પુત્રના અવસાનથી માતાને આઘાત લાગતા તેમણે પણ પ્રાણ ત્યજી દીધા... એકસાથે નીકળી અંતિમયાત્રા

લોકો કહે છે કે, કોઈ પણ માતા પોતાના પુત્રને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતી નથી. જ્યારે જેને પોતે જન્મ આપ્યો છે તે પુત્ર તેના પહેલાં જ મૃત્યુ પામે, ત્યારે તેને એક ઊંડો આઘાત લાગે છે. જોકે, અહીં બનેલી આ ઘટનાએ એ કહેવતને સાબિત કરી દીધી કે, 'માતા પુત્ર વિના અધૂરી છે', માતાનો તેના દરેક બાળકો સાથેનો સંબંધ ખુબ જ ગાઢ હોય છે.' અહીં, દિવાળીની રોશની વચ્ચે, આ ઘર કાયમ માટે અંધકારમાં ડૂબી ગયું, કારણકે તે ઘરના લોકોએ તેના બે પ્રિયજનો ગુમાવ્યા છે.

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં, દિવાળીના એક દિવસ પહેલા જ માતા અને પુત્રના મૃત્યુના કારણે તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. બ્રેન હેમરેજના કારણે પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ, માતાનું પણ આઘાતથી મૃત્યુ થઇ ગયું. આ સમગ્ર ઘટના કડાધામ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવીગંજ બજારમાં બની હતી.

Mother-Son-Death3
zeenews.india.com

માહિતી અનુસાર, મુન્ના અગ્રહારી એક વેપારી હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય મુન્ના અગ્રહારીની થોડા દિવસો પહેલા તબિયત ખરાબ થઇ ગઈ હતી. ત્યારપછી પરિવારે તેમને પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે મુન્ના અગ્રહરીને બ્રેન હેમરેજ થયો હતો.

ડોક્ટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ શનિવારે સારવાર દરમિયાન મુન્ના અગ્રહરીનું મૃત્યુ થયું. તેમના પુત્રના મૃત્યુની જાણ થતાં, તેમની 75 વર્ષીય માતા તારા દેવી બરાડા પાડીને રડવા માંડ્યા. આ દરમિયાન, તારા દેવીની તબિયત બગડી ગઈ અને તેમનું પણ મૃત્યુ થયું.

એક જ દિવસમાં માતા અને પુત્રના મૃત્યુના સમાચારથી દેવીગંજ શહેરમાં શોક છવાઈ ગયો. પરિવારના સભ્યોનું કહેવું છે કે, માતા પોતાના પુત્રના મોતનો આઘાત સહન ન કરી શકી, અને તે જ આઘાતમાં માતા પણ દુનિયાને છોડી ગઈ હતી.

Mother-Son-Death3
bhaskar.com

પોલીસે અહેવાલ આપ્યો છે કે, એક વ્યક્તિને બ્રેન હેમરેજ થયું હતું. તે પ્રયાગરાજની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુના સમાચાર તેની મા સહન ન કરી શકી તેની માતાનું પણ મૃત્યુ થયું.

દિવાળીના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અગ્રહરી પરિવાર પર અંધારું છવાઈ ગયું છે. ઘરે સગાસંબંધીઓ અને પડોશીઓની ભીડ એકઠી થઈ ગઈ છે, પણ બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે.

About The Author

Top News

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.