જેમ શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, PM મોદી એવી જ રીતે જીવે છેઃ BJP સાંસદ

ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી જ રીતે જીવે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું વડાપ્રધાન મોદીને લઈને આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચારેય શંકરાચાર્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અયોધ્યા જઇ રહ્યા નથી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ થવાનો છે.

જ્યોર્તિપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ કહ્યું કે, 'રામ મંદિર અત્યારે પૂરી રીતે બનીને તૈયાર થયું નથી. એવામાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં કરી શકાય. પ્રાણ પ્રતિષ્ઠાને અશાસ્ત્રીય રૂપે કરવામાં આવી રહ્યું છે. જેને સ્વીકાર નહીં કરી શકાય.' જો કે, ભલે બાકી શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ તેઓ અયોધ્યામાં થઈ રહેલા આ કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યા નથી. ગોડ્ડામાં એક કાર્યક્રમ સામેલ થવા પહોંચેલા નિશિકાંત દુબેએ મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શંકરાચાર્ય બતાવ્યા.

તેમણે સંસ્કૃતનો શ્લોક સંભળાવતા કહ્યું કે, 'કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા એટલે કે વ્યક્તિને કર્મથી ઓળખવામાં આવે છે, જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, એકલા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એ જ પ્રકારે જીવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે અને ઉપવાસ રાખી રહ્યા છે. જેમ એક તપસ્વીનું જીવન હોય છે, એવી જ રીતે વડાપ્રધાન મોદી પણ જીવન જીવી રહ્યા છે.' ભાજપના સાંસદને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો શંકરાચાર્યોના માધ્યમથી કરવામાં આવી રહેલા વિરોધને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમણે આ વાતો કહી.

તેમણે કહ્યું કે, 500 વર્ષો સુધી ચાલેલા સંઘર્ષ બાદ અંતે એ ઐતિહાસિક પળ આવવાની છે. આખો દેશ ઉત્સાહિત છે કે શ્રી રામલલા મંદિરમાં બિરાજમાન થવાના છે. એવામાં દેશના શંકરચાર્યોનો વિરોધ કરવો અપ્રાસંગિક છે. તેમણે પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને અત્યાર સુધી પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું નથી. પરંતુ તેમને જો તિમંત્રણ આપવામાં આવે તો પણ તેઓ તેમાં સામેલ ન થતા.

તેમનું કહેવું છે કે જે પણ કાર્ય થવું જોઈએ, એ શાસ્ત્રો મુજબ થવું જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠામાં અશાસ્ત્રીય વસ્તુ થઈ રહી છે, જેણે કોઈ શંકરાચાર્ય સ્વીકારી નહીં શકે. ભગવાન પણ કહે છે કે ધાર્મિક વસ્તુ શાસ્ત્રો હેઠળ થવી જોઈએ અને વિધિયોનું પાલન થવું જોઈએ.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.