પુત્રના અવસાનથી માતાને આઘાત લાગતા તેમણે પણ પ્રાણ ત્યજી દીધા... એકસાથે નીકળી અંતિમયાત્રા

લોકો કહે છે કે, કોઈ પણ માતા પોતાના પુત્રને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતી નથી. જ્યારે જેને પોતે જન્મ આપ્યો છે તે પુત્ર તેના પહેલાં જ મૃત્યુ પામે, ત્યારે તેને એક ઊંડો આઘાત લાગે છે. જોકે, અહીં બનેલી આ ઘટનાએ એ કહેવતને સાબિત કરી દીધી કે, 'માતા પુત્ર વિના અધૂરી છે', માતાનો તેના દરેક બાળકો સાથેનો સંબંધ ખુબ જ ગાઢ હોય છે.' અહીં, દિવાળીની રોશની વચ્ચે, આ ઘર કાયમ માટે અંધકારમાં ડૂબી ગયું, કારણકે તે ઘરના લોકોએ તેના બે પ્રિયજનો ગુમાવ્યા છે.

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં, દિવાળીના એક દિવસ પહેલા જ માતા અને પુત્રના મૃત્યુના કારણે તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. બ્રેન હેમરેજના કારણે પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ, માતાનું પણ આઘાતથી મૃત્યુ થઇ ગયું. આ સમગ્ર ઘટના કડાધામ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવીગંજ બજારમાં બની હતી.

Mother-Son-Death3
zeenews.india.com

માહિતી અનુસાર, મુન્ના અગ્રહારી એક વેપારી હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય મુન્ના અગ્રહારીની થોડા દિવસો પહેલા તબિયત ખરાબ થઇ ગઈ હતી. ત્યારપછી પરિવારે તેમને પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે મુન્ના અગ્રહરીને બ્રેન હેમરેજ થયો હતો.

ડોક્ટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ શનિવારે સારવાર દરમિયાન મુન્ના અગ્રહરીનું મૃત્યુ થયું. તેમના પુત્રના મૃત્યુની જાણ થતાં, તેમની 75 વર્ષીય માતા તારા દેવી બરાડા પાડીને રડવા માંડ્યા. આ દરમિયાન, તારા દેવીની તબિયત બગડી ગઈ અને તેમનું પણ મૃત્યુ થયું.

એક જ દિવસમાં માતા અને પુત્રના મૃત્યુના સમાચારથી દેવીગંજ શહેરમાં શોક છવાઈ ગયો. પરિવારના સભ્યોનું કહેવું છે કે, માતા પોતાના પુત્રના મોતનો આઘાત સહન ન કરી શકી, અને તે જ આઘાતમાં માતા પણ દુનિયાને છોડી ગઈ હતી.

Mother-Son-Death3
bhaskar.com

પોલીસે અહેવાલ આપ્યો છે કે, એક વ્યક્તિને બ્રેન હેમરેજ થયું હતું. તે પ્રયાગરાજની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુના સમાચાર તેની મા સહન ન કરી શકી તેની માતાનું પણ મૃત્યુ થયું.

દિવાળીના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અગ્રહરી પરિવાર પર અંધારું છવાઈ ગયું છે. ઘરે સગાસંબંધીઓ અને પડોશીઓની ભીડ એકઠી થઈ ગઈ છે, પણ બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.