SDMનું પદ છોડીને નેતા બનવા નીકળેલી નિશા બાંગરે ફરી માગી રહી છે સરકારી નોકરી

ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપનાર નાયબ કલેકટર નિશા બાંગરે પોતાની સરકારી નોકરી પાછી ઈચ્છે છે. નિશા બાંગરેએ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાને સ્વીકારવા માટે તેમણે રાજ્ય સરકાર સામે લડાઈ લડી હતી. તેણે કહ્યું કે, કોંગ્રેસે મને લોકસભાની ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પાર્ટી પોતાના વાયદા પરથી ફરી ગઈ. શું ઓફર મળવા પર તે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, મને ભાજપ તરફથી કોઈ ઓફર મળી નથી.

તેણે કહ્યું કે, મેં જાન્યુઆરીમાં જ સામાન્ય પ્રશાસન વિભાગને સેવામાં મને પરત લેવા માટે લખ્યું હતું. મને પરત લેવાની મારી અરજી સરકાર પાસે પેન્ડિંગ છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નિશા બાંગરે કોંગ્રેસની ટિકિટ પર આમલા સીટથી ચૂંટણી લડવા માગતી હતી. જો કે, જ્યાં સુધી સરકારે તેનું રાજીનામું સ્વીકાર્યું, કોંગ્રેસે આ સીટ પરથી એક અન્ય ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. તેણે કહ્યું કે, મારો પરિવાર ઈચ્છે છે કે હું સેવામાં પાછી જાઉ. મધ્ય પ્રદેશ સેવા નિયમમાં તેનું પ્રાવધાન છે. એવા પણ ઉદાહરણ છે જ્યાં સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું, ચૂંટણી લડી અને ચૂંટણી હાર્યા બાદ સેવામાં પાછા આવી ગયા.

છતરપુર જિલ્લાના લવકુશ નગરના SDM રહેલા નીશા બાંગરે વિધાનસભાની ચૂંટણી લડવા માટે 23 જૂન 2023ના રોજ રાજીનામું આપી દીધું હરતું, પરંતુ JDAએ તેનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તે સીધી સરકાર સામે સીધી ટક્કર લેવા ઊભી થઈ ગઈ. તેણે પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે આમલાથી ભોપાલ સુધી સરકાર વિરુદ્ધ યાત્રા પણ કરી અને અંતે કોર્ટના આદેશ બાદ 23 ઓક્ટોબરે સરકારે તેનું રાજીનામું મંજૂર કરી લીધું હતું.

નિશા બાંગરેએ કહ્યું કે, તેને આશા હતી કે કોંગ્રેસ તેને વિધાનસભા કે પછી લોકસભાની ટિકિટ આપશે. કોંગ્રેસે તેને ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. જો કે, પાર્ટીએ પોતાના બંને જ વાયદા ન પૂરા કર્યા. એટલે પરિવારની ઇચ્છાનેધ્યાનમાં રાખતા મેં પાછી નોકરીમાં આવવા માટે સરકારને ચિઠ્ઠી લખી છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આશા છે કે સરકાર તેની વાત સંભાળશે.

Related Posts

Top News

INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી...
National  Politics 
INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

દેશમાં ગુજરાતમાં એક માત્ર આંબો એવો છે જે ચાલે છે, 1400 વર્ષમાં 20 ફુટ આગળ ગયો

કેરી માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં આંબાનું એક અજાયબ ઝાડ આવેલું છે અને 1400 વર્ષ જુનું છે. આ આંબાને ઝાડને ચાલતો...
Gujarat 
દેશમાં ગુજરાતમાં એક માત્ર આંબો એવો છે જે ચાલે છે, 1400 વર્ષમાં 20 ફુટ આગળ ગયો

GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી    GPSCના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો...
Gujarat 
GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-05-2025 દિવસ: સોમવાર મેષ: તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે, જેના કારણે તમે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.