શરદ પવાર છોડ્યુ NCP અધ્યક્ષનું પદ, જાહેરાત કરીને જણાવ્યું કારણ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. શરદ પવારે કહ્યું કે, તેઓ NCPનું અધ્યક્ષ પદ છોડી દેશે. 82 વર્ષીય મરાઠા ક્ષત્રપ શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી જ NCPમાં ફૂટના સમાચાર સામે આવ્યા હતા. સમાચાર હતા કે શરદ પવારના ભત્રીજા અજીત પવાર NCPના ઘણા ધારાસભ્ય સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. શરદ પવારે કહ્યું કે, ‘ઘણા વર્ષો સુધી મને રાજનીતિમાં પાર્ટીને લીડ કરવાનો ચાંસ મળ્યો છે. આ ઉંમરમાં આવીને પદ રાખવા માગતો નથી.

મને લાગે છે કે બીજા કોઈએ આગળ આવવું જોઈએ. પાર્ટીના નેતાઓએ આ નિર્ણય લેવો પડશે કે હવે પાર્ટીનો અધ્યક્ષ કોણ હશે. શરદ પવાર છેલ્લી વખત વર્ષ 2022માં જ 4 વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. શરદ પવારે કહ્યું કે, વર્ષ 1999માં NCPની રચના બાદ મને અધ્યક્ષ રહેવાનો ચાંસ મળ્યો. આજથી તેને 24 વર્ષ થઈ ગયા. મે 1960થી શરૂ થયેલી આ સાર્વજનિક જીવનની યાત્રા છેલ્લા 63 વર્ષોથી બેરોકટોક ચાલુ છે. આ દરમિયાન મેં મહારાષ્ટ્ર અને દેશમાં અલગ અલગ ભૂમિકાઓમાં સેવા કરી છે.

શરદ પવારે કહ્યું કે, મારો રાજ્યસભાનો કાર્યકાળ 3 વર્ષનો બચ્યો છે. આ દરમિયાન મેં કોઈ પદ ન લેતા મહારાષ્ટ્ર અને દેશ સાથે જોડાયેલા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. શરદ પવારે જેવી જ પદ છોડવાની જાહેરાત કરી, કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નારેબાજી શરૂ કરી દીધી. કાર્યકર્તાઓએ શરદ પવારને પદ ન છોડવાની અપીલ કરી. કાર્યકર્તા શરદ પવારને નિર્ણય બદલવાની અપીલ કરતા દેખાયા. આ દરમિયાન શરદ પવારના કેટલાક સમર્થક અને કાર્યકર્તા રડતા પણ નજરે પડ્યા.

 શરદ પવારે કહ્યું કે, ‘હવે મને જે સમય મળશે, તેને જોતા હું અત્યારથી એ કામ પર વધારે ધ્યાન આપવાનો છું. હું એ નહીં ભૂલી શકું કે છેલ્લા 6 દશકોમાં મહારાષ્ટ્ર અને તમે બધાએ મને મજબૂત સમર્થન અને પ્રેમ આપ્યો છે. પાર્ટી જે દિશામાં જવા માગે છે, એ નવા અભ્યાસ માટે માર્ગદર્શન કરવાનો સમય છે. હું ભલામણ કરી રહ્યો છું કે અધ્યક્ષ પદની ચૂંટણી પર નિર્ણય કરવા માટે NCP સભ્યોની એક સમિતિ બનાવવી જોઈએ. ચૂંટણી સમિતિમાં પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, કે.કે. શર્મા, પી.સી. ચાકો, અજીત પવાર, સંજય પાટીલ, સુપ્રિયા સુલે, છગન ભુજબલ, દીલિપ વાલ્સે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, રાષ્ટ્રવાદી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ફૌજીયા ખાન, ધીરેજ શર્મા, રાષ્ટ્રવાદી યુવા કોંગ્રેસના સોનિયા દુહાન સામેલ છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.