ખેડૂતને ખોદકામ દરમિયાન મળ્યા 5 હીરા, જાણી લો કેટલી કિંમતના છે

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાની જમીને ફરી એકવાર પોતાની ઓળખ સાબિત કરી છે. સિરસ્વાહા ગામના એક ખેડૂતને ખોદકામ કરતી વખતે 5 હીરા મળ્યા. તેમનું કુલ વજન 5.79 કેરેટ છે. નિયમો અનુસાર, ખેડૂતે બધા હીરા હીરા કાર્યાલયમાં જમા કરાવ્યા છે, જ્યાં હવે આગામી હરાજીમાં મૂકવામાં આવશે.

આજ તકના અહેવાલ મુજબ, પન્ના જિલ્લાના સિરસવાહા ગામના રહેવાસી બ્રજેન્દ્ર કુમાર શર્માને આ હીરા મળ્યા. બ્રજેન્દ્ર એક ખેડૂત છે. છેલ્લા 6 મહિનાથી, તે અને તેના 6 સાથીઓ તેની જમીન પર ખોદકામ કરી રહ્યા હતા. શરૂઆતમાં કોઈ નોંધપાત્ર પરિણામ મળ્યું નહોતું, પરંતુ હવે બ્રજેન્દ્રને એક જ જગ્યાએથી 5 હીરા મળ્યા છે, જેનું વજન અનુક્રમે 0.74, 2.29, 0.77, 1.08 અને 0.91 કેરેટ છે. તેમની કિંમત લગભગ 15 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

diamonds
bhaskarenglish.in

બ્રજેન્દ્રનું કહેવું છે કે આ હીરાને મેળવવા માટે તેમની મહેનતનું ફળ છે. હવે તે આ પૈસાનો ઉપયોગ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા બાબતે વિચારી રહી છે. તેણે જણાવ્યું કે તે હીરામાંથી મળેલી રકમનો ઉપયોગ પોતાના બાળકોના શિક્ષણ અને પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે.

પન્ના હીરાના નિષ્ણાત અનુપમ સિંહે જણાવ્યું કે આ હીરા આગામી હરાજીમાં ખુલ્લી બોલી માટે મૂકવામાં આવશે. પ્રાપ્ત થયેલી રકમ સરકારી રોયલ્ટીમાંથી કાપવામાં આવશે અને બાકીની રકમ ખેડૂતને આપવામાં આવશે.

diamonds1
bhaskarenglish.in

સૌ પ્રથમ હીરાની હરાજી માટે 5,000ની ફી જમા કરવવાની હોય છે. ત્યારબાદ હરાજીમાં હીરા વેચાયા બાદ 12% રોયલ્ટી અને 30% આવકવેરો કાપીને બાકીની રકમ ખેડૂતને આપવામાં આવશે. મતલબ કે જો હીરા 15 લાખમાં વેચાય છે, તો 1,80,000 રોયલ્ટી અને લગભગ 4,50,000 રૂપિયા આવકવેરો કાપીને ખેડૂતને લગભગ 8,70,000 રૂપિયા મળશે.

પન્ના તેના હીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સામાન્ય ખેડૂતો અને મજૂરોનું નસીબ અહીં ઘણીવાર બદલાયું છે. આવું અગાઉ પણ ઘણી વખત બન્યું છે, જ્યારે કોઈ ગરીબ મજૂર કે ખેડૂતને ખેતરો કે ખાણોમાં ખોદકામ કરતી વખતે કિંમતી હીરા મળ્યા હોય, જેથી તેનું જીવન રાતોરાત બદલાઈ ગયું હોય.

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.