કેરળમાં ચોમાસું બેસવામાં કેમ થઈ રહ્યું છે મોડું? જાણો કારણ

જૂનનો મહિનો ચાલી રહ્યો છે અને દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી અને હિટવેવ પરેશાન કરી રહી છે. લોકોને હવે ચોમાસાના આગમન સાથે જ રાહતની આશા છે, પરંતુ ચોમાસું મોડું થઈ ચૂક્યું છે. સામાન્ય સ્થિતિમાં ચોમાસું 1 જૂનના રોજ કેરળના કિનારા સાથે ટકરાઇ જાય છે, પરંતુ IMDએ પહેલા જ સામાન્ય મોડું થવા સાથે જ તે 4 જૂન સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેમાં હજુ મોડું થતું નજરે પડી રહ્યું છે. આવો આ આર્ટિકલમાં જાણીએ તેની પાછળનું કારણ શું છે.

ચોમાસામાં કેમ થઈ રહ્યું છે મોડું?

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું કેરળ પહોંચવાની સ્થિતિમાં બદલાવ આવ્યો છે. IMDએ તે કેરળ પહોંચવાની તારીખ તો બતાવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હજુ 3-4 દિવસ લાગી શકે છે. IMDએ કહ્યું કે, દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર ઓછું દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. તેનાથી આગામી 2 દિવાસોમાં તેની તીવ્રતા કેરળના કિનારા તરફ ચોમાસાની પ્રગતિને ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. ઓછા દબાવનું ક્ષેત્ર બનવાના કારણે દક્ષિણ પૂર્વ અરબ સાગર પર વાદળનું દ્રવ્યમાન વધુ સંગઠિત અને કેન્દ્રિત છે. તો કેરળ કિનારાની પાસે વાદળોમાં કોઈ કમી આવી નથી. જેના કારણે ચોમાસું મોડું થઈ રહ્યું છે.

IMDએ ચોમાસું આવવાની તારીખ બતાવી નથી, પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, કેરળમાં ચોમાસાની શરૂઆત 8-9 જૂનના રોજ થઈ શકે છે, પરંતુ તે નબળા અને સામાન્ય પ્રવેશની આશા છે. ઓછા દબાવનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં તેજ થવાની આશા છે અને મધ્ય સપ્તાહની આસપાસ વધુ મજબૂત થઈ શકે છે. અરબ સાગરમાં આ શક્તિશાળી હવામાન પ્રણાલીઓ ચોમાસાની પ્રગતિને ખરાબ કરે છે. તેના પ્રભાવમાં ચોમાસાની ધારા તટિય ભાગો સુધી તો પહોંચી શકે છે, પરંતુ પશ્ચિમી ઘાટોથી આગળ વધવા માટે તેમને સંઘર્ષ કરવો પડશે. સ્કાઈમેટે પહેલા 7 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆતની ભવિષ્યવાણી કરી હતી, જેના 3 દિવસ આગળ કે પાછળ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

કેવી રીતે નક્કી થાય છે ચોમાસું આવી ગયું?

ભારતીય હવામાન વિભાગ દેશમાં ચોમાસું આવવાની જાહેરાત ત્યારે કરવામાં આવે છે, જ્યારે કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં શરૂઆતની જાહેરાત કરનારા 8 સ્ટેશનોમાં સતત 2 દિવસ સુધી ઓછામાં ઓછો 2.5 મિમી વરસાદ થાય. આ સ્થિતિમાં IMD ચોમાસું આવવાની જાણકારી આપે છે. 8 જૂન કે 9 જૂનના રોજ એ નિર્ધારિત વરસાદ થઈ શકે છે. જો કે, શરૂઆતમાં એ નરમ અને સામાન્ય પ્રવેશ કરી શકે છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.