ખાલી દંડ ભરી દેશો એટલું નહીં ચાલે, હેલમેટ લાવીને બતાવવું પડશે પછી ગાડી છૂટશે, આ શહેરમાં લાગૂ થયો નિયમ

સાહિબગંજ જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં થતા મોતો ઘટાડવા માટે TDO મિથલેશ ચૌધરીએ એક અનોખી પહેલ કરી છે. હવે હેલમેટ વિના પકડાવા પર  બાઇક ચાલકોએ દંડ તો ભરવો જ પડશે, સાથે જ હેલમેટ પણ બતાવવું પડશે. જો ડ્રાઇવરે હેલમેટ ઘરે છોડી દીધું હોય, તો તેણે જઈને લાવવું પડશે અથવા દુકાનમાંથી ખરીદવું પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. આંકડાના વિશ્લેષણ દરમિયાન એ વાત સામે આવી છે કે, દારૂ પીને વાહન અને સગીરો દ્વારા વાહન ચલાવવાને કારણે માર્ગ અકસ્માતો થાય છે. હેલમેટ ન પહેરવાને કારણે, માથામાં ઇજા થવાને કારણે મોત થઈ જાય છે. તેને ધ્યાનમાં રાખતા, સતત વાહન ચેકિંગ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

helmet1
indiatoday.in

દર મહિને સરેરાશ 150-175 બાઇક ચાલક  હેલમેટ વિના પકડાય છે. આમ તો, બાઇક ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આ દંડ 1000 રૂપિયાથી 1650 રૂપિયા સુધી હોય છે. તેમાં હેલમેટ વિના વાહન ચલાવવાનો 1000 અને અધિકારીના આદેશનો અનાદર કરવા માટે 650 રૂપિયાનો દંડ સામેલ છે. બીજી તરફ, દંડ ભર્યા બાદ પણ બાઇક ચાલકો હેલમેટ ખરીદતા નથી અને ફરીથી પકડાય છે. તેને ધ્યાનમાં રાખતા જિલ્લા પરિવહન અધિકારીએ પકડાવા પર હેલમેટ બતાવવાનું અનિવાર્ય કરી દીધું છે. તેમને આશા છે કે આ પહેલથી માર્ગ અકસ્માતોમાં મોટોમાં ઘટાડો થશે.

helmet
india.com

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, માર્ગ અકસ્માતમાં લગભગ 45 લોકોના મોત થઈ ચૂક્યા છે. જાન્યુઆરીમાં 6, ફેબ્રુઆરીમાં 15, માર્ચમાં 7, એપ્રિલમાં 9 અને મે મહિનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. સાહિબગંજના TDO મિથિલેશ ચૌધરીએ જણાવ્યુ હતું કે, માર્ગ અકસ્માતમાં મૃત્યુનો આંકડો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે ઘણા સ્તર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, તપાસ અભિયાન દરમિયાન હેલમેટ વિના પકડાયેલા બાઇક ચાલકો પાસેથી દંડ વસૂલવાની સાથે-સાથે, તેમના માટે હેલમેટ ખરીદવું પણ અનિવાર્ય કરી આવ્યું છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.