SDMનું પદ છોડીને નેતા બનવા નીકળેલી નિશા બાંગરે ફરી માગી રહી છે સરકારી નોકરી

ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપનાર નાયબ કલેકટર નિશા બાંગરે પોતાની સરકારી નોકરી પાછી ઈચ્છે છે. નિશા બાંગરેએ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાને સ્વીકારવા માટે તેમણે રાજ્ય સરકાર સામે લડાઈ લડી હતી. તેણે કહ્યું કે, કોંગ્રેસે મને લોકસભાની ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પાર્ટી પોતાના વાયદા પરથી ફરી ગઈ. શું ઓફર મળવા પર તે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, મને ભાજપ તરફથી કોઈ ઓફર મળી નથી.

તેણે કહ્યું કે, મેં જાન્યુઆરીમાં જ સામાન્ય પ્રશાસન વિભાગને સેવામાં મને પરત લેવા માટે લખ્યું હતું. મને પરત લેવાની મારી અરજી સરકાર પાસે પેન્ડિંગ છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નિશા બાંગરે કોંગ્રેસની ટિકિટ પર આમલા સીટથી ચૂંટણી લડવા માગતી હતી. જો કે, જ્યાં સુધી સરકારે તેનું રાજીનામું સ્વીકાર્યું, કોંગ્રેસે આ સીટ પરથી એક અન્ય ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. તેણે કહ્યું કે, મારો પરિવાર ઈચ્છે છે કે હું સેવામાં પાછી જાઉ. મધ્ય પ્રદેશ સેવા નિયમમાં તેનું પ્રાવધાન છે. એવા પણ ઉદાહરણ છે જ્યાં સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું, ચૂંટણી લડી અને ચૂંટણી હાર્યા બાદ સેવામાં પાછા આવી ગયા.

છતરપુર જિલ્લાના લવકુશ નગરના SDM રહેલા નીશા બાંગરે વિધાનસભાની ચૂંટણી લડવા માટે 23 જૂન 2023ના રોજ રાજીનામું આપી દીધું હરતું, પરંતુ JDAએ તેનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તે સીધી સરકાર સામે સીધી ટક્કર લેવા ઊભી થઈ ગઈ. તેણે પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે આમલાથી ભોપાલ સુધી સરકાર વિરુદ્ધ યાત્રા પણ કરી અને અંતે કોર્ટના આદેશ બાદ 23 ઓક્ટોબરે સરકારે તેનું રાજીનામું મંજૂર કરી લીધું હતું.

નિશા બાંગરેએ કહ્યું કે, તેને આશા હતી કે કોંગ્રેસ તેને વિધાનસભા કે પછી લોકસભાની ટિકિટ આપશે. કોંગ્રેસે તેને ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. જો કે, પાર્ટીએ પોતાના બંને જ વાયદા ન પૂરા કર્યા. એટલે પરિવારની ઇચ્છાનેધ્યાનમાં રાખતા મેં પાછી નોકરીમાં આવવા માટે સરકારને ચિઠ્ઠી લખી છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આશા છે કે સરકાર તેની વાત સંભાળશે.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.