જેમ શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, PM મોદી એવી જ રીતે જીવે છેઃ BJP સાંસદ

ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી જ રીતે જીવે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું વડાપ્રધાન મોદીને લઈને આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચારેય શંકરાચાર્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અયોધ્યા જઇ રહ્યા નથી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ થવાનો છે.

જ્યોર્તિપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ કહ્યું કે, 'રામ મંદિર અત્યારે પૂરી રીતે બનીને તૈયાર થયું નથી. એવામાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં કરી શકાય. પ્રાણ પ્રતિષ્ઠાને અશાસ્ત્રીય રૂપે કરવામાં આવી રહ્યું છે. જેને સ્વીકાર નહીં કરી શકાય.' જો કે, ભલે બાકી શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ તેઓ અયોધ્યામાં થઈ રહેલા આ કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યા નથી. ગોડ્ડામાં એક કાર્યક્રમ સામેલ થવા પહોંચેલા નિશિકાંત દુબેએ મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શંકરાચાર્ય બતાવ્યા.

તેમણે સંસ્કૃતનો શ્લોક સંભળાવતા કહ્યું કે, 'કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા એટલે કે વ્યક્તિને કર્મથી ઓળખવામાં આવે છે, જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, એકલા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એ જ પ્રકારે જીવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે અને ઉપવાસ રાખી રહ્યા છે. જેમ એક તપસ્વીનું જીવન હોય છે, એવી જ રીતે વડાપ્રધાન મોદી પણ જીવન જીવી રહ્યા છે.' ભાજપના સાંસદને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો શંકરાચાર્યોના માધ્યમથી કરવામાં આવી રહેલા વિરોધને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમણે આ વાતો કહી.

તેમણે કહ્યું કે, 500 વર્ષો સુધી ચાલેલા સંઘર્ષ બાદ અંતે એ ઐતિહાસિક પળ આવવાની છે. આખો દેશ ઉત્સાહિત છે કે શ્રી રામલલા મંદિરમાં બિરાજમાન થવાના છે. એવામાં દેશના શંકરચાર્યોનો વિરોધ કરવો અપ્રાસંગિક છે. તેમણે પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને અત્યાર સુધી પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું નથી. પરંતુ તેમને જો તિમંત્રણ આપવામાં આવે તો પણ તેઓ તેમાં સામેલ ન થતા.

તેમનું કહેવું છે કે જે પણ કાર્ય થવું જોઈએ, એ શાસ્ત્રો મુજબ થવું જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠામાં અશાસ્ત્રીય વસ્તુ થઈ રહી છે, જેણે કોઈ શંકરાચાર્ય સ્વીકારી નહીં શકે. ભગવાન પણ કહે છે કે ધાર્મિક વસ્તુ શાસ્ત્રો હેઠળ થવી જોઈએ અને વિધિયોનું પાલન થવું જોઈએ.

About The Author

Related Posts

Top News

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

Amazonના ફાઉન્ડર જેફ બેજોસના લગ્ન વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ધમકી આપી રહ્યા છે કે, તેઓ બેજોસના...
World 
‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે...
World 
મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.