી અને જયવિન સાથે ગાળા ગાળી શરૂ કરી હતી અને જયવિનની પિટાઇ શરૂ કરી દીધી હતી. શાન એ આલમ ચિલ્લાઇને જયવિનનને કહી રહ્યો હતો કે તારા પિતાને બોલાવ, તારા પિતાનો નંબર આપ.

આરોપીએ બુરખાવાળી યુવતીને પણ કહ્યું હતું કે, તુ મુસલમાન છે, શું તારે કબરમાં જવાનું નથી? યુવતીએ કહ્યું કે, જયવિન મારા પડોશમાં રહે છે અને એ આવ્યો તેમાં તને શું પરેશાની છે?  આ સાંભળીને આરોપી યુવકે કહ્યું હતું કે, શું મુસલમાન છોકરાઓ મરી પરવાર્યા છે? તે તું આ યુવક સાથે કેમ ફરી રહી છે? એ પછી આરોપી યુવક યુવતીનો ફોન છીનવી લે છે. યુવતી રડવા માંડે છે. આ આખો મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

યુવતીએ પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે, ભોજપુરીની માર્કેટમાંથી કપડા કરીને હું ચાલતી જઇ રહી હતી ત્યારે માર્કેટ પાસે મારા ગામનો જયવિન મને મળી ગયો હતો. હું તેની સાથે બાઇક પર બેઠી અને અમે ઘર તરફ રવાના થઇ રહ્યા હતા ત્યારે માર્કેટના કેટલાંક દુકાન દાર શાન એ આલમ, હફિઝ અને અન્ય બે સાથી મિત્રોએ આવીને મારી અને જયવિન સાથે બદતમીજી કરી હતી. મને અને જયવિનને માર માર્યો હતો. મારી શરીરને ખોટી નિયતથી ર્સ્પશ કર્યો હતો. મહેરબાની કરીને આ લોકો સામે કાર્યવાહી કરશો.

દેહાતના  SP સંદીપ કુમાર મીણાએ કહ્યું કે, ટ્વીટર પર એક વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો હતો. જેમાં એક યુવક યુવતી સાથે બેથી 3 લોકો બદતમીજી કરી રહેલા જોવા મળતા હતા. વીડિયો ધ્યાનમાં આવ્યા પછી 3 યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.