SDMનું પદ છોડીને નેતા બનવા નીકળેલી નિશા બાંગરે ફરી માગી રહી છે સરકારી નોકરી

ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપનાર નાયબ કલેકટર નિશા બાંગરે પોતાની સરકારી નોકરી પાછી ઈચ્છે છે. નિશા બાંગરેએ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાને સ્વીકારવા માટે તેમણે રાજ્ય સરકાર સામે લડાઈ લડી હતી. તેણે કહ્યું કે, કોંગ્રેસે મને લોકસભાની ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પાર્ટી પોતાના વાયદા પરથી ફરી ગઈ. શું ઓફર મળવા પર તે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, મને ભાજપ તરફથી કોઈ ઓફર મળી નથી.

તેણે કહ્યું કે, મેં જાન્યુઆરીમાં જ સામાન્ય પ્રશાસન વિભાગને સેવામાં મને પરત લેવા માટે લખ્યું હતું. મને પરત લેવાની મારી અરજી સરકાર પાસે પેન્ડિંગ છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નિશા બાંગરે કોંગ્રેસની ટિકિટ પર આમલા સીટથી ચૂંટણી લડવા માગતી હતી. જો કે, જ્યાં સુધી સરકારે તેનું રાજીનામું સ્વીકાર્યું, કોંગ્રેસે આ સીટ પરથી એક અન્ય ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. તેણે કહ્યું કે, મારો પરિવાર ઈચ્છે છે કે હું સેવામાં પાછી જાઉ. મધ્ય પ્રદેશ સેવા નિયમમાં તેનું પ્રાવધાન છે. એવા પણ ઉદાહરણ છે જ્યાં સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું, ચૂંટણી લડી અને ચૂંટણી હાર્યા બાદ સેવામાં પાછા આવી ગયા.

છતરપુર જિલ્લાના લવકુશ નગરના SDM રહેલા નીશા બાંગરે વિધાનસભાની ચૂંટણી લડવા માટે 23 જૂન 2023ના રોજ રાજીનામું આપી દીધું હરતું, પરંતુ JDAએ તેનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તે સીધી સરકાર સામે સીધી ટક્કર લેવા ઊભી થઈ ગઈ. તેણે પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે આમલાથી ભોપાલ સુધી સરકાર વિરુદ્ધ યાત્રા પણ કરી અને અંતે કોર્ટના આદેશ બાદ 23 ઓક્ટોબરે સરકારે તેનું રાજીનામું મંજૂર કરી લીધું હતું.

નિશા બાંગરેએ કહ્યું કે, તેને આશા હતી કે કોંગ્રેસ તેને વિધાનસભા કે પછી લોકસભાની ટિકિટ આપશે. કોંગ્રેસે તેને ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. જો કે, પાર્ટીએ પોતાના બંને જ વાયદા ન પૂરા કર્યા. એટલે પરિવારની ઇચ્છાનેધ્યાનમાં રાખતા મેં પાછી નોકરીમાં આવવા માટે સરકારને ચિઠ્ઠી લખી છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આશા છે કે સરકાર તેની વાત સંભાળશે.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.