મીલોર્ડ હું બીમાર છું, ફીસ આપવામાં લાચાર, CJIએ દેખાડી દરિયાદિલી, કરી આ વ્યવસ્થા

દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ મોટા ભાગે પોતાની દરિયાદિલી અને નીડર અંદાજ માટે ચર્ચામાં રહે છે. આ વખત ફરી તેઓ દરિયાદિલી અને તાત્કાલિક એક્શન લેવાના કારણે ચર્ચામાં છે. થયું જાણે એમ કે સોમવારે જ્યારે તેઓ 3 જજોની પીઠની અધ્યક્ષતા કરી રહ્યા હતા, ત્યારે તેમની કોર્ટમાં એક એવી વ્યક્તિનો પ્રવેશ થયો, જે શ્વાસ લેવામાં ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી હતી. તેણે પોતાની અરજી બાબતે ચીફ જસ્ટિસને કહ્યું કે, તો CJIએ એ વ્યક્તિને કહ્યું કે તમારી અરજી દાખલ કરવામાં મોડું થઇ રહ્યું છે.

તેના પર વ્યક્તિએ CJIને વિનંતી કરતા કહ્યું કે, મને ગંભીર બીમારી છે. હું વકીલની ફીસ આપી શકતો નથી. હું સમજી શકતો નથી કે હું કેવી રીતે અને શું વ્યવસ્થા કરું? તેના પર મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોર્ટ રૂમમાં જ વરિષ્ઠ વકીલ શોએબ આલમ તરફથી બોલતા કહ્યું કે, આ વ્યક્તિગત રૂપે રજૂ થઇ રહ્યા છે. તમે તેની મદદ કરો. ત્યારબાદ CJIએ જ શોએબ આલમને કેસ સાથે જોડાયેલી જાણકારી આપી અને એ બીમાર વ્યક્તિને કહ્યું કે, આ મોટા વકીલ સાહેબ છે. તેઓ તમારી પાસે કોઇ ફી નહીં લે.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ એમિક્સ ક્યૂરી તરીકે રજૂ થશે અને તમારા કેસને જોશે. તેની સાથે જ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, કેસમાં એડવોકેટ ઉજ્જવલ સિંહ એડવોકેટ ઑન રેકોર્ડ હશે. જે સમયે મુખ્ય ન્યાયાધીશ એમ કહી રહ્યા હતા એ સમયે તેમના સાથી જજ બેન્ચ પર જ બેઠા હતા અને કોર્ટ રૂમ પણ ભરાયેલો હતો.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજીમાં માગ કરવામાં આવી કે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે તે શરીરના અંગનો ઉપયોગ ચૂંટણી ચિહ્ન પર રોક લગાવે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે તેને એમ કહેતા નકારી દીધી કે આ કયા પ્રકારની અરજી છે. CJIએ હસતા કહ્યું કે, એ માત્ર હાથના નિશાનને રોકવાની નિયતથી દાખલ કરવામાં આવી છે. તેમને અરજી તરત ફગાવી દીધી. એ જ દિવસે આ ઘટના સામે આવી હતી.

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.