મીલોર્ડ હું બીમાર છું, ફીસ આપવામાં લાચાર, CJIએ દેખાડી દરિયાદિલી, કરી આ વ્યવસ્થા

દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ મોટા ભાગે પોતાની દરિયાદિલી અને નીડર અંદાજ માટે ચર્ચામાં રહે છે. આ વખત ફરી તેઓ દરિયાદિલી અને તાત્કાલિક એક્શન લેવાના કારણે ચર્ચામાં છે. થયું જાણે એમ કે સોમવારે જ્યારે તેઓ 3 જજોની પીઠની અધ્યક્ષતા કરી રહ્યા હતા, ત્યારે તેમની કોર્ટમાં એક એવી વ્યક્તિનો પ્રવેશ થયો, જે શ્વાસ લેવામાં ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી હતી. તેણે પોતાની અરજી બાબતે ચીફ જસ્ટિસને કહ્યું કે, તો CJIએ એ વ્યક્તિને કહ્યું કે તમારી અરજી દાખલ કરવામાં મોડું થઇ રહ્યું છે.

તેના પર વ્યક્તિએ CJIને વિનંતી કરતા કહ્યું કે, મને ગંભીર બીમારી છે. હું વકીલની ફીસ આપી શકતો નથી. હું સમજી શકતો નથી કે હું કેવી રીતે અને શું વ્યવસ્થા કરું? તેના પર મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોર્ટ રૂમમાં જ વરિષ્ઠ વકીલ શોએબ આલમ તરફથી બોલતા કહ્યું કે, આ વ્યક્તિગત રૂપે રજૂ થઇ રહ્યા છે. તમે તેની મદદ કરો. ત્યારબાદ CJIએ જ શોએબ આલમને કેસ સાથે જોડાયેલી જાણકારી આપી અને એ બીમાર વ્યક્તિને કહ્યું કે, આ મોટા વકીલ સાહેબ છે. તેઓ તમારી પાસે કોઇ ફી નહીં લે.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ એમિક્સ ક્યૂરી તરીકે રજૂ થશે અને તમારા કેસને જોશે. તેની સાથે જ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, કેસમાં એડવોકેટ ઉજ્જવલ સિંહ એડવોકેટ ઑન રેકોર્ડ હશે. જે સમયે મુખ્ય ન્યાયાધીશ એમ કહી રહ્યા હતા એ સમયે તેમના સાથી જજ બેન્ચ પર જ બેઠા હતા અને કોર્ટ રૂમ પણ ભરાયેલો હતો.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજીમાં માગ કરવામાં આવી કે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે તે શરીરના અંગનો ઉપયોગ ચૂંટણી ચિહ્ન પર રોક લગાવે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે તેને એમ કહેતા નકારી દીધી કે આ કયા પ્રકારની અરજી છે. CJIએ હસતા કહ્યું કે, એ માત્ર હાથના નિશાનને રોકવાની નિયતથી દાખલ કરવામાં આવી છે. તેમને અરજી તરત ફગાવી દીધી. એ જ દિવસે આ ઘટના સામે આવી હતી.

Related Posts

Top News

INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી...
National  Politics 
INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

દેશમાં ગુજરાતમાં એક માત્ર આંબો એવો છે જે ચાલે છે, 1400 વર્ષમાં 20 ફુટ આગળ ગયો

કેરી માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં આંબાનું એક અજાયબ ઝાડ આવેલું છે અને 1400 વર્ષ જુનું છે. આ આંબાને ઝાડને ચાલતો...
Gujarat 
દેશમાં ગુજરાતમાં એક માત્ર આંબો એવો છે જે ચાલે છે, 1400 વર્ષમાં 20 ફુટ આગળ ગયો

GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી    GPSCના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો...
Gujarat 
GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-05-2025 દિવસ: સોમવાર મેષ: તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે, જેના કારણે તમે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.