કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માનવું ખોટું છે. કોર્ટે એમ પણ કહ્યું કે, વર્તમાન સમયમાં આવા કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવાની વૃત્તિ વધી ગઈ છે. જસ્ટિસ PV કુન્હીકૃષ્ણને એક મહિલા કર્મચારી દ્વારા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક પુરુષને આગોતરા જામીન આપતી વખતે આ વાત કહી.

કોર્ટે કહ્યું કે, આ કેસમાં પોલીસે આરોપીની ફરિયાદની તપાસ કરી નથી જેમાં તેણે કહ્યું હતું કે, નોકરીમાંથી કાઢી મૂક્યા પછી, મહિલાએ તેને ગાળો આપી અને ધમકીઓ આપી.

Kerala-High-Court1

કોર્ટે કહ્યું કે, 'ફોજદારી કેસની તપાસનો અર્થ ફક્ત ફરિયાદીના પક્ષની તપાસ જ નથી, પરંતુ આરોપીના કેસની પણ તપાસ થવી જોઈએ. ફરિયાદી એક મહિલા હોવાને કારણે, એવું માનવું યોગ્ય નથી કે તેનું દરેક નિવેદન સાચું છે. પોલીસ ફક્ત તેના નિવેદનના આધારે કાર્યવાહી કરી શકે નહીં. આરોપીના કેસની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.'

કોર્ટે એમ પણ કહ્યું કે, આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે સ્ત્રીઓ પુરુષોને તેમના જાતીય સતામણીના આરોપો ખોટા હોવા છતાં પણ ફસાવે છે. જો પોલીસને લાગે કે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે તો તે ફરિયાદી સામે પણ કાર્યવાહી કરી શકે છે. કાયદો પણ એવું જ કહે છે.

કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને ખોટા આરોપોમાં ફસાવવામાં આવે છે, તો તેનું નામ, સમાજમાં તેની માન મર્યાદા અને પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. ફક્ત નાણાકીય વળતરથી તે પાછું મેળવી શકાતું નથી. કોર્ટે પોલીસ અધિકારીઓને સત્યની તપાસ કરતી વખતે સાવચેત અને સતર્ક રહેવાની સલાહ આપી હતીજેથી કરીને ગુનાના કેસોની તપાસ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય.

Kerala-High-Court2

અહીં તમને જણાવી દઈએ કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, કંપનીના મેનેજરે જાતીય હેતુ માટે તેના હાથ પકડ્યા હતા. જ્યારે, આરોપીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે મહિલાએ તેને ગાળો આપી હતી અને ધમકીઓ આપી. આ સંદર્ભમાં, તેમણે મહિલાના કથિત નિવેદનો પેન ડ્રાઇવમાં રેકોર્ડ કર્યા અને તેને પોલીસને સોંપી દીધા. કોર્ટે કહ્યું કે આ એક એવો કેસ હતો જેમાં તપાસ અધિકારી (IO)એ આરોપીની ફરિયાદની પણ તપાસ કરવી જોઈતી હતી. કોર્ટે આરોપીને તપાસ અધિકારી સમક્ષ પેન ડ્રાઇવ રજૂ કરવાનો આદેશ આપ્યો અને તપાસ અધિકારીને તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.

કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના વ્યક્તિગત જામીન અને બે સક્ષમ જામીનદારો પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, આરોપીને તપાસમાં સહકાર આપવા, સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરવાનો અને તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.